ગુજરાત વિધાનસભામાં મંત્રી દ્વારા ભોજનનું આમંત્રણ અને ભાજપ માટે બન્યો માથાનો દુઃખાવો
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાંથી હાલમાં ત્રણ બેઠકો ભાજપ પાસે જ્યારે એક કોંગ્રેસ પાસે છે. જો કે વર્તમાન પરિસ્થિતિમાં ભાજપની સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે એક બેઠક ગુમાવવાનો વખત આવી શકે છે. તો કોંગ્રેસના ફાળે બે બેઠકો જઈ શકે છે અને આજ કારણ છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને […]
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાંથી હાલમાં ત્રણ બેઠકો ભાજપ પાસે જ્યારે એક કોંગ્રેસ પાસે છે. જો કે વર્તમાન પરિસ્થિતિમાં ભાજપની સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે એક બેઠક ગુમાવવાનો વખત આવી શકે છે. તો કોંગ્રેસના ફાળે બે બેઠકો જઈ શકે છે અને આજ કારણ છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. બંને પક્ષોના નેતાઓ દ્વારા વિરોધ પક્ષના MLA પોતાના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ તમામની વચ્ચે વિધાનસભામાં સત્ર દરમિયાન એક એવી ઘટના બની ભાજપના નેતાઓના હોશ ઉડાવી દીધા.
આ પણ વાંચોઃ સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ, યુવક પર કર્યો જીવલેણ હુમલો !
રાજ્ય સરકારના એક મંત્રી દ્વારા કરાયેલું વર્તન હાલમાં તો, ચર્ચાનો વિષય બન્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકારના એક મંત્રી દ્વારા સત્રની શરૂઆત થઈ ત્યારથી ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને એક સાથે ભોજન ગોઠવવામાં આવ્યું છે. વિધાનસભાની શરૂઆતથી જ ભાજપના આ મંત્રી દ્વારા કોંગ્રેસના ૧૫ જેટલા ધારાસભ્યો સાથે ભોજનનું આયોજન કરાયું છે. જોકે નવાઈની વાત એ પણ છે કે, આ તમામ કાર્યક્રમ માટે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની મંજૂરી પણ આ મંત્રી દ્વારા લેવામાં આવી હતી. તે પણ લેખિતમાં…
સૂત્રોની માનીએ તો, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી. જોકે આ મામલે જ્યારે નેતૃત્વનું ધ્યાન ગયું તો પ્રદેશ નેતાઓના હોશ ઉડી ગયા હતા. તાત્કાલીક ધોરણે આ પ્રકારના સમૂહ ભોજન બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. સાથે જ ભાજપના સિનિયર મંત્રીઓ દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમથી દૂર રહેવાનું સૂચન કરી દેવાયું છે. મહત્વનું છે કે, આ પ્રકારના સમૂહ ભોજનનો આયોજન કરનાર મંત્રી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. ત્યારે શરૂઆતમાં પ્રદેશ નેતૃત્વ તેમજ સરકારના મંત્રીઓના આ દેશની અવગણના કરી હતી અને પોતાનો કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલુ છે રાખશો હતો.
આખરે સમગ્ર મામલે મુખ્ય પ્રધાન દ્વારા ટકોર કરાઇ હતી. જે બાદ ભાજપ અને કોંગ્રેસનો આ સમૂહ ભોજન હાલ બંધ થયું છે. જોકે સરકારના જે મંત્રી દ્વારા આ પ્રકાર આયોજનની જાણ થતા જ ગુજરાત પ્રદેશ મિત્રો તેમજ સરકારના સિનિયર નેતાઓના હોશ ઉડી ગયા હતા. પોતાની જ નાક નીચે કંઈક રંધાતું હોવાના અણસાર આવી ગયા હતા. રાજ્યસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનો કાર્યક્રમ એ ભાજપ માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે. હાલમાં તો સમૂહ ભોજન પર પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે જ્યાં એક તરફ પ્રકારના કાર્યક્રમની પાર્ટીમાં મોટાપાયે નોંધ લેવાય છે. ત્યાં બીજી તરફ શિસ્તબદ્ધ અને કેડર બેઝ ગણાતી સૌથી મોટી પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ દ્વારા આ પ્રકારની હરકતથી ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં જાણે એક ખુશીની લાગણી જોવા મળી છે. કેમ કે, છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહેલા નેતાઓને સંગઠન અને સરકારના સતત મળી રહેલા પ્રાધાન્યથી ભાજપના પાયાના કાર્યર્તાઓમાં ભારે અસંતોષ ઉભો થયો છે.