જૂનાગઢઃ પતંગ લેવા ગયેલા 12 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત, PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કર્યો
જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નિકળ્યો પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે […]
જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નિકળ્યો પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો