Afghanistan: અફઘાન દૂતાવાસ પર નિયંત્રણ ઈચ્છે છે તાલિબાન, ભારત વિચિત્ર સ્થિતિમાં
કાદિર શાહના દાવા પર ભારત સરકાર તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહે મામુંદઝાઈની ગેરહાજરીમાં વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો હતો કારણ કે તે ભારતની બહાર ગયો હતો.
તાલિબાન દ્વારા રાજદૂતની નિયુક્તિએ ભારતને એક વિચિત્ર સ્થિતિમાં મૂક્યું છે. અફઘાન રાજદૂત ફરીદ મામુંદઝાઈ અને અગાઉની અશરફ ગની સરકાર દ્વારા નિયુક્ત અન્ય રાજદ્વારીઓએ પદ છોડવાનો ઈનકાર કર્યો છે. મામુંદઝાઈની અગાઉની ગની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2021માં તાલિબાન સત્તા પર ન આવે ત્યાં સુધી તેઓ અફઘાન રાજદૂત તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે.
એવું જાણવા મળે છે કે 2000થી અફઘાન દૂતાવાસમાં ‘ટ્રેડ કાઉન્સેલર’ તરીકે કામ કરી રહેલા કાદિર શાહે ગયા મહિને વિદેશ મંત્રાલયને પત્ર લખીને દાવો કર્યો હતો કે તાલિબાન દ્વારા તેમને દૂતાવાસના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતે હજુ સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી અને કાબુલમાં સર્વસમાવેશક સરકારની રચના માટે દબાણ કરી રહ્યું છે. ભારતે એમ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે થવો જોઈએ નહીં. તે દરમિયાન, ભારતમાં અફઘાનિસ્તાનના દૂતાવાસે સોમવારે એક નિવેદનમાં તાલિબાનના પસંદ કરેલા કાદિર શાહ પર ખોટી માહિતી ફેલાવવાનો અને મિશન વિરુદ્ધ પાયાવિહોણી ઝુંબેશ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
દૂતાવાસ અફઘાન લોકોના હિતોનું સમર્થન કરવાની સાથે
મામુંદઝાઇના નેતૃત્વવાળી દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનની એમ્બેસી તાલિબાનના કહેવા પર નવી દિલ્હીમાં તેના મિશનની કમાન્ડ અંગેના વ્યક્તિના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું કે, દૂતાવાસ અફઘાન લોકોના હિતોનું સમર્થન કરવાની સાથે કાબુલમાં તાલીબાન શાસનને માન્યતા નહિ દેવાના ભારત સરકારના એક રૂખના વખાણ કર્યા છે. જેવી રીતે લોકતાંત્રિક સરકારોમાં રહેલું છે.
ભારત સાથે વધુ સારા સંબંધો માટે માર્ગ મોકળો કરશે
ભારતમાં રાજદૂતની નિમણૂક કરવાના તાલિબાનના પગલાની પુષ્ટિ કરતા, દોહામાં તેના રાજકીય કાર્યાલયના વડા સુહેલ શાહીને TOIને જણાવ્યું હતું કે આ એક તર્કસંગત નિર્ણય છે, જે ભારત સાથે વધુ સારા સંબંધો માટે માર્ગ મોકળો કરશે. જો કે આ દરમિયાન કાદિર શાહને દૂતાવાસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભારતે અફઘાનિસ્તાનને 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉંની સપ્લાય કર્યા
તાલિબાનના નિર્ણયને લઈને ભારત મૂંઝવણમાં છે. ભારત સરકારે હજુ સુધી આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ગની સરકાર સાથે ભારતના ઘનિષ્ઠ સંબંધો હતા. પરંતુ હવે તાલિબાનને ટેકો આપ્યા વિના ભારતે તેની સાથે વાટાઘાટો કરવા માટે અલગ કૂટનીતિ અપનાવી છે. ખાસ કરીને મદદની મુત્સદ્દીગીરી અપનાવવામાં આવી છે. ભારતે અફઘાનિસ્તાનને 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉંની સપ્લાય કરી છે અને સાથે જ તેનું દૂતાવાસ ફરીથી ખોલ્યું છે. ગયા વર્ષે જૂનમાં, ભારતે અફઘાનિસ્તાનની રાજધાનીમાં તેના દૂતાવાસમાં “તકનીકી ટીમ” તૈનાત કરીને કાબુલમાં તેની રાજદ્વારી હાજરી પુનઃસ્થાપિત કરી હતી.
કાદિર શાહના દાવા પર ભારત સરકાર તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે શાહે મામુંદઝાઈની ગેરહાજરીમાં વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો હતો કારણ કે તે ભારતની બહાર ગયો હતો. તેના નિવેદનમાં, દૂતાવાસે જણાવ્યું હતું કે તે વ્યક્તિ, જેણે દાવો કર્યો હતો કે તાલિબાને તેને એક સહી વિનાના પત્રના આધારે દૂતાવાસનો પ્રભારી બનાવ્યો હતો, તે “ખોટી માહિતી ફેલાવવા અને ભ્રષ્ટાચાર સહિત મિશન અધિકારીઓ સામે પાયાવિહોણી ઝુંબેશ ચલાવવા માટે જવાબદાર છે” તેમાં ભ્રષ્ટ્રાચારના સંપૂર્ણપણે ખોટા આરોપો છે.
પાકિસ્તાન સહિત 14 દેશોમાં રાજદ્વારીઓને મોકલ્યા
મામુંદઝાઈને બદલવાનો અને તેના પોતાના દૂતની નિમણૂક કરવાનો નિર્ણય તાલિબાનના મોટા પ્રયાસને દર્શાવે છે. તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નથી. આ ખામીને દૂર કરવા માટે, તાલિબાન વિશ્વભરમાં બને તેટલા અફઘાન દૂતાવાસોને નિયંત્રિત કરવા માંગે છે. આ વર્ષે માર્ચમાં, તાલિબાનના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ‘ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ એ રશિયા, ઈરાન, ચીન, તુર્કી અને પાકિસ્તાન સહિત 14 દેશોમાં રાજદ્વારીઓને મોકલ્યા છે અને અન્ય રાજદ્વારી મિશનનો હવાલો લેવાના પ્રયાસો ચાલુ છે.
આ પ્રયાસોને મર્યાદિત સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય કાબુલમાં સરકારને માન્યતા આપવાથી સાવચેત છે. ખાસ કરીને તાલિબાન દ્વારા મહિલાઓ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલા બાદ તેની આશાઓને વધુ ફટકો પડ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો