AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોર્વે, સ્વીડન જેવા ઘણા યુરોપિયન દેશોમાં વરુઓને શા માટે ‘મારવામાં આવે છે’ ? જાણો તેની પાછળ શું છે કારણ

સંરક્ષણવાદીઓને ડર છે કે જો વરુઓની આવી હત્યાઓ ચાલુ રહેશે, તો વરુઓની વસ્તી ટૂંક સમયમાં ઘટશે અને આ પ્રાણીઓ લુપ્ત થવાના આરે આવી જશે.

નોર્વે, સ્વીડન જેવા ઘણા યુરોપિયન દેશોમાં વરુઓને શા માટે 'મારવામાં આવે છે' ? જાણો તેની પાછળ શું છે કારણ
Wolf ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:13 AM
Share

ઘણા યુરોપિયન દેશો જેવા કે ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડન વરુની વસ્તીને (Wolves Population in Europe) નિયંત્રિત કરવા માટે વરુઓને મારી રહ્યા છે. સ્વીડનમાં શિકારીઓએ તેમના વાર્ષિક લક્ષ્યાંક કરતાં વધતા 27 વરુઓને ઠાર કર્યા છે. ફિનલેન્ડે તેના પ્રથમ ‘પોપ્યુલેશન મેનેજમેન્ટ હન્ટ’ના ભાગરૂપે 20 વરુઓને મારવાની મંજૂરી આપી છે. વન્યજીવ જૂથોનું કહેવું છે કે સ્વીડનમાં વર્ષ 2020-21 માટે વરુઓની સંખ્યા 395 હોવાનું કહેવાતું હતું, જે હવે ઘટાડીને 300 કરી દેવામાં આવ્યું છે.

એક વન્યજીવ એનજીઓના પ્રમુખે જણાવ્યું હતું કે સ્વીડને યુરોપિયન યુનિયનને (European Union) વચન આપ્યું છે કે તેની વરુની વસ્તી 300થી ઓછી નહીં હોય. જ્યારે આ સંખ્યા લઘુત્તમ છે. યુરોપિયન યુનિયનને કહ્યું છે કે, 300 બહુ નાની સંખ્યા છે. સ્વીડનમાં 1000 થી વધુ વરુઓને રાખવાની ક્ષમતા છે. બીજી તરફ નોર્વે આ શિયાળામાં તેના 60 ટકા વરુઓને મારી નાખશે. નોર્વેમાં દેશના પાંચ ટકા વિસ્તારને વરુ સંરક્ષણ વિસ્તાર માનવામાં આવે છે. આ પછી પણ આ શિયાળામાં સંરક્ષણ ક્ષેત્રની અંદર 25 વરુઓને મારી નાખવામાં આવશે.

પરિસ્થિતિને ગણાવી હતી ભયાનક

કેટલાક સંરક્ષણ જૂથોએ યુરોપિયન યુનિયનને સામૂહિક કતલ સામે પગલાં લેવા વિનંતી કરી છે. સંરક્ષણવાદીઓએ આ દેશો પર પશ્ચિમ યુરોપમાં વરુઓ માટે પ્રતિકૂળ વાતાવરણ બનાવવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એક પ્રાણી અધિકાર જૂથના મુખ્ય કાર્યકારી સિરી માર્ટિન્સને કહ્યું કે તે એક ભયાનક સ્થિતિ છે. નોર્વેમાંવરુનું સંચાલન નિયંત્રણની બહાર છે અને તેઓ માત્ર વરુઓને ગોળીબાર કરી રહ્યા છે કારણ કે કેટલાક લોકો તેમને પસંદ નથી કરતા. આ ખૂબ જ અપમાનજનક છે. પ્રજાતિને અત્યંત જોખમી સ્તરે રાખવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

અન્ય દેશો પાસેથી હસ્તક્ષેપની માંગ કરી છે

ફિનલેન્ડ અને સ્વીડનમાં વન્યજીવ જૂથોએ યુરોપિયન કમિશન અને યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસને વરુઓને ગેરકાયદેસર જાહેર કરવા અપીલ કરી છે. પરંતુ બંને દેશોની સરકારો સુનિશ્ચિત કરી રહી છે કે આવી હત્યાઓને કાયદા દ્વારા મંજૂરી આપવામાં આવે. સંરક્ષણવાદીઓએ અન્ય યુરોપિયન દેશોને આ હત્યા રોકવા માટે દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. વાસ્તવમાં, સંરક્ષણવાદીઓને ડર છે કે જો વરુઓની હત્યા આ રીતે ચાલુ રહેશે, તો ટૂંક સમયમાં વરુઓની વસ્તી ઘટશે અને આ પ્રાણીઓ લુપ્ત થવાની આરે પહોંચી જશે.

આ પણ વાંચો : અમીર વિદેશીઓને ફસાવવા પાકિસ્તાને કરી લીધી તૈયારી, આટલા લાખમાં વેચી રહ્યા છે નાગરિકતા

આ પણ વાંચો : USA : ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરનારની ધરપકડ, તેની પાઘડી સાથે પણ કરી હતી છેડછાડ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">