AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા, એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતું નામ, 331 લોકોના થયા હતા મોત

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની (Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે. 1

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા, એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતું નામ, 331 લોકોના થયા હતા મોત
શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 6:28 AM
Share

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની (Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે. 1985માં એર ઈન્ડિયા બોમ્બ ધડાકામાં તેનું નામ સામે આવ્યું હતું. જેમાં 331 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, 20 વર્ષ બાદ 2005માં તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના સિવાય આ કેસમાં અન્ય એક વ્યક્તિને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેના પરિવારજનોએ જણાવ્યું કે, ગુરુવારે સવારે ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયું હતું.

મીડિયા અહેવાલો અનુસાર, તેમની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, તેણે કથિત રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે શીખ સમુદાય માટે તેમની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. રિપુદમન સિંહ મલિકને જે જગ્યાએ ગોળી મારવામાં આવી હતી, જ્યાં હાજર એક સાક્ષીએ જણાવ્યું કે, તેણે ત્રણ વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો, જેમાંથી એક ગોળી શીખ નેતાને પણ વાગી. સાક્ષીએ જોયું કે, ગોળી વાગવાને કારણે રિપુદમનને ગરદનમાં ઈજા થઈ હતી.

કેનેડિયન પોલીસને ટાર્ગેટ કિલિંગની શંકા છે

જણાવી દઈએ કે, મલિકનો સરે વિસ્તારમાં બિઝનેસ હતો. આ બાબતને સમર્થન આપતાં સરેની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે, સવારે સાડા નવ વાગ્યે એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમનું કહેવું છે કે, આ ટાર્ગેટ કિલિંગ જેવું લાગે છે. આ ઘટના બાદ કેનેડા પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ શીખ નેતાની હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસે રિપુદમન સિંહ મલિકને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની નજીક પહોંચ્યા બાદ તેઓએ રિપુદમનને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વાહન ઘટનાસ્થળથી ઘણા બ્લોક્સને સળગાવતું જોવા મળ્યું હતું. પોલીસને આશંકા છે કે, આ વાહન હુમલાખોરોમાંથી એકનું હોઈ શકે છે. જો કે આ વાત સાચી છે કે નહી તે તો તપાસ બાદ જ ખબર પડશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">