Afghanistan: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે બેઠક, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને કરાશે ચર્ચા
UN Security Council: યુનાઈટેડ નેશનલના વડાએ તાલિબાનોને અફઘાનિસ્તાનમાં કરાઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી. તેમણે લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધને સમાપ્ત કરવા માટે સારા હેતુવાળા મંત્રણા માટે પણ અપીલ કરી હતી.
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (unsc) એસ્ટોનિયા અને નોર્વેની વિનંતીને ધ્યાને લઈને આજે સોમવારે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર તાકીદની બેઠક કરશે. કાઉન્સિલના રાજદ્વારીઓએ રવિવારે જણાવ્યું હતું કે યુએન સેક્રેટરી જનરલ (United Nations Secretary General) એન્ટોનિયો ગુટેરેસ કાઉન્સિલના સભ્યોને તાલિબાનની રાજધાની કાબુલ પર કબજો કર્યા બાદ તાજેતરની પરિસ્થિતિ અંગે માહિતી આપશે અને સભ્યોને વર્તમાન સ્થિતિથી અવગત કરાશે.
UN Security Council’s meeting on Afghanistan is scheduled for tomorrow at 10 am ET & United Nations Secretary-General will brief the Council. This is the second meeting on Afghanistan under India’s presidency at the council. Estonia & Norway have requested this urgent session.
— ANI (@ANI) August 15, 2021
યુનાઈટેડ નેશનલના વડાએ તાલિબાનોને અફઘાનિસ્તાનમાં કરાઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી. તેમણે લાંબા સમયથી ચાલતા ગૃહયુદ્ધને સમાપ્ત કરવા માટે સારા હેતુવાળા મંત્રણા માટે પણ અપીલ કરી હતી. તેમણે પ્રારંભિક સંકેતો અંગે પણ દુખ વ્યક્ત કર્યુ હતુ કે તાલિબાન તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને પત્રકારોને નિશાન બનાવીને કડક નિયંત્રણો લાદી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાનના મુદ્દે આ બીજી બેઠક છે.
અગાઉ, અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રવિવારે તાલિબાન અને અન્ય તમામ પક્ષોને જીવનના રક્ષણ માટે અત્યંત સંયમ રાખવાની અને માનવીય જરૂરિયાતો પૂરી થાય તેની સાવચેતી રાખવા જણાવ્યુ. તેમણે એમ પણ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિપૂર્ણ સમાધાનમાં યોગદાન આપવા અને તમામ અફઘાનોના માનવ અધિકારો જળવાય તે માટે પ્રતિબદ્ધ છે.
દેશની રક્ષા માટે છેલ્લા 20 વર્ષથી સમર્પિત જીવન- અશરફ ગની
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોશિયલ મીડિયા મારફતે એક નિવેદનમાં કહ્યું કે આજે અફઘાનિસ્તાનના લોકો સામે એક મુશ્કેલ સમયનો સામનો કરવાની ઘડી આવી પડી છે. ગનીએ કહ્યું કે મારે સશસ્ત્ર તાલિબાનનો સામનો કરવો જોઈએ જે મહેલમાં પ્રવેશવા અથવા પ્રિય દેશ (અફઘાનિસ્તાન) છોડવા માંગતા હતા, જેમના બચાવવા માટે મેં છેલ્લા 20 વર્ષથી મારું જીવન સમર્પિત કર્યું છે.
આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ
આ પણ વાંચોઃ NPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર