Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુર્ગા પૂજા કરવી હોય તો 5 લાખ આપો, બાંગ્લાદેશમાં હિન્દુઓને મળી રહી છે ધમકીઓ

બાંગ્લાદેશમાં હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદના મહાસચિવ મહેન્દ્ર નાથે કહ્યું કે, ખુલના શહેરના ડાકોપમાં 25 થી વધુ મંદિરોને પાંચ દિવસીય તહેવારની ઉજવણી માટે 5 લાખ રૂપિયાની માંગણી કરતી ધમકીઓ મળી છે.

દુર્ગા પૂજા કરવી હોય તો 5 લાખ આપો, બાંગ્લાદેશમાં હિન્દુઓને મળી રહી છે ધમકીઓ
Follow Us:
| Updated on: Sep 26, 2024 | 4:47 PM

બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. દુર્ગા પુજા પહેલા બાંગ્લાદેશમાં ઈસ્લામિક જૂથ દ્વારા કેટલાક મંદિરોને ધમકીઓ મળી રહી છે. મંદિર સમિતિને ધમકી આપવામાં આવી રહી છે કે, તેમણે દુર્ગા પુજા કરવી છે. તો તેમણે 5 લાખ આપવા પડશે. જો પૈસા નહી આપવામાં આવે તો પૂજા કરવા દેવામાં આવશે નહી .22 સપ્ટેમ્બરે  કેટલાક લોકોએ લક્ષ્મીગંજ જિલ્લાના રાયપુર વિસ્તારમાં માતા દુર્ગાની પ્રતિમાઓની તોડફોડ કરી હતી. બરગુન જિલ્લામાં પણ પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી.

આ મામલે હિન્દુ સમુદાયના કેટલાક લોકોએ ચટગામ અને ખુલના જિલ્લાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

25 થી વધારે મંદિરોને મળી ધમકી

હિન્દુ બૈદ્ધ ઈસાઈ એકતા પરિષદના મહાસિચવ મહેન્દ્ર નાથે કહ્યું કે,ખુલના શહેરના ડાકોપમાં 25 થી વધુ મંદિરોને પાંચ દિવસીય તહેવારની ઉજવણી માટે 5 લાખ રૂપિયાની માંગણી કરતી ધમકીઓ મળી છે. તમને જણાવી દઈએ કે,દુર્ગા પુજાની 9 થી 13 ઓક્ટોમ્બર સુધી ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, હિન્દુઓનો આ સૌથી મોટો તહેવાર છે.ઓગસ્ટ મહિનામાં ભડકેલી હિંસા બાદ બાંગ્લાદેશમાં હુમલાના અનેક સમાચારો સામે આવી રહ્યા છે. 5 ઓગસ્ટના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ મોહમ્મદ યૂનુસ અંતિરમ સરકારના મુખ્ય સલાહકાર બન્યા હતા.

Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો

તખ્તાપલટ પછી ભારે હોબાળો મચાવ્યો

બાંગ્લાદેશમાં નોકરીઓમાં અનામતની વ્યવસ્થાને લઈને અવામી લીગની આગેવાની હેઠળની સરકાર સામે વિરોધ શરૂ થયો હતો. જે ધીરે-ધીરે હિંસક બનતો ગયો. 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવ્યા હતા. આ પછી પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સડકો પર હંગામો મચાવ્યો હતો. સેંકડો લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમાં અવામી પાર્ટીના લોકો પણ હતા.શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ તેમની સામે આ પહેલો કેસ નોંધાયો છે. બાંગ્લાદેશમાં હિંસક અથડામણ દરમિયાન કેટલાક લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા.

પૂજા અને ભજન ગાવા પર પ્રતિબંધ

બાંગ્લાદેશમાં અત્યાર સુધી દુર્ગા પૂજાનું આયોજન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યું છે. જોકે આ વખતે એવું થવાનું નથી. કારણ કે બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે બાંગ્લાદેશમાં નમાઝ અને અઝાન દરમિયાન હિન્દુઓને લાઉડસ્પીકર પર પૂજા અને ભજન ગાવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો પોલીસ દ્વારા કોઈપણ વોરંટ વગર તેની ધરપકડ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">