Russia-Ukraine war: પુતિન સામે રશિયન સેનાનો બળવો ! સૈનિકોએ યુક્રેન સામે યુદ્ધ લડવાની પાડી ના

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 40 દિવસથી વધુ સમય વીતી ગયો છે. દરમિયાન, સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા મોરચે નિષ્ફળતાથી પરેશાન રશિયન સેનાના ઘણા સૈનિકોએ યુદ્ધ લડવાની ના પાડી દીધી છે.

Russia-Ukraine war: પુતિન સામે રશિયન સેનાનો બળવો ! સૈનિકોએ યુક્રેન સામે યુદ્ધ લડવાની પાડી ના
vladimir putin (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 9:49 AM

યુક્રેન સામે જંગે (Russia-Ukraine war) ચડેલા રશિયાના સૈનિકો છેલ્લા 40 દિવસથી સતત લડવા છતા કોઈ પરિણામ ના આવતા હવે બળવાના માર્ગે જઈ રહ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. રશિયન સેનાને ‘નબળા’ યુક્રેન (Ukraine) સામે જડબાતોડ જવાબ મળી રહ્યો છે. મોસ્કોની સેનાને આ સમયે અપેક્ષા કરતાં વધુ નુકસાન થયું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ઘણા મોરચે નિષ્ફળતાથી પરેશાન રશિયન સેનાના ઘણા સૈનિકોએ યુદ્ધ લડવાની ના પાડી દીધી છે. ખાકાસિયા ક્ષેત્રમાં રશિયાના રોસગવર્ડિયા નેશનલ ગાર્ડના ઓછામાં ઓછા 11 સભ્યોએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (Vladimir Putin) યુક્રેન યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

દક્ષિણ સાઇબિરીયામાં ખાકાસિયાના રશિયન પ્રદેશમાં સ્થિત રશિયન ભાષાના ન્યૂઝ આઉટલેટ ન્યુ ફોકસના અહેવાલ મુજબ, 11 સભ્યો નેતૃત્વના નિર્ણયોને પડકારવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા સૈનિકો યુદ્ધમાં ભાગ લેવા માંગતા નથી. તો એવું પણ કહેવાઈ રહ્યું રહ્યું છે કે તેઓને બાદમાં બોર્ડર કેમ્પમાંથી હટાવીને ખાકસિયા પરત મોકલી દેવામાં આવ્યા છે. અહીં નેતૃત્વએ તેમને પદ માટે ‘અનફિટ’ જાહેર કર્યા હતા.

રશિયન સેનાએ તેના જ કમાન્ડર પર હુમલો કર્યો

અગાઉ એવું નોંધવામાં આવ્યું હતું કે રશિયન સેના, ઘણી સૈન્ય નિષ્ફળતાઓનો સામનો કરી રહી છે, તેણે તેના પોતાના સાધનોનો નાશ કર્યો છે અને યુદ્ધ લડવાનો અને આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે રશિયન સેનાએ તેના જ કમાન્ડર પર હુમલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોનું મનોબળ ઘટી ગયું છે. આ પહેલીવાર નથી જ્યારે રશિયન અથવા સોવિયેત સૈનિકોએ સંઘર્ષમાં આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હોય.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભૂતકાળમાં પણ બળવો થયો હતો

રુસ-જાપાન યુદ્ધ દરમિયાન, રશિયન સૈનિકોએ જૂન 1905 માં બળવો કર્યો, જે ઇતિહાસની ઘટનાઓમાંની એક છે. સુશિમાના યુદ્ધમાં રશિયન નૌકાદળનો મોટા ભાગનો કાફલો નાશ પામ્યો હતો, અને તેમાં થોડા બિનઅનુભવી લડવૈયાઓ બચ્યા હતા. પછી 700 ખલાસીઓએ તેમના અધિકારીઓ સામે બળવો કર્યો હતો. ચેચન્યા (1994-96) સાથે રશિયાના પ્રથમ સંઘર્ષમાં પણ મોટી સંખ્યામાં સૈનિકો યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

આ પણ વાંચોઃ

જો બાઈડને વ્લાદિમીર પુતિનને ‘ક્રૂર’ કહ્યા, રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવાની આપી ધમકી

આ પણ વાંચોઃ

Sri Lanka: કર્ફ્યુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, વિપક્ષની ભારત પાસે મદદની આજીજી, જાણો શ્રીલંકાના સંકટ સાથે જોડાયેલી મોટી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">