AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ભારતમાં તબાહી મચાવનાર ‘મિચોંગ’ વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યુ ? શું થાય છે તેનો અર્થ ?

ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,તૌકતે, વાયુ, બીરપજોય જેવા વાવાઝોડાના નામો રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ મિચોંગ રાખવામાં આવ્યુ છે. અમે તમને જણાવીશુ કે તેનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું.

દક્ષિણ ભારતમાં તબાહી મચાવનાર 'મિચોંગ' વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યુ ? શું થાય છે તેનો અર્થ ?
| Updated on: Dec 05, 2023 | 2:07 PM
Share

દરેક વાવાઝોડાનું નામ અને તેનો વિશેષ અર્થ હોય છે. હાલમાં ભારત પર મિચોંગ વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યુ છે. તેણે ચેન્નઇમાં તબાહી મચાવી દીધી છે. ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે આખરે આ વાવાઝોડાનું આવુ વિચિત્ર નામ કોણ રાખ્યુ હશે અને તેનો અર્થ શું થાય છે. અમે તેના વિશે તમામ માહિતી આપીશું.

તમને જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને વાવાઝોડાના નામ રાખતા હોય છે. તેના માટે અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.

ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,તૌકતે, વાયુ, બીરપજોય જેવા વાવાઝોડાના નામો રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ મિચોંગ રાખવામાં આવ્યુ છે. અમે તમને જણાવીશુ કે તેનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું.

વાવાઝોડાનું નામ કયા દેશે રાખ્યુ ?

વાવાઝોડા ઓછા દબાણવાળા વિસ્તારની આસપાસ વાતાવરણીય વિક્ષેપને કારણે થતા હોય છે. મિચોંગ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યુ છે. તેનો અર્થ છે તાકાત અને લવચીકતા.

આ વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યું?

મ્યાનમાર દ્વારા આપવામાં આવેલા સૂચનના આધારે આ વાવાઝોડાનું નામ ‘મિચોંગ’ આપવામાં આવ્યું છે. વાવાઝોડું મિચોંગ બંગાળની ખાડીમાં સર્જાયેલુ આ વર્ષનું ચોથું વાવાઝોડું છે અને 2023માં હિંદ મહાસાગરમાં સર્જાયેલુ છઠ્ઠું વાવાઝોડું બનશે.

આ પણ વાંચો- તમને ખબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન યુઝ કરે છે ? એક તસવીરે ખોલી નાખ્યો રાઝ !

ખતરનાક બન્યુ વાવાઝોડું મિચોંગ

વાવાઝોડું મિચોંગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ તમિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમ જિલ્લાની નજીક પવનની ગતિ લગભગ 50-60 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે. તમિલનાડુના દરિયાકાંઠે આ ઝડપ વધુ ઘટશે. મધ્યરાત્રિથી, ‘મિચોંગ ‘ વાવાઝોડું ધીમે ધીમે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે, ત્યારબાદ નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આ સ્થિતિ મંગળવાર સવાર સુધી ચાલુ રહેશે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">