બાયોડિઝલના ગેરકાયદે વેચાણને અટકાવવા સરકારનો આદેશ, પેટ્રોલ પંપ સંચાલકોએ આંદોલન સમેટયું
રાજયમાં બાયો ડિઝલના ગેરકાયદેસર વેચાણને લઇને રૂપાણી સરકારે લાલ આંખ કરી છે. આ મામલે મુખ્યપ્રધાને ઉચ્ચસ્તરીય અધિકારીઓની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં મુખ્યપ્રધાને બાયોડિઝલના ગેરકાયદે વેચાણને અટકાવવા કડક આદેશ આપ્યા છે. સરકારના કડક આદેશને પગલે પેટ્રોલ પંપ સંચાલકોએ વિરોધ આંદોલન સમેટયું છે. વિરોધના પગલે પેટ્રોલ પંપ સંચાલકોએ અઠવાડિયામાં બે દિવસ પેટ્રોલિયમ જથ્થો નહીં […]
રાજયમાં બાયો ડિઝલના ગેરકાયદેસર વેચાણને લઇને રૂપાણી સરકારે લાલ આંખ કરી છે. આ મામલે મુખ્યપ્રધાને ઉચ્ચસ્તરીય અધિકારીઓની બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં મુખ્યપ્રધાને બાયોડિઝલના ગેરકાયદે વેચાણને અટકાવવા કડક આદેશ આપ્યા છે. સરકારના કડક આદેશને પગલે પેટ્રોલ પંપ સંચાલકોએ વિરોધ આંદોલન સમેટયું છે. વિરોધના પગલે પેટ્રોલ પંપ સંચાલકોએ અઠવાડિયામાં બે દિવસ પેટ્રોલિયમ જથ્થો નહીં ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણયને પગલે પેટ્રોલ પંપ સંચાલકોને સંતોષ થયો છે.
આ પણ વાંચો: વડોદરાની કૃષ્ણપાર્ક સોસાયટીમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો