Russia-Ukraine War : ક્યાંક ટેંક તો ક્યાંક એર ડિફેન્સ સિસ્ટમ થઈ નષ્ટ, જાણો અત્યાર સુધી રશિયા-યુક્રેનને ક્યા કેટલું થયુ નુકસાન ?

Russia-Ukraine War : પૂર્વ યુક્રેનના ઘણા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સૈનિકોને પૂર્વ દિશામાં મોકલવામાં આવ્યા છે.

Russia-Ukraine War : ક્યાંક ટેંક તો ક્યાંક એર ડિફેન્સ સિસ્ટમ થઈ નષ્ટ, જાણો અત્યાર સુધી રશિયા-યુક્રેનને ક્યા કેટલું થયુ નુકસાન ?
Photo after Russian attack in Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 3:50 PM

રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને બંને પક્ષોએ એકબીજાને ભારે નુકસાનનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) દ્વારા હુમલાની જાહેરાત બાદ યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું હતું. આ પછી રશિયન સૈનિકોએ યુક્રેન તરફ આગળ વધવાનું શરૂ કર્યું. યુક્રેનના બોર્ડર ગાર્ડે (Border Guard) કહ્યું છે કે રશિયન ભૂમિ દળોએ યુક્રેનમાં અનેક દિશાઓથી હુમલો કર્યો છે. રશિયન ટેન્કો અને અન્ય ભારે સાધનો કેટલાક ઉત્તરીય પ્રદેશો તેમજ દક્ષિણમાં ક્રિમીઆ (Crimea) માંથી યુક્રેનમાં પ્રવેશ્યા હતા. આ પછી બંને પક્ષના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

યુક્રેને દેશમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્શલ લો (Marshal Law in Ukraine) લાગુ કર્યો છે. આ ઉપરાંત લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. પૂર્વી યુક્રેનના ઘણા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સૈનિકોને પૂર્વ દિશામાં મોકલવામાં આવ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે તે યુક્રેનને તમામ મદદ કરશે. યુરોપિયન યુનિયન એવિએશન સિક્યોરિટી એજન્સી (EASA) એ તમામ ‘એર ઓપરેટર્સ’ને યુક્રેનિયન એરસ્પેસમાં નાગરિક વિમાનોને જોખમ અંગે ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે હવે આ વિસ્તાર સંઘર્ષ ક્ષેત્ર બની ગયો છે.

અત્યાર સુધીના યુદ્ધને કારણે યુક્રેનને કેટલું નુકસાન થયું છે?

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ અંગે યુક્રેનના સીમા રક્ષકોએ કહ્યું કે સરહદમાં ઘૂસણખોરી દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. યુક્રેનના આંતરિક મંત્રાલયના સલાહકારે જણાવ્યું હતું કે રશિયન ગોળીબારના પરિણામે ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું છે કે યુક્રેનની સેના ભીષણ યુદ્ધ લડી રહી છે. અમે આ યુદ્ધમાં કેટલાક લોકોને ગુમાવ્યા છે. પરંતુ ઘણી જગ્યાએ અમે રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયા મુખ્યત્વે લશ્કરી માળખાને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે હુમલામાં અનેક ચેકપોસ્ટ અને સૈન્ય મથકો નષ્ટ થઈ ગયા છે. રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાનો દાવો કર્યો છે.

યુદ્ધના પરિણામે રશિયાને કેટલું નુકસાન થયું છે?

યુક્રેનના જનરલ સ્ટાફે દાવો કર્યો છે કે તેમણે ખાર્કિવમાં રશિયન ટેન્કોનો નાશ કર્યો છે. યુક્રેનિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેઓએ છ રશિયન ફાઇટર જેટ અને બે હેલિકોપ્ટરને ઠાર માર્યા છે. યુક્રેનિયન સૈનિકોએ લુહાન્સ્ક ક્ષેત્રના શચાસ્ટિયા શહેર પર રશિયાના હુમલાને નિષ્ફળ બનાવ્યો. કિવ પોસ્ટ અનુસાર, દુશ્મનના હથિયારોનો નાશ કરવામાં આવ્યો છે અને લગભગ 50 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય ઘણી રશિયન ટેન્કોને નુકસાન પહોંચાડ્યું હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine Crisis: શસ્ત્ર વિના જ દુશ્મનને હરાવવા કેવી રીતે કરાય છે સાયબર યુદ્ધ ?

આ પણ વાંચોઃ

Russia Ukraine war: ભારતીયો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, નાગરીકોને પરત લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">