ભાગેડુું વિજય માલ્યા થાકી ગયો ભાગતાં-ભાગતાં, પહેલા અકડ બતાવનાર માલ્યા હવે કરી રહ્યો છે PM મોદીને આ અપીલ
ભારતના પ્રથમ જાહેર થયેલા ભાગેડુ આર્થિક ગુનેગાર અને લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે. TV9 Gujarati વિજય માલ્યાએ પહેલો સવાલ એ કર્યો છે કે પીએમ મોદી બૅંકોને આ નિર્દેશ કેમ નથી આપતા કે તે મારો રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ સ્વીકાર કરે કે જેથી જનતાની તે રકમની રિકવરી થઈ શકે […]

ભારતના પ્રથમ જાહેર થયેલા ભાગેડુ આર્થિક ગુનેગાર અને લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે.

વિજય માલ્યાએ પહેલો સવાલ એ કર્યો છે કે પીએમ મોદી બૅંકોને આ નિર્દેશ કેમ નથી આપતા કે તે મારો રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ સ્વીકાર કરે કે જેથી જનતાની તે રકમની રિકવરી થઈ શકે કે જે કિંગપિશરને લોન તરીકે આપવામાં આવી હતી ?
વિજય માલ્યાએ પોતાની વાતો TWITTERના માધ્યમથી કહી છે. તેણે એક પછી એક 4 TWEET કર્યા છે અને દોહરાવ્યું કે તે બૅંકોની બાકી નિકળતી રકમ ચુકવવા તૈયાર છે.
The Prime Ministers last speech in Parliament was brought to my attention. He certainly is a very eloquent speaker. I noticed that he referred to an unnamed person who “ran away” with 9000 crores. Given the media narrative I can only infer that reference is to me.
— Vijay Mallya (@TheVijayMallya) February 14, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુધવારના લોકસભામાં અપાયેલા ભાષણના પ્રત્યાઘાત તરીકે વિજય માલ્યાએ ટ્વીટ કરતા કહ્યું, ‘બુધવારે સંસદમાં અપાયેલું વડાપ્રધાનનું ભાષણ મેં સાંભળ્યું. તેઓ ચોક્કસ એક અત્યંત વાક્પટુ વક્તા છે. ભાષણમાં તેમણે 9,000 કરોડ રૂપિયા લઈને ભાગનાર એક અજ્ઞાત શખ્સનો ઉલ્લેખ કર્યો. મીડિયામાં કહેવાયેલી-સંભળાયેલી વાતોથી હું અંદાજો લગાવી શકુ છું કે તેમનો ઇશારો મારી તરફ હતો.’
Following on from my earlier tweet, I respectfully ask why the Prime Minister is not instructing his Banks to take the money I have put on the table so he can at least claim credit for full recovery of public funds lent to Kingfisher.
— Vijay Mallya (@TheVijayMallya) February 14, 2019
વિજય માલ્યાએ બીજા ટ્વીટમાં કહ્યું, ‘હું આદરપૂર્વક પૂછુ છું કે જ્યારે હું પૈસા આપવાની ઑફર પહેલા જ કરી ચુક્યો છું, તો પછી વડાપ્રધાન પોતાની બૅંકોને મારાથી પૈસા લેવાનો નિર્દેશ કેમ નથી આપી રહ્યાં કે જેથી તેઓ કિંગફિશિર ઍરલાઇંસને અપાયેલા દેવાની સંપૂર્ણ વસૂલાતનો કમ સે કમ દાવો તો કરી શકે.’
I have made the offer to settle before the Hon’Ble High Court Court of Karnataka. This cannot be dismissed as frivolous. It is a perfectly tangible, sincere, honest and readily achievable offer. The shoe is on the other foot now. Why don’t the Banks take the money lent to KFA ?
— Vijay Mallya (@TheVijayMallya) February 14, 2019
વધુ એક ટ્વીટમાં વિજય માલ્યાએ કહ્યું, ‘બાકી લેણાની ચુકવણીની ઑફર હું કર્ણાટક હાઈકોર્ટમાં કરી ચુક્યો છું. તેને હળવાશમાં લઈ ફગાવી ન શકાય. આ સંપૂર્ણપણે વાસ્તવિક, ગંભીર, પ્રામાણિક અને તાત્કાલિક સ્વીકાર કરનારી ઑફર છે. ખબર નહીં કેમ બૅંકો કિંગફિશર ઍરલાઇંસને અપાયેલા પૈસા લઈ નથી રહી.’
Am appalled to say the least at the media reports on the Enforcement Directorate claims that I hid my wealth ! If there was hidden wealth how could I put approximately 14,000 crores worth of assets openly in front of Court ? Shameful misleading of public opinion but unsurprising.
— Vijay Mallya (@TheVijayMallya) February 14, 2019
વિજય માલ્યાએ કહ્યું, ‘મને મીડિયામાં આવેલા EDના તે દાવા વિશે વાત કરતા અત્યંત પીડા થઈ રહી છે કે જેમાં કહેવાયું છે કે મેં પોતાની સંપત્તિ છુપાવી. જો પોતાની સંપત્તિ મેં છુપાવી હોત, તો લગભગ 14,000 કરોડ રૂપિયાની સંપત્તિને મેં કોર્ટમાં કઈ રીતે ખુલ્લી રીતે મૂકી ? લોકોમાં શરમજનક રીતે ભ્રમ ફેલાવવામાં આવ્યો, પણ આ આશ્ચર્યજનક નથી.’
નોંધનીય છે કે ભાગેડું આર્થિક અપરાધ અધિનિયમ હેઠળ વિજય માલ્યાને ભાગેડું આર્થિક અપરાધી જાહેર કરાયો છે. તે 2 માર્ચ, 2016ના રોજ દેશ છોડીને ભાગી ગયો હતો. લંડનની એક કોર્ટે ગત 10 ડિસમ્બર, 2018ના રોજ તેના ભારત પ્રત્યર્પણનો આદેશ આપ્યો. બ્રિટન સરકારે પણ ગત સોમવારે જણાવ્યું કે માલ્યાના પ્રત્યર્પણને બ્રિટનના ગૃહ મંત્રાલયની મંજૂરી મળી ચુકી છે.
[yop_poll id=1409]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
