AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga Predictions: વાવાઝોડાને લઈ સાચી સાબિત થઈ છે આ આગાહી! જાણો બાબા વેંગાની આ ભવિષ્યવાણી

બાબા વેંગાએ પણ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું બાબા વેંગાની બાકીની ભવિષ્યવાણીઓ પણ સાચી સાબિત થશે? જો આમ થશે તો પૃથ્વી પર આપત્તિ આવી શકે છે.

Baba Vanga Predictions: વાવાઝોડાને લઈ સાચી સાબિત થઈ છે આ આગાહી! જાણો બાબા વેંગાની આ ભવિષ્યવાણી
Baba Vanga Predictions 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 2:13 PM
Share

Baba Vanga Predictions: આખી દુનિયા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. ભવિષ્યવક્તા બાબા વેંગાનું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું, જે બલ્ગેરિયાની મહિલા ફકીર હતી. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની જતી રહી હતી. 11 ઓગસ્ટ 1996ના રોજ 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી.

આ પણ વાંચો: Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

બાબા વેંગાએ સોવિયત સંઘનું વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11ના હુમલા, ISISનો ઉદય સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે બિલકુલ સાચી સાબિત થઈ. બાબા વેંગાએ વિશ્વના અંતથી લઈને યુદ્ધ અને આપત્તિ સુધીની આગાહીઓ કરી હતી. બાબા વેંગાએ પણ વર્ષ 2023 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું બાબા વેંગાની બાકીની ભવિષ્યવાણીઓ પણ સાચી સાબિત થશે? જો આમ થશે તો પૃથ્વી પર આપત્તિ આવી શકે છે.

શું છે બાબા વેંગાની ભવિષ્યવાણી

બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2023માં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. તેની સાથે પરમાણુ હુમલો પણ થઈ શકે છે, જેના કારણે પૃથ્વી પર તબાહી મચી શકે છે. આ ઉપરાંત, તેમણે આગાહી કરી હતી કે વર્ષ 2023 માં, એક મોટી ખગોળીય ઘટના બનશે અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. આના કારણે પર્યાવરણમાં પરિવર્તન આવશે, જેના કારણે પૃથ્વીને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2023માં વૈજ્ઞાનિકો કેટલીક અનોખી શોધ કરશે. તેનાથી સંતાન પ્રાપ્તિની કુદરતી રીતો સમાપ્ત થઈ જશે. વૈજ્ઞાનિકોની આ શોધ બાદ લેબમાં બાળકોનો જન્મ થશે. માતા-પિતા તેમનું લિંગ અને રંગ નક્કી કરશે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે એક દેશ જૈવિક હથિયારોથી હુમલો કરશે, જેમાં હજારો લોકોના મોત થશે. તેમણે આ વર્ષને દુર્ઘટના ગણાવ્યું છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે આ વર્ષે ભયાનક યુદ્ધ થશે અને સૌર સુનામી આવશે.

બાબા વેંગાની આગાહી મુજબ આ વર્ષે વિશ્વના ઘણા ભાગોમાં ભારે તોફાન આવવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે સૌર તોફાન પણ આવી શકે છે. આ તોફાનના કારણે અનેક ખતરનાક કિરણો પૃથ્વી પર પડશે. આ જીવન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ તોફાન વિનાશનું કારણ બની શકે છે.

બાબા વેંગાની આગાહી મુજબ આ વર્ષે એલિયન્સ પૃથ્વી પર હુમલો કરી શકે છે. આ હુમલામાં લાખો લોકોના મોત થઈ શકે છે. તેમણે ભારતમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી હતી. તેમણે આગાહી કરી હતી કે પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થઈ શકે છે. તેનાથી સમગ્ર વિશ્વમાં ઝેરી વાદળો ફેલાઈ શકે છે. જેના કારણે સમગ્ર એશિયા ખંડમાં અંધકાર છવાઈ જશે. તેનાથી લાખો લોકોને ગંભીર બીમારી થઈ શકે છે. આ સિવાય બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023માં એશિયા મહાદ્વીપમાં પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થઈ શકે છે. તેની અસર ભારત પર પણ પડી શકે છે.

આ આગાહીઓ સાચી પડી છે

ભારતમાં કમોસમી વરસાદની બાબા વેંગાની આગાહી સાચી સાબિત થઈ છે. આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં કમોસમી વરસાદ થયો હતો. બાબા વેંગાની સૌર તોફાનની ભવિષ્યવાણી પણ સાચી પડી છે. વૈજ્ઞાનિકોએ સૂર્યમાં પૃથ્વી કરતા 20 ગણો મોટો છિદ્ર શોધી કાઢ્યો છે, જેના કારણે બહાર આવતા રેડિયેશનની ખતરનાક અસર પડી છે. બાબા વેંગાની આગાહી મુજબ આ વર્ષે તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. આમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">