AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkey Earthquake Breaking: તુર્કી અને સીરિયામાં આવેલા ભયાનક ભૂકંપ બાદ 3 મહિના સુધી ઈમરજન્સી લાગુ, અત્યાર સુધીમાં 7800 કરતા વધુના મોત

વિશ્વના લગભગ 70 દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે પોતાની ટીમ મોકલી છે. રાષ્ટ્રપતિ એર્દોગને દેશના 10 પ્રાંતોમાં ત્રણ મહિના માટે ઈમરજન્સી જાહેર કરી છે. 13 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે.

Turkey Earthquake Breaking: તુર્કી અને સીરિયામાં આવેલા ભયાનક ભૂકંપ બાદ 3 મહિના સુધી ઈમરજન્સી લાગુ, અત્યાર સુધીમાં 7800 કરતા વધુના મોત
State of emergency for 3 months after the terrible earthquake in Turkey and Syria, more than 7800 dead so far
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 7:24 AM
Share

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક 7.8-તીવ્રતાના ભૂકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક વધીને 7,800 પર પહોંચી ગયો છે કારણ કે ધરાશાયી થયેલી ઇમારતોમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. ભૂકંપના કારણે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. બચાવ કાર્યકર્તાઓ હજારો ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે. વિશ્વના લગભગ 70 દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે પોતાની ટીમ મોકલી છે. રાષ્ટ્રપતિ એર્દોગને દેશના 10 પ્રાંતોમાં ત્રણ મહિના માટે ઈમરજન્સી જાહેર કરી છે. 13 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે.

વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ જણાવ્યું હતું કે એકલા તુર્કીમાં જ 8,000 થી વધુ લોકોને ઇમારતોના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને લગભગ 380,000 લોકોએ સરકારી આશ્રયસ્થાનો અથવા હોટલોમાં આશરો લીધો છે. બચી ગયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ સબ-ઝીરો તાપમાન અને લગભગ 200 ધરતીકંપના આફ્ટરશોક્સને કારણે અવરોધાયા છે, જે અસ્થિર માળખામાં લોકોને શોધવાનું અત્યંત જોખમી બનાવે છે.

લગભગ 6,000 ઈમારતો ધરાશાય થયાની પુષ્ટિ

નુરગુલ અતાયે કહ્યું કે તે હટાય પ્રાંતની રાજધાની અંતાક્યામાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે દટાયેલી તેની માતાનો અવાજ સાંભળી શકતી હતી, પરંતુ બચાવ કાર્યકરો અને ભારે સાધનોના અભાવને કારણે તેના અને અન્ય લોકોના કાટમાળમાં પ્રવેશવાના પ્રયાસો નિરર્થક હતા. તેણે કહ્યું કે તેની માતા 70 વર્ષની છે અને તે લાંબો સમય લડી શકવા સક્ષમ નથી. તુર્કીની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે 24,400 થી વધુ ઇમરજન્સી કામદારો ઘટના સ્થળે હતા. પરંતુ તેમના પ્રયત્નો ઓછા સાબિત થઈ રહ્યા છે, સોમવારના પ્રચંડ ભૂકંપથી મોટા વિસ્તારને અસર થઈ છે અને એકલા તુર્કીમાં લગભગ 6,000 ઇમારતો ધરાશાયી થયાની પુષ્ટિ થઈ છે.

રેસ્ક્યુ ટીમ ન પહોંચી હોવાની ફરિયાદ

ભૂકંપના કેન્દ્રના દક્ષિણપૂર્વમાં આવેલા હટાયમાં લગભગ 1,500 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઘણા લોકોએ તેમના પરિવારો કાટમાળ નીચે ફસાયા હોવાની ફરિયાદ કરી હતી અને કોઈ બચાવ ટુકડીઓ કે મદદ પહોંચી ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તુર્કીના દક્ષિણપૂર્વીય પ્રાંત કહાનમરસમાં કેન્દ્રિય ભૂકંપના કારણે દમાસ્કસ અને બેરૂતના રહેવાસીઓને રસ્તાઓ પર આવવાની ફરજ પડી હતી. સીરિયામાં ડોકટર્સ વિધાઉટ બોર્ડર્સ મિશનના વડા સેબેસ્ટિયન ગેએ જણાવ્યું હતું કે ઉત્તરી સીરિયામાં તબીબી કાર્યકરો ઘાયલોની સારવાર માટે 24 કલાક કામ કરી રહ્યા છે.

કાટમાળમાં ફસાયેલા લોકોની શોધ

તુર્કીના હેટે પ્રાંતમાં હજારો લોકોએ રમતગમત કેન્દ્રો અથવા મેળા હોલમાં આશ્રય લીધો હતો, જ્યારે અન્ય લોકોએ બહાર રાત વિતાવી હતી અને બોનફાયર પ્રગટાવ્યા હતા. ઈસ્કેન્ડરન બંદરના એક વિસ્તારમાંથી કાળો ધુમાડો નીકળે છે જ્યાં અગ્નિશામકો હજુ સુધી આગને ઓલવી શક્યા નથી. આગ એક શિપિંગ કન્ટેનરમાં શરૂ થઈ હતી જે ભૂકંપના કારણે પલટી ગયુ હતુ. અધિકારીઓને ડર છે કે સોમવારે વહેલી સવારે આવેલા ભૂકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક વધી શકે છે.

તબીબી પુરવઠો અને સૈનિકો મોકલવાની તૈયારી

આંતરરાષ્ટ્રીય સહાયની તાજેતરની પ્રતિજ્ઞામાં, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કહ્યું કે તેઓ ઝડપથી 60 સભ્યોની બચાવ ટીમ તેમજ તબીબી પુરવઠો અને 50 સૈનિકોને મોકલવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાન સરકારે મંગળવારે વહેલી સવારે રાહત સામગ્રી અને 50 સભ્યોની શોધ અને બચાવ ટીમ તુર્કી મોકલી હતી. પાકિસ્તાને કહ્યું કે આજ (બુધવાર) થી સીરિયા અને તુર્કી માટે દૈનિક સહાય ફ્લાઇટ્સ શરૂ થશે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વાત કરી

ભારતે કહ્યું કે તે ખાસ કરીને ડોગ સ્ક્વોડ અને મેડિકલ કર્મચારીઓ સહિત બે શોધ અને બચાવ ટીમો મોકલશે. ઈસ્લામાબાદના એક નિવેદન અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ આજે (બુધવાર) પોતાની સંવેદના અને એકતા વ્યક્ત કરવા અંકારા જશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એર્દોગન સાથે ફોન પર વાત કરી અને નાટો સહયોગી તુર્કીના લોકોને તેમની સંવેદના વ્યક્ત કરવા અને સહાયની ઓફર કરી.

ભૂકંપની તીવ્રતા 7.8

અમેરિકી રાષ્ટ્રપતિ મહેલ, વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે તે તુર્કીના પ્રયાસોને મદદ કરવા માટે શોધ અને બચાવ ટીમો મોકલી રહ્યું છે. સીરિયાના શહેર અલેપ્પો અને તુર્કીના શહેર દિયારબાકીર વચ્ચે 330 કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારમાં હજારો ઈમારતો ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ સોમવારના ભૂકંપની તીવ્રતા 7.8 માપી હતી, જેનું કેન્દ્રબિંદુ જમીનથી 18 કિમી નીચે હતું. કદાચ પહેલા ભૂકંપને કારણે 100 કિલોમીટર દૂર બીજો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 હતી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">