બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે હતું ગુલામ, જાણો કોનું હતું રાજ

ઇતિહાસમાં અનેક દેશોને ગુલામ બનાવનાર બ્રિટન પોતે એક સમયે ગુલામ હતું. આ સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ હકીકત છે. બ્રિટન પણ એક સમયે ગુલામ હતું. ત્યારે આ લેખમાં બ્રિટન ક્યારે ગુલામ હતું અને બ્રિટન પર કોનું રાજ હતું તેના વિશે વિસ્તારથી જાણીશું.

બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે હતું ગુલામ, જાણો કોનું હતું રાજ
Britain
Follow Us:
| Updated on: Aug 04, 2024 | 6:02 PM

ગુલામી એટલે કે જ્યારે કોઈ દેશ પોતાના અધિકારો અને સ્વતંત્રતા ગુમાવે છે અને બીજા દેશના નિયંત્રણ હેઠળ આવી જાય છે. વિશ્વમાં બ્રિટિશ સામ્રાજ્ય એવું છે કે જેણે મોટાભાગના દેશો પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. ત્યારે જો કોઈ તમને કહે કે આ બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે ગુલામ હતું. તો તમને આ સાંભળીને નવાઈ લાગશે. પરંતુ આ હકીકત છે. બ્રિટન પણ એક સમયે ગુલામ હતું. ત્યારે આ લેખમાં બ્રિટન ક્યારે ગુલામ હતું અને બ્રિટન પર કોનું રાજ હતું તેના વિશે વિસ્તારથી જાણીશું.

બ્રિટન પણ એક સમયે હતું ગુલામ

ઇતિહાસમાં અનેક દેશોને ગુલામ બનાવનાર બ્રિટન પોતે એક સમયે ગુલામ હતું. ઈ.સ. પૂર્વે પ્રથમ સદીમાં રોમનોએ બ્રિટન પર આક્રમણ કર્યું હતું. જુલિયસ સીઝરએ ઈ.સ. પૂર્વે 55-54માં બ્રિટન પર આક્રમણ કર્યું, પરંતુ ઈ.સ. 43માં સમ્રાટ ક્લાઉડિયસના શાસન દરમિયાન સંપૂર્ણ કબજો કર્યો હતો.

રોમનોએ લગભગ 400 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યું. આ સમય દરમિયાન તેમણે ત્યાંની સંસ્કૃતિ અને જીવનશૈલીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા. રોમનોએ રસ્તાઓ, શહેરો અને લશ્કરી કિલ્લાઓ બનાવ્યા અને ત્યાંના આદિવાસીઓને તેમના નિયમો અને સંસ્કૃતિમાં અનુકૂલન કરવાનો પ્રયાસ કર્યો. બ્રિટન કે જેણે વિશ્વમાં ઘણા દેશોને ગુલામ બનાવ્યા, તે પોતે એક સમયે રોમનોનું ગુલામ હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

બ્રિટન પર કોનું હતું રાજ ?

બ્રિટનનો ઈતિહાસ ઘણો જૂનો અને જટિલ છે, જેમાં વિવિધ આક્રમણકારો અને શાસકોએ અલગ-અલગ સમયગાળામાં તેના પર શાસન કર્યું છે.

રોમન સામ્રાજ્ય (ઈ.સ. 43થી ઈ.સ. 410)

સમ્રાટ ક્લાઉડિયસના શાસન દરમિયાન ઈ.સ. 43માં રોમનોએ બ્રિટન પર વિજય મેળવ્યો હતો. રોમનોનું બ્રિટન પર શાસન એક મહત્વપૂર્ણ અને ખૂબ જ અસરકારક સમયગાળો હતો. રોમનોએ લગભગ 400 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યું અને આ સમય દરમિયાન તેઓએ તેની સંસ્કૃતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વહીવટમાં નોંધપાત્ર ફેરફારો કર્યા હતા.

ઇ.સ. 122માં સમ્રાટ હડ્રિઅનના શાસન દરમિયાન હડ્રિઅન વોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ દીવાલને રોમન બ્રિટનની ઉત્તર સીમાની સુરક્ષા માટે બાંધવામાં આવી હતી. રોમનો તેમની સાથે તેમની સ્થાપત્ય કલા, કાયદા, અને જીવનશૈલી લાવ્યા હતા. ઠેર ઠેર રોમન શૈલીના ઘરો, સ્નાનાગાર અને મકાન બનાવવામાં આવ્યા. રોમનો દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ, પુલો અને બાંધકામો હજી પણ બ્રિટનમાં જોવા મળે છે.

