AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરની નજીકના સાથીદારની અજાણ્યાએ ગોળી મારી કરી હત્યા

પાકિસ્તાનના કરાચીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ જાણીતા ધાર્મિક નેતા મૌલાના રહીમુલ્લા ઉર્ફે મૌલાના રહીમુલ્લાહ તારિકની હત્યા કરી નાખી છે. મૌલાના એક ધાર્મિક મેળાવડામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરની નજીકના સાથીદારની અજાણ્યાએ ગોળી મારી કરી હત્યા
Maulana Raheemullah Tariq (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 5:20 PM
Share

પાકિસ્તાનમાં મૌલાના રહીમુલ્લા તારિકની, કેટલાક અજાણ્યાઓએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. મૌલાના રહીમુલ્લા તારિક કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે મૌલાના રહીમુલ્લા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની ખૂબ નજીકની વ્યક્તિ છે. જો કે  મૌલાનાના જૈશ કનેક્શન અંગે પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલોમાં કોઈ નક્કર માહિતી મળી નથી.

પાકિસ્તાનના કરાચીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ જાણીતા ધાર્મિક નેતા મૌલાના રહીમુલ્લા ઉર્ફે મૌલાના રહીમુલ્લાહ તારિકની હત્યા કરી નાખી છે. મૌલાના એક ધાર્મિક મેળાવડામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ મૌલાના રહીમુલ્લા પર ગોળીઓ ચલાવી હતી, જે બાદ તેનું મોત થયું હતું. કરાચી પોલીસનું કહેવું છે કે મૌલાનાની હત્યાનો સંબંધ ટાર્ગેટ કિલિંગ સાથે હોઈ શકે છે. મૌલાના રહીમુલ્લાહ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે જૈશ-એ-મોહમ્મદના વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરની નજીક છે.

મૌલાનાના જૈશ-એ-મોહમ્મદ કનેક્શન અંગે સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કોઈ માહિતી સામે આવી નથી. તાજેતરના મહિનાઓમાં, પાકિસ્તાનમાં ઘણી વ્યક્તિઓને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી છે. અગાઉ ખૈબર પખ્તુનખ્વાના બાજૌરમાં, લશ્કર-એ-તૈયબાના કથિત વરિષ્ઠ કમાન્ડર અકરમ ખાન ગાઝીની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દાવો કરવામાં આવે છે કે તે લશ્કર આતંકવાદી સેનામાં ભરતી કરનાર તરીકે કામ કરતો હતો. દાવા મુજબ, તે ભારતમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા અને કાશ્મીર ખીણમાં કથિત રીતે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં સામેલ હતો.

પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ

પાકિસ્તાનમાં વારંવાર થતી ટાર્ગેટ કિલિંગની આસપાસના સંજોગો અસ્પષ્ટ છે અને આ હત્યાઓની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. નોંધનીય છે કે આ ઘટનાઓ માટે પાકિસ્તાને ખુલ્લેઆમ ભારતીય ગુપ્તચર એજન્સીઓ પર તેની સરહદોની અંદર અપહરણ અને હત્યાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે એક ભારતીય એજન્સી આ હત્યાઓને અંજામ આપી રહી છે અને તેની પાસે આના પુરાવા છે. જોકે, ભારતે પુરાવા વિના આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
g clip-path="url(#clip0_868_265)">