પાકિસ્તાન સામે ભારત લડી રહ્યુ છે 2 યુદ્ધ, સશસ્ત્ર યુદ્ધ અને સોશિયલ મીડિયા યુદ્ધ, જાણો કેવી રીતે ભારતને ખોખલુ બનાવવા માગે છે પાકિસ્તાન
પાકિસ્તાન દ્વારા એક પછી એક ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન, મિસાઇલ અને ગોળીબારીથી વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે ભારતે પાકિસ્તાનના તમામ હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા છે. જો કે આ સ્થિતિમાં એ વાત પણ છે કે ભારત પાકિસ્તાન સાથે માત્ર એક જ નહીં પરંતુ બે યુદ્ધ લડી રહ્યુ છે. જેમાંથી એક છે હથિયારો સાથેનું યુદ્ધ અને બીજુ છે સોશિયલ મીડિયા યુદ્ધ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયુ છે. પાકિસ્તાન દ્વારા એક પછી એક ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન, મિસાઇલ અને ગોળીબારીથી વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે ભારતે પાકિસ્તાનના તમામ હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા છે. જો કે આ સ્થિતિમાં એ વાત પણ છે કે ભારત પાકિસ્તાન સાથે માત્ર એક જ નહીં પરંતુ બે યુદ્ધ લડી રહ્યુ છે. જેમાંથી એક છે હથિયારો સાથેનું યુદ્ધ અને બીજુ છે સોશિયલ મીડિયા યુદ્ધ.
ભારતીય સેનાએ કર્યો ખુલાસો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે અફઘાનિસ્તાન પર મિસાઇલ હુમલો કર્યો છે, પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો હતો. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં શોફિયા કુરેશીએ ખુલાસો કર્યો કે પાકિસ્તાને આ જુઠ્ઠાણું ફેલાવ્યુ છે.
જુઠ્ઠાણું ફેલાવવા પાછળ છે ખાસ કારણ
પાકિસ્તાનનું આ જુઠ્ઠાણુ ફેલાવવા પાછળનું કારણ એ છે કે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે સંબંધ ખરાબ થઇ જાય. જેથી પાકિસ્તાનના ઉત્તરમાં આવેલા ખૈબર પખ્તુન રાજ્યમાં જે અફઘાન વિદ્રોહી લોકો ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન વિરુદ્ધ અને ભારતના સમર્થનમાં લડવાની તૈયારી કરી ચુક્યા છે. એ ભારત વિરુદ્ધ થઇ જાય.
એ જાણવુ જરુરી છે કે પાકિસ્તાનના 4 રાજ્યોમાંથી 2 રાજ્ય બલુચિસ્તાન અને ખૈબર પખ્તુન્ખા છે. આ બંને જગ્યાએ આઝાદીની લડાઇ માટે સ્થાનિક લોકો હથિયારોથી લડે છે. પાકિસ્તાનને આ બંને રાજ્યોને ખોવાનો ડર છે. સાથે જ તેને Pokને ખોવાનો પણ ડર છે.
પાકિસ્તાન ઇચ્છે છે તેની જનતાની સહાનુભૂતિ
પાકિસ્તાન સોશિયલ મીડિયાથી ભારત સામે જુઠ્ઠાણા ફેલાવી રહ્યુ છે. પાકિસ્તાન સોશિયલ મીડિયામાં ભારત વિરુદ્ધ ન્યૂઝ ફેલાવીને પાકિસ્તાનની જનતા પાસેથી સહાનુભૂતિ મેળવવા માગે છે. જેથી તેને જો IMF પાસેથી લોન ન મળે, તો પણ તે પોતાની પ્રજા પાસેથી સહાનુભૂતિ મેળવીને નાણાં ઉઘરાવી શકે. પાકિસ્તાન માત્ર પાકિસ્તાનમાં જ આ ફેક ન્યૂઝ નથી ચલાવી રહ્યુ, તે તેના આ જુઠ્ઠાણા ભારતમાં પણ ફેલાવી રહ્યુ છે. જેથી ભારતમાં રહેલા તેના કેટલાક સમર્થકોને ભારત સરકાર વિરુદ્ધ ભડકાવી શકે અને વિરોધનો માહોલ ઊભો કરી શકે.
1971માં બની હતી આવી જ એક ઘટના
ભારત હાલમાં પાકિસ્તાન સામે આ બંને પ્રકારના યુદ્ધ લડી રહ્યુ છે. પાકિસ્તાન સાથે આ જુઠ્ઠાણાઓનું યુદ્ધ આજથી નહીં, પરંતુ વર્ષો પહેલાથી ચાલી રહ્યુ છે. જ્યારે 1971માં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો. 3 ડિસેમ્બર, 1971ના રોજ ભારતીય વાયુસેનાના 11 સ્ટેશનો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ પછી ભારતીય સેના પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશના સ્વતંત્રતા યુદ્ધમાં સીધી જોડાઈ. આ કારણે, બાંગ્લાદેશનો સ્વતંત્રતા સંગ્રામ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ફેરવાઈ ગયો. આ સમયે પાકિસ્તાનામાં ચાલતા અંગ્રેજી ભાષાના અખબાર The Dawnમાં પણ ઘણા જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા હતા. આ અખબારમાં યુદ્ધની જીત ભારત તરફેણમાં હોવા છતા તેમાં હંમેશા પાકિસ્તાનની તરફેણમાં Victory in all Front જ લખવામાં આવતુ હતુ. તે પાકિસ્તાનનું સૌથી મોટું અંગ્રેજી અખબાર હતુ.
વર્ષો પહેલાથી ચાલે છે આ યુદ્ધ
જો કે ભારતે પણ આવી જ માત્ર એક જાણકારીથી પાકિસ્તાનના 90,000થી વધુ સૈનિકોને ઘૂંટણિયે લાવી દીધા હતા. ભારતીય આર્મીએ બાંગ્લાદેશમાં તેની સેનાને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને હાલના પાકિસ્તાનને બાંગ્લાદેશમાં જે સૈનિકો હતા તેમની સાથે સંપર્ક થવા દીધો ન હતો. ત્યાં એવો માહોલ બનાવી દેવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશને લાગ્યુ કે હવે તેમની મદદ માટે હવે પાકિસ્તાનમાંથી કોઇ આવવાનું નથી. જે પછી બાંગ્લાદેશ (તે સમયના પાકિસ્તાન)ના 90,000થી વધુ સૈનિકોએ સરેન્ડર કરી દીધુ હતુ. માત્ર 13 દિવસમાં આ સૈનિકોને ઘૂંટણિયે લાવી દેવામાં આવ્યા હતા.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.