ચોથી સદીના અંતમાં રોમન સામ્રાજ્યના અમુક ભાગના પતનના કારણે રોમન લશ્કર બ્રિટનમાંથી હટાવવામાં આવ્યું અને રોમન શાસનનો અંત આવ્યો.

એંગ્લો-સેક્સન (5મી સદીથી 11મી સદી)

એંગ્લો-સેક્સનનું બ્રિટન પર શાસન 5મી સદીથી શરૂ થયું અને 11મી સદીમાં નોર્મન વિજય સુધી ચાલ્યું. આ સમયગાળા દરમિયાન, બ્રિટનમાં મહત્વપૂર્ણ સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક ફેરફારો થયા. રોમન સામ્રાજ્યના પતન પછી એંગ્લો-સેક્સન ટ્રાયબ્સે બ્રિટન પર કબજો કર્યો. આ જાતિઓ મુખ્યત્વે જર્મન મૂળની હતી. જેમ કે એન્ગ્લસ, સેક્સનસ, અને જૂટ્સે. આ જાતિઓેએ બ્રિટનના વિવિધ ભાગોમાં નાના સામ્રાજ્યો સ્થાપ્યા હતા.

આ સમયગાળા દરમિયાન બ્રિટનને વિવિધ કિંગડમ્સમાં વિભાજિત કરવામાં આવ્યું, જેમ કે વેસેક્સ, મર્સિયા, નર્થંબ્રિયા, અને ઇસ્ટ એંગ્લિયા. આ કિંગડમ્સ વચ્ચે ઘણીવાર વિવાદ અને યુદ્ધો થતા હતા. કિંગડમના રાજાઓના નેતૃત્વ હેઠળ, કાયદા અને શાસન પદ્ધતિઓને વિકસાવવામાં આવી. સેક્સોન કાયદાઓ અને લોકસાહિત્યના નિયમો એંગ્લો-સેક્સોન સમયગાળામાં મહત્વપૂર્ણ હતા.

1066માં વિલિયમ ધ કોન્કરરે હેસ્ટિંગ્સના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને નોર્મન સામ્રાજ્યની સ્થાપના કરી. નોર્મન વિજય બાદ એંગ્લો-સેક્સોન શાસનનો અંત આવ્યો.

વાઇકિંગ્સ (8મી સદીથી 11મી સદી)

વાઇકિંગ્સનું બ્રિટન પર શાસન 8મી સદીથી 11મી સદીની શરૂઆત સુધીનો સમયગાળો છે. આ દરમિયાન વાઇકિંગ્સે બ્રિટન પર ઘણી વખત આક્રમણ કર્યું અને કેટલાક વિસ્તારો કબજે કર્યા. તેમણે નોર્સ અને ડેનિશ ક્ષેત્રોમાં વસવાટ કર્યો અને બ્રિટનના વિવિધ ભાગોમાં કબજો મેળવ્યો. તેમણે ખાસ કરીને ઉત્તર અને પૂર્વી ઈંગ્લેન્ડમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો હતો.

10મી સદીના અંતમાં અને 11મી સદીના આરંભમાં એંગ્લો-સેક્સોન રાજાઓએ વાઇકિંગ્સના પ્રભાવને ખતમ કરવાનું શરૂ કર્યું. સામ્રાજ્યના પુનઃસ્થાપન માટે લડાઈઓ થઈ અને રાજકીય સંસ્થાઓને ફરીથી સ્થાપિત કરવામાં આવી. 1066માં હેસ્ટિંગની લડાઈમાં વિલિયમ ધ કોનકરર દ્વારા નોર્મન વિજય થયો. આ વિજય પછી નોર્મનોએ બ્રિટન પર શાસન સ્થાપવું શરૂ કર્યું, જેમાં વાઇકિંગ્સના શાસનની સમયગાળાનો અંત આવ્યો.

