નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન,GSTના વળતર પેટે 12 હજાર કરોડ લેણાં બાકી,કાઉન્સીલ જલ્દી લેણાં ચુકવશે, આ વર્ષે GSTની આવકમાં ધરખમ ઘટાડો
રાજ્યનાં ઉપ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા માહિતિ આપતા જણાવવામાં આવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. રાજ્યને પોતાના કદ પ્રમાણે વળતરની રકમ લેવાની નિકળે છે જે પૈકી ગુજરાતને 12 હજાર કરોડ રૂપિયા વળતર પેટે લેવાના નિકળે છે, શેષની રકમમાંથી કેન્દ્ર ,સરકાર એ વિવિધ રાજ્ય સરકારને ચૂકવે છે. હવે તાજેતરની સ્થિતિ એવી છે કે જેમાં 1) કોરોનાથી […]
રાજ્યનાં ઉપ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા માહિતિ આપતા જણાવવામાં આવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. રાજ્યને પોતાના કદ પ્રમાણે વળતરની રકમ લેવાની નિકળે છે જે પૈકી ગુજરાતને 12 હજાર કરોડ રૂપિયા વળતર પેટે લેવાના નિકળે છે, શેષની રકમમાંથી કેન્દ્ર ,સરકાર એ વિવિધ રાજ્ય સરકારને ચૂકવે છે.
હવે તાજેતરની સ્થિતિ એવી છે કે જેમાં 1) કોરોનાથી જે આવક ઘટી છે તે વળતર આપવું કે નહિ ? 2) જે લોન લેવાની થાય છે તે લોન રાજ્ય સરકાર લે કે કેન્દ્ર સરકાર લે હવે આ બંને વિકલ્પ પૈકી 1 વિકલ્પ પસંદ કરવા દરેક રાજ્યને સુચના આપવામાં આવી છે. ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલનાં જણાવ્યા અનુસાર ભારત સરકારે 3 લાખ કરોડ જેટલી રકમ રાજ્યને ચુકવવાની થાય છે જે ટૂંક સમયમાં GST કાઉન્સીલ પર ચુકવી આપવામાં આવશે.
હાલમાં રાજ્યની GST આવક ઘણી ઓછી છે, સરકારે જે ટેક્સ વસુલ્યો છે તેમાંથી રાજ્યને વળતર ચુકવવામાં આવે છે તેમાં પણ આ વખતે મોટો કાપ મુકવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો