VIDEO: આજે અલંગમાં INS ‘વિરાટ’ને ભાંગવામાં આવશે, વિરાટની અંતિમ ક્ષણો બનશે યાદગાર
ભારતીય નૌસેનામાંથી નિવૃત જહાજ INS ‘વિરાટ’ મુંબઈથી પોતાની છેલ્લી યાત્રા કરી અલંગ પહોંચી ચૂક્યું છે. અને આજે અલંગની શ્રી રામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે ભાંગવામાં આવશે. બપોરે 2 કલાકે દરિયામાં ભરતી સમયે વિરાટ જહાજને ટગ દ્વારા ખેંચીને લવાશે. તો ઐતિહાસિક વિરાટના બિચિંગ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વિરાટ જહાજ ખરીદનાર શિપબ્રેકરે […]
ભારતીય નૌસેનામાંથી નિવૃત જહાજ INS ‘વિરાટ’ મુંબઈથી પોતાની છેલ્લી યાત્રા કરી અલંગ પહોંચી ચૂક્યું છે. અને આજે અલંગની શ્રી રામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે ભાંગવામાં આવશે. બપોરે 2 કલાકે દરિયામાં ભરતી સમયે વિરાટ જહાજને ટગ દ્વારા ખેંચીને લવાશે. તો ઐતિહાસિક વિરાટના બિચિંગ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વિરાટ જહાજ ખરીદનાર શિપબ્રેકરે વિરાટની અંતિમ ક્ષણોને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી છે. વિરાટનું ભંગાણ કામ શરૂ કરતા પહેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી દવે ખાસ ઉપસ્થિત રહેશે. તો નેવીના ઉચ્ચ અધિકારીઓ પણ INS ‘વિરાટ’ને આખરી સલામ આપશે. મહત્વપૂર્ણ છે કે બહુ ઓછા લોકો જાણતા હશે કે આ જહાજ ભારતની પહેલી બ્રિટનની રોયલ નેવીમાં HMS હર્મિસના રૂપમાં 25 વર્ષ સુધી પોતાની સેવા આપી ચુક્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો