ગાંધીનગરમાં મોતનો મલાજો ના જળવાયો, એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડક્યા
કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાની વાતને સાચી ઠેરવતી તસ્વીર ગાંધીનગરથી સામે આવી છે. ગાંધીનગરમાં માનવતા નેવે મુકાઈ છે. સેકટર 30ના સ્મશાનગૃહથી આવેલ તસ્વીરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ એકની ઉપર એક ખડકી દેવાયા હતા. ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોવાનુ આ તસ્વીર પરથી સામે આવી રહ્યું છે. કોરોનાના સ્થિતિ લધુ કથળી […]
કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાની વાતને સાચી ઠેરવતી તસ્વીર ગાંધીનગરથી સામે આવી છે. ગાંધીનગરમાં માનવતા નેવે મુકાઈ છે. સેકટર 30ના સ્મશાનગૃહથી આવેલ તસ્વીરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ એકની ઉપર એક ખડકી દેવાયા હતા.
ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોવાનુ આ તસ્વીર પરથી સામે આવી રહ્યું છે. કોરોનાના સ્થિતિ લધુ કથળી હોવાનું સાબિત કરી રહ્યું છે. તેની સાથેસાથે મોતનો મલાજો પણ જળવાતો નથી. એક સ્ત્રી અને ત્રણ પુરુષ દર્દીના મૃતદેહ એક જ એમ્બ્યુલન્સમાં ખડકીને લવાયો છે. ગાંધીનગર સેકટર 30ના સ્મશાનગૃહમાં છેલ્લા સાત દિવસમાં, 103 મૃતદેહને અંતિમ સંસ્કાર કરાયા છે.
એક જ એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ કેમ લવાયા તે સૌથી મોટો સવાલ છે. શુ ગુજરાતના પાટનગરમા મહાનગરપાલિકા પાસે પુરતી શબવાહીની કે એમ્બ્યુલન્સ નથી ? સરકાર પાસેથી આવેલ કરોડોની ગ્રાન્ટનો કયા વપરાશ થયો ? કેમ વધારાની એમ્બ્યુલન્સ કે શબવાહિની ઉપલબ્ધ નથી કરાવાતી ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો