AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુદ્રા યોજના હેઠળ ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન, જાણો શું છે નિયમ

PM મુદ્રા યોજના અંતર્ગત ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે, જેમાં પ્રથમ છે શિશુ લોન, જેમાં 50 હજાર રૂપિયા સુધીની લોન અપાય છે. ત્યારબાદ બીજી કિશોર લોન છે, જેમાં 5 લાખ રૂપિયા સુધીની લોન અપાય છે. ત્રીજી અને સૌથી મોટી લોન તરુણ લોન છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. ત્યારે 20 20 લાખ રૂપિયાની લોન કોને આપવામાં આવે છે તેના વિશે આ લેખમાં જાણીશું.

મુદ્રા યોજના હેઠળ ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન, જાણો શું છે નિયમ
PM Mudra Yojna
| Updated on: Aug 03, 2024 | 8:00 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને રૂ.10 લાખ સુધીની લોન આપવા માટે 8 એપ્રિલ, 2015ના રોજ PM મુદ્રા યોજના શરૂ કરી હતી. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે. તેમાંથી પ્રથમ શિશુ લોન છે જેમાં 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્યારબાદ બીજી કિશોર લોન છે, જેમાં 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ત્રીજી અને સૌથી મોટી લોન તરુણ લોન છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે.

ફક્ત આ લોકોને જ મળશે 20 લાખ રૂપિયાની લોન

આ યોજના હેઠળ સરકાર દ્વારા બિઝનેસ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મુદ્રા લોન યોજના હેઠળ લોનની રકમ 10 લાખને બદલે 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. મુદ્રા યોજના હેઠળ કયા લોકો લાભ મેળવી શકતા નથી ? તમને જણાવી દઈએ કે માત્ર એવા લોકોને જ 20 લાખ રૂપિયાની લોન મળી શકે છે. જેમણે અગાઉ લીધેલી તરુણ લોન સમયસર ભરપાઈ કરી છે.

આ લોકોને યોજનાનો લાભ મળતો નથી

યોજના હેઠળ, બિન-ભારતીય નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે, તો તેને પણ આ યોજના માટે પાત્ર માનવામાં આવતા નથી. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જો તમે કોઈપણ પ્રકારના કોર્પોરેટ સેક્ટર માટે મુદ્રા લોન લેવા માંગતા હોવ તો પણ તમને આ લોન નહીં મળે.

તમે આ રીતે અરજી કરી શકો છો

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લેવા માટે અરજદારે સૌ પ્રથમ યોજનાની અધિકૃત વેબસાઇટ mudra.org.in ની મુલાકાત લેવી પડશે. આ પછી લોન પેજ ખુલશે જ્યાં ત્રણેય પ્રકારની લોન, શિશુ, કિશોર અને તરુણ હશે, તમારે તમારી પસંદગી અનુસાર કેટેગરી પસંદ કરવી પડશે. આ પછી તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ દેખાશે, જે ડાઉનલોડ કર્યા પછી તમારે ફોર્મ સંપૂર્ણ રીતે ભરવાનું રહેશે. આ પછી તમારી પાસે તમારા જરૂરી દસ્તાવેજો માંગવામાં આવશે, દસ્તાવેજો આપ્યા પછી, તમારું વેરિફિકેશન કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
g clip-path="url(#clip0_868_265)">