AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પરીક્ષણ માટે ડોક્ટરો અને સેનાના જવાનો મેદાનમાં ઉતર્યા

ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

China: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પરીક્ષણ માટે ડોક્ટરો અને  સેનાના જવાનો મેદાનમાં ઉતર્યા
Corona In Shanghai (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 9:40 AM
Share

China:  ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં (Shanghai)કોવિડ-19ના  (Covid-19)કેસ સતત વધી રહ્યા છે. આ કારણે લોકડાઉન (Lockdown પણ લાદવામાં આવ્યુ છે, જેના કારણે લાખો લોકો ઘરની અંદર પુરાયા છે. અહીં કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ રવિવારે સેના, નૌકાદળ અને સંયુક્ત સહાય દળોમાંથી ભરતી કરાયેલા 2,000 થી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, જિઆંગસુ, ઝેજિયાંગ અને બેઇજિંગ(Beijing)  જેવા ઘણા પ્રાંતોએ આરોગ્ય કર્મચારીઓને (Health Workers) શાંઘાઈ મોકલ્યા છે, કેટલાક અંદાજો અનુસાર સંખ્યા 10,000 થી વધુ છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાના 438 નવા કેસની પુષ્ટિ થઈ છે.ઉલ્લેખનીય છે કે, 7,788 કેસોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

જિલિનમાં કોરોનાના 4,455 નવા કેસ આવ્યા

રવિવારે ઉત્તર પૂર્વી પ્રાંત જિલિનમાં કોરોના વાયરસના કુલ 4,455 નવા કેસ નોંધાયા હતા, જે શનિવારે નોંધાયેલા કેસો કરતા વધુ છે. જો કે આ સંખ્યા ઘણા દેશોની સરખામણીમાં ઓછી છે, પરંતુ 2019ના અંતમાં વુહાનમાં જોવા મળેલા કેસો પછી દૈનિક કેસ ચીનમાં સૌથી વધુ છે. 26 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં બે તબક્કામાં લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જો કે પૂર્વીય પુડોંગ ક્ષેત્રના રહેવાસીઓને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ પુડોંગ પ્રદેશ શુક્રવારથી ચાર દિવસ માટે લોકડાઉન હેઠળ છે.

લોકો સોશિયલ મીડિયા પર લોકડાઉન અંગે ફરિયાદ કરી રહ્યા છે

પુડોંગમાં લાખો લોકો હાલ ઘરમાં કેદ છે. રહેવાસીઓને દરરોજ COVID-19 ની તપાસ કરવા, ઘરે માસ્ક પહેરવા સહિત સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. વુહાનમાં 76 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના લોકોને તેના વિશે બહુ ફરિયાદ નહોતી.તમને જણાવી દઈએ કે, શાંઘાઈમાં હાલ ઘણા લોકો લોકડાઉન અંગેની ફરિયાદ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં 4,638 લોકોના મોત થયા

રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય સન ચુનલાને વિનંતી કરી છે કે શાંઘાઈમાં કોવિડના કેસોને શક્ય તેટલી વહેલી તકે નિયંત્રિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવે. ચીનમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, 20 માર્ચ પછી સંક્રમણને કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. તમને જણાવી દઈએ કે, દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 4,638 લોકોના મોત થયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Sri Lanka: આર્થિક સંકટમાં સપડાયેલ શ્રીલંકાના સમગ્ર મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, મહિન્દા રાજપક્ષે રહેશે PM

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">