નોર્મન શાસન (1066)

1066માં નોર્મેન્ડીના ડ્યુક વિલિયમ (વિલિયમ ધ કોન્કરર) એ ઈંગ્લેન્ડ પર આક્રમણ કર્યું અને હેસ્ટિંગ્સના યુદ્ધમાં જીત મેળવી. આ પછી તેણે ઈંગ્લેન્ડમાં નોર્મન શાસન સ્થાપ્યું. નોર્મનનું બ્રિટન પર શાસન 1066માં હેસ્ટિંગની લડાઈ બાદ શરૂ થયું અને 12મી સદીના મધ્ય સુધી ચાલ્યું હતું. નોર્મન શાસન બ્રિટનની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે મહત્વપૂર્ણ પડાવ હતો, જેનો પ્રભાવ આજના બ્રિટિશ સમાજ, રાજકીય સ્થિતિ અને ભાષા પર સ્પષ્ટ રીતે દેખાય છે.

નોર્મન શાસન બાદ પ્લાન્ટાજેનેટ, ટ્યુડર અને સ્ટુઅર્ટ રાજવંશોએ બ્રિટન પર શાસન કર્યું. હેનરી VIII અને એલિઝાબેથ I જેવા ટ્યુડર શાસકોએ બ્રિટનને શક્તિશાળી બનાવ્યું. આ ઉપરાંત બ્રિટન પર ડેનમાર્ક અને નોર્વેના શાસકો દ્વારા પણ થોડા સમય માટે શાસન કરવામાં આવ્યું હતું. આ દરેક શાસન દરમિયાન બ્રિટનની સંસ્કૃતિ, ભાષા અને સામાજિક બંધારણમાં નોંધપાત્ર ફેરફારો થયા, આ સુધારાઓએ બ્રિટનને આધુનિક આકાર આપવામાં મદદ કરી.

બ્રિટિશ સામ્રાજ્ય

બ્રિટિશ સામ્રાજ્ય, જે 16મી સદીના અંતથી શરૂ થઈને 20મી સદીના મધ્ય સુધીનો સમયગાળો આવરી લે છે, વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યોમાંથી એક હતું. બ્રિટીશ સામ્રાજ્ય એક ઐતિહાસિક અને વૈશ્વિક સામ્રાજ્ય હતું. આ સમયગાળા દરમિયાન બ્રિટને એક વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું જેમાં અનેક ખંડોના દેશોનો સમાવેશ થતો હતો.

બ્રિટીશ સામ્રાજ્યનો વિકાસ 16મી સદીમાં શરૂ થયો હતો, જ્યારે બ્રિટને ઉત્તર અમેરિકા અને કેરિબિયનમાં વસાહતો સ્થાપી. સર ફ્રાન્સિસ ડ્રેક અને અન્ય અન્વેષકોએ સમુદ્રી માર્ગોની શોધ કરી અને બ્રિટન માટે નવા વિસ્તારોનો દાવો કર્યો.

18મી સદીમાં બ્રિટીશ સામ્રાજ્યનું વિસ્તરણ ઝડપથી થયું. અમેરિકા, કેરિબિયન, આફ્રિકા અને ભારતમાં બ્રિટને વસાહતો સ્થાપી. 1757ની પ્લાસીની લડાઈ પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં મહત્વપૂર્ણ વિસ્તારો પર કબજો કર્યો હતો.

નેપોલિયનના યુદ્ધો પછી બ્રિટને ઘણી ફ્રેન્ચ અને ડચ વસાહતો પર કબજો કર્યો. 19મી સદીમાં બ્રિટીશ સામ્રાજ્યનો સૌથી વધુ વિસ્તરણ થયું. આ સમયે આફ્રિકા અને એશિયામાં પણ બ્રિટને અનેક નવી વસાહતો સ્થાપી હતી.

પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યનુ પતન શરૂ થયું. કોલોનિયાલિસ્ટ રાષ્ટ્રો અને સ્વતંત્રતા માટેની લડાઈઓ વધતી ગઈ. 1947માં ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયા અને બ્રિટિશ સામ્રાજ્યનો મુખ્ય ભાગ વિખરાયો. 1960ના દાયકામાં અને 1970ના દાયકામાં બ્રિટિશ સામ્રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે આફ્રિકા અને કેરેબિયનને પણ સ્વતંત્ર થયા. બ્રિટિશ સામ્રાજ્યનું પતન એ વિશ્વના ઐતિહાસિક અને આર્થિક પૃષ્ઠભૂમિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર બતાવે છે, જેનાથી વૈશ્વિક રાજકીય અને સામાજિક પદ્ધતિઓ પર લાંબા ગાળાની અસર જોવા મળી છે.

આ પણ વાંચો ઈલેક્ટ્રિક વાહનોમાં આગ કેમ લાગે છે ? જાણો શું છે કારણ

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">