AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા, એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતું નામ, 331 લોકોના થયા હતા મોત

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની (Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે. 1

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા, એર ઈન્ડિયા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતું નામ, 331 લોકોના થયા હતા મોત
શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 6:28 AM
Share

કેનેડાના સરેમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની (Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ માહિતી તેમના પરિવાર દ્વારા આપવામાં આવી છે. 1985માં એર ઈન્ડિયા બોમ્બ ધડાકામાં તેનું નામ સામે આવ્યું હતું. જેમાં 331 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, 20 વર્ષ બાદ 2005માં તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના સિવાય આ કેસમાં અન્ય એક વ્યક્તિને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેના પરિવારજનોએ જણાવ્યું કે, ગુરુવારે સવારે ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયું હતું.

મીડિયા અહેવાલો અનુસાર, તેમની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, તેણે કથિત રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે શીખ સમુદાય માટે તેમની સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની પ્રશંસા કરી હતી. રિપુદમન સિંહ મલિકને જે જગ્યાએ ગોળી મારવામાં આવી હતી, જ્યાં હાજર એક સાક્ષીએ જણાવ્યું કે, તેણે ત્રણ વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો, જેમાંથી એક ગોળી શીખ નેતાને પણ વાગી. સાક્ષીએ જોયું કે, ગોળી વાગવાને કારણે રિપુદમનને ગરદનમાં ઈજા થઈ હતી.

કેનેડિયન પોલીસને ટાર્ગેટ કિલિંગની શંકા છે

જણાવી દઈએ કે, મલિકનો સરે વિસ્તારમાં બિઝનેસ હતો. આ બાબતને સમર્થન આપતાં સરેની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે, સવારે સાડા નવ વાગ્યે એક વ્યક્તિને ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમનું કહેવું છે કે, આ ટાર્ગેટ કિલિંગ જેવું લાગે છે. આ ઘટના બાદ કેનેડા પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ શીખ નેતાની હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસે રિપુદમન સિંહ મલિકને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની નજીક પહોંચ્યા બાદ તેઓએ રિપુદમનને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વાહન ઘટનાસ્થળથી ઘણા બ્લોક્સને સળગાવતું જોવા મળ્યું હતું. પોલીસને આશંકા છે કે, આ વાહન હુમલાખોરોમાંથી એકનું હોઈ શકે છે. જો કે આ વાત સાચી છે કે નહી તે તો તપાસ બાદ જ ખબર પડશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">