Railway Facts : ટ્રેનની ટાંકીમાં કેટલા લિટર ડિઝલ ભરાય? માઇલેજ જાણીને ચોંકી જશો, જુઓ Video
ભારતીય રેલવેની ટ્રેન ડીઝલ ટાંકીમાં કેટલી ક્ષમતા હોય છે અને તેનું માઇલેજ શું છે, તે એક સામાન્ય પ્રશ્ન છે. આ લેખમાં, અમે વિવિધ પ્રકારના ડીઝલ લોકોમોટિવ્સની ટાંકી ક્ષમતા અને ટ્રેન માઇલેજને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું.
Railway Facts : ભારતમાં ટ્રેન મુસાફરી દરમિયાન આપણે ઘણી રસપ્રદ અને અજાણી બાબતો જોઈ હોય છે. પ્લેટફોર્મ પરના પીળા બોર્ડથી લઈને ટ્રેક પાસેના કાળા બોક્સ સુધી, દરેક વસ્તુ પાછળ કોઈ ખાસ કારણ હોય છે. ટ્રેનના આંતરિક ભાગમાં પણ અનેક એવી વિગતો હોય છે, જેના વિશે સામાન્ય રીતે લોકોને વધારે જાણ નથી. આ બધામાં એક સવાલ લોકોના મનમાં વારંવાર ઉઠે છે – ટ્રેનની ટાંકીમાં કેટલું ડીઝલ હોય છે અને તેનું માઇલેજ કેટલું હોય છે?
ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી રેલવે નેટવર્કમાંની એક છે અને દરરોજ હજારો ટ્રેનોનું સંચાલન કરે છે. છેલ્લા થોડા વર્ષોમાં રેલવેએ વિદ્યુતીકરણ, નવી ટ્રેનો લોન્ચ કરવી અને ટ્રેક અપગ્રેડ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વંદે ભારત અને અમૃત ભારત જેવી આધુનિક ટ્રેનો એ તેની સિદ્ધિઓના ઉદાહરણ છે.
હવે વાત કરીએ ટ્રેનની ડીઝલ ટાંકી વિશે. ટ્રેનમાં કેટલું ડીઝલ હોય છે તે તેના લોકોમોટિવ (એન્જિન)ના પ્રકાર પર આધાર રાખે છે. ભારતમાં વિવિધ પ્રકારના ડીઝલ લોકોમોટિવનો ઉપયોગ થાય છે, તેથી ટાંકીની ક્ષમતા પણ અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે, એક પેસેન્જર ટ્રેનના લોકોમોટિવમાં લગભગ 6,100 લિટર ડીઝલ સમાઈ શકે છે. જ્યારે જૂના એન્જિનોમાં આ ક્ષમતા લગભગ 5,000 લિટર જેટલી હોય છે. માલગાડીઓના લોકોમોટિવમાં સામાન્ય રીતે 6,000 લિટર આસપાસ ડીઝલ ભરાય છે.
ટ્રેનના માઇલેજની વાત કરીએ તો, તે ઘણા પરિબળો પર નિર્ભર કરે છે. જેમ કે ટ્રેનમાં ભરેલો વજન, ગતિ, ટ્રેકની ઢાળ અને રૂટની પરિસ્થિતિ. સામાન્ય રીતે, એક પેસેન્જર ટ્રેનને 1 કિલોમીટર ચાલવા માટે અંદાજે 4 થી 6 લિટર ડીઝલની જરૂર પડે છે. એટલે કે, એક સંપૂર્ણ ટાંકી સાથે ટ્રેન ઘણી વાર સોંથી લઈને 1,000 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
આ રેલવે સ્ટેશન પર દરરોજ ટિકિટ ખરીદે છે લોકો, પરંતુ ટ્રેનમાં નથી બેસતા, જાણો કારણ

