AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ભારતમાં તબાહી મચાવનાર ‘મિચોંગ’ વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યુ ? શું થાય છે તેનો અર્થ ?

ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,તૌકતે, વાયુ, બીરપજોય જેવા વાવાઝોડાના નામો રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ મિચોંગ રાખવામાં આવ્યુ છે. અમે તમને જણાવીશુ કે તેનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું.

દક્ષિણ ભારતમાં તબાહી મચાવનાર 'મિચોંગ' વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યુ ? શું થાય છે તેનો અર્થ ?
| Updated on: Dec 05, 2023 | 2:07 PM
Share

દરેક વાવાઝોડાનું નામ અને તેનો વિશેષ અર્થ હોય છે. હાલમાં ભારત પર મિચોંગ વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યુ છે. તેણે ચેન્નઇમાં તબાહી મચાવી દીધી છે. ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે આખરે આ વાવાઝોડાનું આવુ વિચિત્ર નામ કોણ રાખ્યુ હશે અને તેનો અર્થ શું થાય છે. અમે તેના વિશે તમામ માહિતી આપીશું.

તમને જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને વાવાઝોડાના નામ રાખતા હોય છે. તેના માટે અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.

ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,તૌકતે, વાયુ, બીરપજોય જેવા વાવાઝોડાના નામો રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ મિચોંગ રાખવામાં આવ્યુ છે. અમે તમને જણાવીશુ કે તેનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું.

વાવાઝોડાનું નામ કયા દેશે રાખ્યુ ?

વાવાઝોડા ઓછા દબાણવાળા વિસ્તારની આસપાસ વાતાવરણીય વિક્ષેપને કારણે થતા હોય છે. મિચોંગ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યુ છે. તેનો અર્થ છે તાકાત અને લવચીકતા.

આ વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યું?

મ્યાનમાર દ્વારા આપવામાં આવેલા સૂચનના આધારે આ વાવાઝોડાનું નામ ‘મિચોંગ’ આપવામાં આવ્યું છે. વાવાઝોડું મિચોંગ બંગાળની ખાડીમાં સર્જાયેલુ આ વર્ષનું ચોથું વાવાઝોડું છે અને 2023માં હિંદ મહાસાગરમાં સર્જાયેલુ છઠ્ઠું વાવાઝોડું બનશે.

આ પણ વાંચો- તમને ખબર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન યુઝ કરે છે ? એક તસવીરે ખોલી નાખ્યો રાઝ !

ખતરનાક બન્યુ વાવાઝોડું મિચોંગ

વાવાઝોડું મિચોંગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ તમિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમ જિલ્લાની નજીક પવનની ગતિ લગભગ 50-60 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે. તમિલનાડુના દરિયાકાંઠે આ ઝડપ વધુ ઘટશે. મધ્યરાત્રિથી, ‘મિચોંગ ‘ વાવાઝોડું ધીમે ધીમે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે, ત્યારબાદ નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આ સ્થિતિ મંગળવાર સવાર સુધી ચાલુ રહેશે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">