AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાની મિલકતમાં દીકરીનો કેટલો અધિકાર ? જાણો શું કહે છે કાયદો

ભારતમાં સંપત્તિના વિભાજન માટે અલગ-અલગ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં પિતાની બાપ-દાદાની મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકારો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પિતાની મિલકતમાં દીકરીઓનો કેટલો અધિકાર છે ?

પિતાની મિલકતમાં દીકરીનો કેટલો અધિકાર ? જાણો શું કહે છે કાયદો
Property Rights
| Updated on: Jun 23, 2024 | 6:02 PM
Share

તમે અવારનવાર મિલકતને લગતા વિવાદો જોયા હશે. અનેક પરિવારો વચ્ચે ઝઘડા અવારનવાર જોવા મળે છે. ઘણા કિસ્સામાં મામલો કોર્ટ સુધી પહોંચે છે. ભારતમાં પ્રોપર્ટીના વિભાજનને લઈને બનેલા કાયદાઓ વિશે ઘણા લોકો જાણતા નથી. તેથી મોટાભાગના કિસ્સાઓમાં આ વિવાદનું કારણ બને છે. મિલકતની વહેંચણીને લઈને ઘણી વખત પુત્ર-પુત્રી વચ્ચે ઝઘડો થાય છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં સંપત્તિના વિભાજન માટે અલગ-અલગ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં પિતાની બાપ-દાદાની મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકારો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પિતાની મિલકતમાં દીકરીઓનો કેટલો અધિકાર છે ?

પૈતૃક મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકાર

ભારતમાં વર્ષ 1956માં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ઘડવામાં આવ્યો હતો. જે અંતર્ગત મિલકતના વિભાજન અને મિલકત પરના અધિકારોના દાવા અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. અગાઉ આ કાયદા મુજબ પૈતૃક સંપત્તિ પર માત્ર પુત્રોનો જ અધિકાર હતો. પરંતુ વર્ષ 2005માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના પછી દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં પુત્રોની જેમ સમાન અધિકાર મળે છે.

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં કરવામાં આવેલા ફેરફારો હેઠળ, દીકરીના લગ્ન થયા હોય કે ના થયા હોય, દીકરીના છૂટાછેડા થયા હોય તો આ બાબતોથી દીકરીના પ્રોપર્ટીના અધિકારમાં કોઈ ફરક નહીં પડે. એટલે કે પિતાની મિલકત પર પુત્રનો જેટલો અધિકાર છે એટલો જ દીકરીને પણ અધિકાર છે.

પિતા દ્વારા કમાયેલી મિલકત પર કોઈ અધિકાર નથી

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમમાં વર્ષ 2005માં કરાયેલા ફેરફારો હેઠળ પુત્રીને પિતાની પૈતૃક સંપત્તિમાં જ અધિકાર મળે છે એટલે કે જે મિલકત પેઢી દર પેઢીથી ચાલી આવે છે. પરંતુ જે મિલકત પિતાની પોતાની કમાણીની છે. તેના પર દીકરીનો કોઈ અધિકાર નથી. તેમજ આ પ્રકારની મિલકત પરનો કોઈપણ દાવો માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે પિતા જીવતા હોય ત્યાં સુધી પિતાની પોતાની સંપત્તિ પર માત્ર પુત્રી જ નહીં, પુત્રોનો પણ કોઈ અધિકાર નથી.

વસિયતનામું ના હોય તો મિલકત પર સમાન અધિકાર

જો કોઈના પિતા ગુજરી ગયા હોય. પરંતુ વસિયતનામું કરવામાં આવ્યું નથી. તો આ કિસ્સામાં જો મિલકતનો કોઈ કાયદેસર વારસદાર ન હોય તો પુત્રીનો અધિકાર પુત્રના સમાન છે. જો મિલકત પુત્રીને આપવામાં ન આવે તો પુત્રી કોર્ટનો સંપર્ક કરી શકે છે. અને સિવિલ કેસ હેઠળ કેસ દાખલ કરી શકે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">