બોલીવુડ પર કોરોનાનો કોહરામ! આ તમામ સિતારાઓ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ
કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્વમાં છે. ઘણી મોટીમોટી હસ્તીઓ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ચૂૂકી છે. ત્યારે બોલિવુડમાં કોરોનાનો કહેર વરસ્યો છે. બોલીવુડની અભિનેત્રી કિર્તી સેનન કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. કિર્તી ચંડીગઢથી એક શૂટિંગથી પાછી ફર્યા બાદ કોરોના પોઝિટિવ થઈ. તેણે હાલમાં જ રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. Web Stories View […]
કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્વમાં છે. ઘણી મોટીમોટી હસ્તીઓ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ચૂૂકી છે. ત્યારે બોલિવુડમાં કોરોનાનો કહેર વરસ્યો છે. બોલીવુડની અભિનેત્રી કિર્તી સેનન કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. કિર્તી ચંડીગઢથી એક શૂટિંગથી પાછી ફર્યા બાદ કોરોના પોઝિટિવ થઈ. તેણે હાલમાં જ રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બીજી બાજુ બોલીવુડના અન્ય કેટલાક સિતારાઓ હાલમાં કોરોનાનો શિકાર થયા છે. “જુગ જુગ જીયો” ફિલ્મની શૂટિંગ વખતે વરૂણ ધવન, નીતૂ કપૂર, નિર્દેશક રાજ મેહતા અને મનીષ પોલ પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અભિનેતા અનિલ કપૂર, જે આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં શામેલ છે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ તરત જ ચંડીગઢમાં ચાલતા શૂટિંગ છોડ઼ી મુંબઈ પાછા ફર્યા છે. આ સાથે જ તાબળતોળ ફિલ્મનું શુટિંગ હાલ બંધ કરવામાં આવ્યુ છે.
વરૂણ ધવને સોશ્યલ મીડિયા પર એક મેસેજના માધ્યમથી કન્ફર્મ કર્યું છે કે તમામ પ્રિકોશન લેવા છતાં તે કોરોનાનો શિકાર થયા એટલા માટે તમામ લોકોને વધુ પળતી કાળજી રાખવી જોઈએ એવી સલાહ આપી છેે.
આ લિસ્ટમાં વધૂ એક નામ જોડાઈ ગયુ છે તનાઝ ઈરાનીનું. તનાઝે ટીવી સીરીયલો સાથે કેટલીય હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તનાઝે સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને તાવ, માથાનો દુખાવો, કમજોરી જેવા લક્ષણો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો