AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાની મિલકતમાં દીકરીનો કેટલો અધિકાર ? જાણો શું કહે છે કાયદો

ભારતમાં સંપત્તિના વિભાજન માટે અલગ-અલગ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં પિતાની બાપ-દાદાની મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકારો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પિતાની મિલકતમાં દીકરીઓનો કેટલો અધિકાર છે ?

પિતાની મિલકતમાં દીકરીનો કેટલો અધિકાર ? જાણો શું કહે છે કાયદો
Property Rights
| Updated on: Jun 23, 2024 | 6:02 PM
Share

તમે અવારનવાર મિલકતને લગતા વિવાદો જોયા હશે. અનેક પરિવારો વચ્ચે ઝઘડા અવારનવાર જોવા મળે છે. ઘણા કિસ્સામાં મામલો કોર્ટ સુધી પહોંચે છે. ભારતમાં પ્રોપર્ટીના વિભાજનને લઈને બનેલા કાયદાઓ વિશે ઘણા લોકો જાણતા નથી. તેથી મોટાભાગના કિસ્સાઓમાં આ વિવાદનું કારણ બને છે. મિલકતની વહેંચણીને લઈને ઘણી વખત પુત્ર-પુત્રી વચ્ચે ઝઘડો થાય છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં સંપત્તિના વિભાજન માટે અલગ-અલગ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં પિતાની બાપ-દાદાની મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકારો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે પિતાની મિલકતમાં દીકરીઓનો કેટલો અધિકાર છે ?

પૈતૃક મિલકતમાં પુત્ર-પુત્રીના અધિકાર

ભારતમાં વર્ષ 1956માં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ઘડવામાં આવ્યો હતો. જે અંતર્ગત મિલકતના વિભાજન અને મિલકત પરના અધિકારોના દાવા અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. અગાઉ આ કાયદા મુજબ પૈતૃક સંપત્તિ પર માત્ર પુત્રોનો જ અધિકાર હતો. પરંતુ વર્ષ 2005માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના પછી દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં પુત્રોની જેમ સમાન અધિકાર મળે છે.

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં કરવામાં આવેલા ફેરફારો હેઠળ, દીકરીના લગ્ન થયા હોય કે ના થયા હોય, દીકરીના છૂટાછેડા થયા હોય તો આ બાબતોથી દીકરીના પ્રોપર્ટીના અધિકારમાં કોઈ ફરક નહીં પડે. એટલે કે પિતાની મિલકત પર પુત્રનો જેટલો અધિકાર છે એટલો જ દીકરીને પણ અધિકાર છે.

પિતા દ્વારા કમાયેલી મિલકત પર કોઈ અધિકાર નથી

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમમાં વર્ષ 2005માં કરાયેલા ફેરફારો હેઠળ પુત્રીને પિતાની પૈતૃક સંપત્તિમાં જ અધિકાર મળે છે એટલે કે જે મિલકત પેઢી દર પેઢીથી ચાલી આવે છે. પરંતુ જે મિલકત પિતાની પોતાની કમાણીની છે. તેના પર દીકરીનો કોઈ અધિકાર નથી. તેમજ આ પ્રકારની મિલકત પરનો કોઈપણ દાવો માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે પિતા જીવતા હોય ત્યાં સુધી પિતાની પોતાની સંપત્તિ પર માત્ર પુત્રી જ નહીં, પુત્રોનો પણ કોઈ અધિકાર નથી.

વસિયતનામું ના હોય તો મિલકત પર સમાન અધિકાર

જો કોઈના પિતા ગુજરી ગયા હોય. પરંતુ વસિયતનામું કરવામાં આવ્યું નથી. તો આ કિસ્સામાં જો મિલકતનો કોઈ કાયદેસર વારસદાર ન હોય તો પુત્રીનો અધિકાર પુત્રના સમાન છે. જો મિલકત પુત્રીને આપવામાં ન આવે તો પુત્રી કોર્ટનો સંપર્ક કરી શકે છે. અને સિવિલ કેસ હેઠળ કેસ દાખલ કરી શકે છે.

Follow Us
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
રાજકોટમાં 887 કિલો અખાદ્ય ફૂડનો નાશ, 62 એકમોને નોટિસ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
વિરમગામમાં વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હાર્દિક પટેલ લાલઘૂમ
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
સુરતમાં જન્મ-મરણના દાખલા માટે અરજદારોને ધક્કા ખાવા બન્યા મજબુર- Video
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
g clip-path="url(#clip0_868_265)">