Russia Ukraine Crisis: શસ્ત્ર વિના જ દુશ્મનને હરાવવા કેવી રીતે કરાય છે સાયબર યુદ્ધ ?

સાયબર વોર એ ટેક્નોલોજીનું નકારાત્મક સ્વરૂપ છે, જે કોઈપણ દેશને ક્ષણવારમાં મોટાપાયે નુકસાન પહોંચાડી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધની મધ્યમાં સાયબર યુદ્ધ વધુ સુસંગત બન્યું છે, જ્યાં રશિયા પર યુક્રેનના મંત્રાલયો અને બેંકોની વેબસાઇટ્સ પર સાયબર હુમલાનો આરોપ પહેલેથી જ લગાવવામાં આવ્યો છે.

Russia Ukraine Crisis: શસ્ત્ર વિના જ દુશ્મનને હરાવવા કેવી રીતે કરાય છે સાયબર યુદ્ધ ?
Cyber war (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 3:21 PM

યુક્રેનમાં (Ukraine) રશિયાની (Russia) સૈન્ય કાર્યવાહી સાથે, ઔપચારિક રીતે યુદ્ધ ( War) શરૂ થઈ ગયું છે. યુદ્ધના આ ઘટનાક્રમમાં, સાયબર હુમલાઓ બાબતે પણ ચર્ચા થઈ રહી છે. જેના વિશે રશિયા પહેલાથી જ આરોપ લગાવી ચૂક્યું છે. સાયબર યુદ્ધ શું છે, જે શસ્ત્રો વિના દુશ્મનનો નાશ કરે છે ? સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવુ યુદ્ધ છે જે માણસો દ્વારા નહીં, પરંતુ ટેકનોલોજી અને યંત્ર દ્વારા લડવામાં આવે છે.

સાયબર યુદ્ધ એ કોઈપણ દેશ પર ડિજિટલ હુમલો છે, જે પરંપરાગત યુદ્ધ કરતાં વધુ નુકસાનકારક છે. તે કોઈપણ દેશની મહત્વપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમને ખોરવી નાખીને નકામી કરી દે છે. ક્યારેક આવુ હેકિંગ દ્વારા કરવામાં આવે છે, તો ક્યારેક કમ્પ્યુટર વાયરસ જેવા માધ્યમોનો પણ સાયબર યુદ્ધ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોપર્ટી અથવા કોઈના જીવનને નુકસાન પહોંચાડ્યા વિના કોમ્પ્યુટર નેટવર્કને નિશાન બનાવવામાં આવે છે.

સમગ્ર સિસ્ટમને લકવાગ્રસ્ત બનાવે છે

જ્યારે સાયબર યુદ્ધમાં કોમ્પ્યુટર નેટવર્કને નિશાન બનાવવામાં આવે છે ત્યારે સંરક્ષણ સંબંધિત તમામ માહિતી લીક થવાનું જોખમ પણ રહે છે. ઘણી વખત સંરક્ષણ પ્રણાલીને લગતી મહત્વપૂર્ણ આખી સિસ્ટમ સામેલ થઈ જાય છે. સંરક્ષણ સંબંધિત ઉપકરણો એવા હોય છે કે તે કોમ્પ્યુટરની સૂચનાઓ પર કામ કરે છે, પરંતુ એકવાર તે હેકર્સના નિશાના હેઠળ આવે કે સાયબર યુદ્ધનો શિકાર બને, પછી કોઈપણ દેશ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સશસ્ત્ર દળોની સાથે સાથે બેંકો પર પણ સાયબર હુમલા થઈ રહ્યા છે, જેના દ્વારા સમગ્ર નાણાકીય વ્યવસ્થા લકવાગ્રસ્ત થઈ જાય છે. હાલમાં, યુક્રેન સંકટ વચ્ચે સાયબર યુદ્ધ હેડલાઇન્સમાં છે. રશિયાની સૈન્ય કાર્યવાહી પહેલા, યુક્રેને આરોપ લગાવ્યો હતો કે તેના સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોની વેબસાઇટ્સ તેમજ બે મોટી સરકારી બેંકો પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો હતો અને તેની પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે.

વેબસાઈટ પર ખોરવાઈ જાય છે

જ્યારે પણ કોઈપણ દેશની સંરક્ષણ અને નાણાકીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવે છે, ત્યારે સંબંધિત વેબસાઇટ પર વિવિધ ‘એરર મેસેજ’ લખવામાં આવે છે. જ્યારે યુક્રેને તેના સંરક્ષણ અને નાણાકીય સંસ્થાઓ પર સાયબર હુમલાની માહિતી વિશ્વ સમક્ષ રજૂ કરી, ત્યારે તેણે કહ્યું કે સંરક્ષણ મંત્રાલયની તેની વેબસાઇટ પર ‘ટેકનિકલ દેખરેખ હેઠળ’ જેવા સંદેશાઓ લખવામાં આવ્યા હતા, જ્યારે બેંકોની વેબસાઇટ પર ‘ ઓનલાઈન સેવા બંધ’ વિશે સંદેશાઓ લખવામાં આવ્યા હતા. ઓનલાઈન સેવા.

સાયબર વોર વાસ્તવમાં ટેક્નોલોજીનું નુકસાન છે, જેમાં સોફ્ટવેર વાયરસના ઉપયોગથી લઈને હેકિંગ સુધીનો સમાવેશ થાય છે. તેના જોખમોને ધ્યાનમાં રાખીને, દરેક દેશ પોતાના માટે સાયબર સુરક્ષા નીતિ અપનાવે છે, જેનો હેતુ ઇલેક્ટ્રોનિક વ્યવહારો માટે સુરક્ષિત વાતાવરણ બનાવવાનો છે. આના માટે વ્યાપક, સહયોગી અને સામૂહિક પગલાંની જરૂર છે અને તેને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપનાવવી પડશે.

આ પણ વાંચોઃ

Russia Ukraine war: ભારતીયો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, નાગરીકોને પરત લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે

આ પણ વાંચોઃ

Russia Ukraine Crisis: યુક્રેનના 11 શહેરમાં વિનાશ, માર્શલ લોની જાહેરાત, જાણો અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">