RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની અર્થ વ્યવસ્થા મુદ્દે દર્શાવી ચિંતા, આ કારણોથી લાવી શકાય છે સુધારો
RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા થોડા સમયમાં સુસ્તીના સકંજામાં આવી ગઈ છે. અને પરિસ્થિતિના ઊંડા સંકેત જોવા મળી રહ્યા છે. રાજને કહ્યું કે, આજની તારીખમાં અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલયથી લેવામાં આવી રહ્યા છે. મંત્રીઓ પાસે કોઈ અધિકાર નથી. ઈન્ડીયા ટુડેના એક આર્ટિકલમાં રાજને ભારતની નબળી અર્થવ્યવસ્થાની બહાર […]
RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા થોડા સમયમાં સુસ્તીના સકંજામાં આવી ગઈ છે. અને પરિસ્થિતિના ઊંડા સંકેત જોવા મળી રહ્યા છે. રાજને કહ્યું કે, આજની તારીખમાં અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલયથી લેવામાં આવી રહ્યા છે. મંત્રીઓ પાસે કોઈ અધિકાર નથી. ઈન્ડીયા ટુડેના એક આર્ટિકલમાં રાજને ભારતની નબળી અર્થવ્યવસ્થાની બહાર નીકળવા માટે રસ્તા દેખાડ્યા છે.
આ પણ વાંચોઃ જાણો લતા મંગેશકરને કઈ બિમારી થઈ હતી તો 28 દિવસ સુધી દાખલ રહેવું પડ્યું?
રાજને રસ્તો દેખાડતા કહ્યું કે, કન્સ્ટ્રકશન, રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં મુશ્કેલી છે. જેના કારણે લોન આપતી કોપરેટીવ જેવી સંસ્થાઓ પણ સંકટમાં છે. જે લોનનું ઉત્પાદન અટકી ગયું છે તેના કારણે નવી લોન જનરેટ કરી શકાતી નથી. અને ધિરાણની પરિસ્થિતિ નબળી પડી જાય છે. સાથે કોર્પોરેટ અને ઘરેલુ ઋણ વધી રહ્યું છે. જેથી નાણાકીય વિભાગમાં સંકટનું નિર્માણ થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
યુવાનોમાં બેરોજગારી પણ વધી રહી છે. જેના કારણે સરકાર વિરુદ્ધ આંદોલન પણ થઈ રહ્યા છે. તો ખાનગી ક્ષેત્રે રોકાણનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. જેના કારણે લાગી રહ્યું છે કે, સિસ્ટમમાં કંઈક ગરબડ જરૂર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો