યુક્રેન યુદ્ધ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે! રશિયાનું કાઉન્ટડાઉન શરૂ, સેના પાસે સમાપ્ત થઈ રહ્યો છે દારૂગોળો અને મેનપાવર

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને એક મહિનો થવા આવ્યો છે. આવી સ્થિતિમાં યુક્રેનને થોડી રાહત મળી શકે છે. અમેરિકાના (America) એક જનરલે આવો સનસનીખેજ દાવો કર્યો છે.

યુક્રેન યુદ્ધ એક અઠવાડિયાથી વધુ નહીં ચાલે! રશિયાનું કાઉન્ટડાઉન શરૂ, સેના પાસે સમાપ્ત થઈ રહ્યો છે દારૂગોળો અને મેનપાવર
Russian soldiers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 3:27 PM

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને (Russia-Ukraine War) એક મહિનો થવા આવ્યો છે. આવી સ્થિતિમાં યુક્રેનને થોડી રાહત મળી શકે છે. અમેરિકાના (America) એક જનરલે આવો સનસનીખેજ દાવો કર્યો છે. વાસ્તવમાં અમેરિકાના લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસનું માનવું છે કે રશિયા પાસે સૈનિકોની સંખ્યા અને દારૂગોળો બંને ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં તેની પાસે યુક્રેન પર જીત મેળવવા માટે માત્ર એક સપ્તાહનો સમય છે. લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસે કહ્યું કે, રશિયા હવે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે. અમેરિકી જનરલે ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો છે.

ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસે (Lt Gen Ben Hodges) કહ્યું, ‘આ જ કારણ છે કે રશિયા હવે મદદ માટે ચીન તરફ વળ્યું છે અને હવે તે સીરિયન લડવૈયાઓની ભરતી કરી રહ્યું છે.’ તેમણે કહ્યું, રશિયન જનરલોનો સમય, દારૂગોળો અને માનવશક્તિ સમાપ્ત થવા જઈ રહ્યો છે. પરંતુ મને આ મૂલ્યાંકન પર વિશ્વાસ છે. યુએસ જનરલે કહ્યું, ‘ઈરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન અમારી પાસે લગભગ 29 ટકા સેના તૈનાત હતી. આવી સ્થિતિમાં તેને જાળવી રાખવું મુશ્કેલ હતું.

સેનામાં યુવાનોની ભરતી

લેફ્ટનન્ટ જનરલ બેન હોજેસે જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી લગભગ 130,000 રશિયન પરિવારોને તેમના 18-25 વર્ષની વયના પુત્રોને ભરતી કેન્દ્રોમાં મોકલવા માટે કહેવામાં આવ્યું છે. અહીંથી તેને રશિયન સેનામાં સામેલ કરવામાં આવશે. તે જ સમયે, યુએસ અધિકારીઓએ નકલી રશિયન મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેન વતી લડી રહેલા ત્રણ અમેરિકન સૈનિકો પણ યુદ્ધમાં માર્યા ગયા હતા. અમેરિકાએ કહ્યું છે કે, આવા અહેવાલો નકલી છે અને ત્રણેય સૈનિકો જીવિત છે. રશિયન સરકારી અખબાર પ્રવદાએ ગુરુવારે (17 માર્ચ) દાવો કર્યો હતો કે, રશિયન સૈન્યએ ત્રણ અમેરિકન ભાડૂતી સૈનિકોને મારી નાખ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શનિવારે રશિયન સેના દ્વારા ઘેરાયેલા યુક્રેનના શહેરોમાંથી સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોના સલામત સ્થળાંતર માટે બનાવેલા 10માંથી 8 માનવતાવાદી કોરિડોર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરીના વેરેશચુકે જણાવ્યું હતું કે, કુલ 6,623 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 4,128 મારીયુપોલના હતા. આ તમામ લોકોને યુક્રેનના ઉત્તર-પશ્ચિમ શહેર ઝાપોરિઝિયા લઈ જવામાં આવ્યા છે. રશિયન સેના મેરીયુપોલની અંદર ઝડપથી આગળ વધી રહી છે અને તેણે શહેરને નષ્ટ કરી દીધું છે.

આ પણ વાંચો: બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે

આ પણ વાંચો: અહીં ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા Four Working Days Formula અપનાવવામાં આવશે, જાણો વિગતવાર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">