ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?

રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં ભાજપના 4 નેતાઓએ ટ્વિટ કરીને પોતાની જ સરકારની પોલ ખોલી નાખી છે. જેની શરુઆત ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ કરી હતી. જ્યારે ચોથા દિવસે તો રોડ બાબતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ ખરાબ રસ્તાઓ અંગે ટ્વિટ કરવાની ફરજ પડી છે, આમ તો પ્રદેશ પ્રમુખ જન સામાન્યની ભાવના ગણાવી રહ્યા છે. ત્યારે રાજકીય નિષ્ણાંતો […]

ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Sep 15, 2019 | 8:33 AM

રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં ભાજપના 4 નેતાઓએ ટ્વિટ કરીને પોતાની જ સરકારની પોલ ખોલી નાખી છે. જેની શરુઆત ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ કરી હતી. જ્યારે ચોથા દિવસે તો રોડ બાબતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ ખરાબ રસ્તાઓ અંગે ટ્વિટ કરવાની ફરજ પડી છે, આમ તો પ્રદેશ પ્રમુખ જન સામાન્યની ભાવના ગણાવી રહ્યા છે.

ત્યારે રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે આ નેતાઓનો આંતરિક ઉકળાટ છે, જેઓ સીધી રીતે પોતાની સરકારને ભલે ન બોલી રહ્યા હોય પણ ટ્વિટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના જ સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે સત્તા પક્ષને ઘેરવા માટે વિપક્ષને વધુ એક તક મળી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગુજરાત સરકાર એક તરફ સરદાર સરોવર ડેમ ભરાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ કરી રહી છે. ત્યારે ચોમાસાના કારણે શહેરના રસ્તાઓ હોય કે ગામડાઓના રસ્તાઓ તે ધોવાઈ ગયા છે. પરિણામે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે સ્થાનિક તંત્રથી લઈને રાજ્ય સરકારની ટીકા થઈ તો સરકારે શહેરોના રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ડની જાહેરાત કરી, સાથે દિવાળી સુધી રસ્તાઓ સારા થઈ જશે તેવી બાંહેધારી આપવામાં આવી છે. છતાં આ દરમિયાન હવે ભાજપના નેતાઓ રસ્તાઓથી માંડી સરકારની વિવિધ પોલીસીને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર બોલતા થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપના 4 નેતાઓએ કાઢ્યો બળાપો

ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે.જાડેજાએ બોપલમાં બિસ્માર રસ્તાઓ અંગે ટ્વિટ કર્યુ તો અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દોડતુ થઈ ગયુ, કલાકોમાં રસ્તાઓનું સમારકામ થઈ ગયુ, પાર્ટીમાં આઈ.કે.જાડેજાને લઈને વિવાદ પણ થયો અને ટીકા પણ થઈ તો આઈ.કે.જાડેજાએ ઔડાની કામગીરીની પણ પોસ્ટ કરી.

તે પછી અમદાવાદમાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ઢીલી નીતિ સામે પોતાનો બળાપો કાઢ્યો, જાહેરમાં સ્વીકાર્યુ કે કોર્પોરેશનના સત્તાધીશો તેમની રજુઆતને પણ સાંભળતા નથી, ત્યારબાદ શનિવારે ભાજપના સૌરાષ્ટ્રના આગેવાન ડો.ભરત કાનાબારે તો મંદીને લઈને કેન્દ્ર સરકારની આલોચના કરી અને સાથે ટ્રાફિક દંડના નવા નિયમોને લઈને પણ સરકાર ઉપર પ્રહારો કર્યા.

હવે રવિવારે પાણી અને પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ જસદણ આટકોટથી રાજકોટ સુધીના રસ્તાઓમાં પડેલા ખાડાઓને લઈને ટ્વિટ કરીને તંત્રની ઢીલી નીતિની પોલ ખોલી નાખી છે.

કોંગ્રેસ ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ

આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આઈ.કે.જાડેજાને લઈને જણાવ્યુ હતુ કે સરકાર સારા કામો કરી રહી છે, આઈ.કે.જાડેજા પાર્ટીના જવાબદાર નેતા છે. વરસાદના કારણે લોકોને નાની મોટી તકલીફ પડી રહી છે પણ હવે સરકાર તરફથી ઝડપી કામગીરી થશે, ચોમાસામાં ડામરને પાણી અડે તો રસ્તો તુટી જાય છે, તે સામાન્ય સાયન્સ છે, જ્યારે જે લોકો ધ્યાન દોરી રહ્યા છે. તેમની ભાવના સારી છે.

આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે રસ્તાઓ ખરાબ ગુણવતાના બન્યા છે, જે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાય છે, તેમને બીજી એજન્સીના નામથી કામ આપવામાં આવે છે. આ ભાજપના ધન સંગ્રહ યોજનાનો ભાગ છે, સરકાર એક વખત રોડ બનાવવા માટે નાણા આપે અને પછી ખાડા પુરવા માટે અલગ નાણા આપે, જેથી બન્નેમાં કટકી થઈ શકે અને આગામી ચૂંટણી માટે નાણા એકત્ર કરી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ હવે પોતાને બચાવવા માંગે છે, કારણ કે તેઓ ટ્વિટ કરીને બતાવવા માંગે છે કે તેઓ જનતાની સાથે છે પણ તંત્ર ઉદાસિન છે. સાથે કેટલાક નેતાઓ તો પાર્ટીની અંદર ચાલતા આંતરિક દ્વંદના કારણે પોતાનો સ્કોર સેટ કરવા માટે પણ ટ્વિટ કરી રહ્યા છે પણ જે રીતે હાલ મંદીની સમસ્યાઓ, બેરોજગારીની સમસ્યા કે રોડ અને રસ્તાની સમસ્યા છે. તેને લઈને પ્રજામાં નારાજગી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો ભાજપના જન પ્રતિનિધિઓ લોકોની સમસ્યા નહી ઉઠાવે, યથાર્થવાદી નહી બને તો જનતા સવાલ કરશે અને તેના માઠા પરિણામો જન પ્રતિનિધીઓને ઉઠાવવા પડે, જેથી તેઓ આમ કરીને પોતાની છાપ પ્રજાલક્ષી બનાવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">