AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine war: પુતિન સામે રશિયન સેનાનો બળવો ! સૈનિકોએ યુક્રેન સામે યુદ્ધ લડવાની પાડી ના

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 40 દિવસથી વધુ સમય વીતી ગયો છે. દરમિયાન, સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા મોરચે નિષ્ફળતાથી પરેશાન રશિયન સેનાના ઘણા સૈનિકોએ યુદ્ધ લડવાની ના પાડી દીધી છે.

Russia-Ukraine war: પુતિન સામે રશિયન સેનાનો બળવો ! સૈનિકોએ યુક્રેન સામે યુદ્ધ લડવાની પાડી ના
vladimir putin (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 9:49 AM
Share

યુક્રેન સામે જંગે (Russia-Ukraine war) ચડેલા રશિયાના સૈનિકો છેલ્લા 40 દિવસથી સતત લડવા છતા કોઈ પરિણામ ના આવતા હવે બળવાના માર્ગે જઈ રહ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. રશિયન સેનાને ‘નબળા’ યુક્રેન (Ukraine) સામે જડબાતોડ જવાબ મળી રહ્યો છે. મોસ્કોની સેનાને આ સમયે અપેક્ષા કરતાં વધુ નુકસાન થયું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ઘણા મોરચે નિષ્ફળતાથી પરેશાન રશિયન સેનાના ઘણા સૈનિકોએ યુદ્ધ લડવાની ના પાડી દીધી છે. ખાકાસિયા ક્ષેત્રમાં રશિયાના રોસગવર્ડિયા નેશનલ ગાર્ડના ઓછામાં ઓછા 11 સભ્યોએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Vladimir Putin) યુક્રેન યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

દક્ષિણ સાઇબિરીયામાં ખાકાસિયાના રશિયન પ્રદેશમાં સ્થિત રશિયન ભાષાના ન્યૂઝ આઉટલેટ ન્યુ ફોકસના અહેવાલ મુજબ, 11 સભ્યો નેતૃત્વના નિર્ણયોને પડકારવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા સૈનિકો યુદ્ધમાં ભાગ લેવા માંગતા નથી. તો એવું પણ કહેવાઈ રહ્યું રહ્યું છે કે તેઓને બાદમાં બોર્ડર કેમ્પમાંથી હટાવીને ખાકસિયા પરત મોકલી દેવામાં આવ્યા છે. અહીં નેતૃત્વએ તેમને પદ માટે ‘અનફિટ’ જાહેર કર્યા હતા.

રશિયન સેનાએ તેના જ કમાન્ડર પર હુમલો કર્યો

અગાઉ એવું નોંધવામાં આવ્યું હતું કે રશિયન સેના, ઘણી સૈન્ય નિષ્ફળતાઓનો સામનો કરી રહી છે, તેણે તેના પોતાના સાધનોનો નાશ કર્યો છે અને યુદ્ધ લડવાનો અને આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે રશિયન સેનાએ તેના જ કમાન્ડર પર હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોનું મનોબળ ઘટી ગયું છે. આ પહેલીવાર નથી જ્યારે રશિયન અથવા સોવિયેત સૈનિકોએ સંઘર્ષમાં આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હોય.

ભૂતકાળમાં પણ બળવો થયો હતો

રુસ-જાપાન યુદ્ધ દરમિયાન, રશિયન સૈનિકોએ જૂન 1905 માં બળવો કર્યો, જે ઇતિહાસની ઘટનાઓમાંની એક છે. સુશિમાના યુદ્ધમાં રશિયન નૌકાદળનો મોટા ભાગનો કાફલો નાશ પામ્યો હતો, અને તેમાં થોડા બિનઅનુભવી લડવૈયાઓ બચ્યા હતા. પછી 700 ખલાસીઓએ તેમના અધિકારીઓ સામે બળવો કર્યો હતો. ચેચન્યા (1994-96) સાથે રશિયાના પ્રથમ સંઘર્ષમાં પણ મોટી સંખ્યામાં સૈનિકો યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

આ પણ વાંચોઃ

જો બાઈડને વ્લાદિમીર પુતિનને ‘ક્રૂર’ કહ્યા, રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવાની આપી ધમકી

આ પણ વાંચોઃ

Sri Lanka: કર્ફ્યુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, વિપક્ષની ભારત પાસે મદદની આજીજી, જાણો શ્રીલંકાના સંકટ સાથે જોડાયેલી મોટી વાતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">