AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે ! યુક્રેન પર પુતિનના હુમલાથી ઉભો થયો ખતરો, NATO ના ભૂતપૂર્વ વડાએ આપી ચેતવણી

નાટોના ભૂતપૂર્વ વડાએ કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. જો રશિયન સૈનિકો નાટોના વિસ્તારોમાં પગ મૂકશે તો તેના સભ્યો રશિયા સામે યુદ્ધ શરૂ કરશે. નાટોના સભ્ય દેશો યુક્રેનના પૂર્વમાં હાજર છે.

વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે ! યુક્રેન પર પુતિનના હુમલાથી ઉભો થયો ખતરો, NATO ના ભૂતપૂર્વ વડાએ આપી ચેતવણી
Russia Ukraine War - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:46 PM
Share

યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) હુમલાને કારણે હવે યુરોપમાં પરમાણુ યુદ્ધનો (Nuclear War) ખતરો ઉભો થયો છે. નાટોના ભૂતપૂર્વ વડાએ કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. યુરોપના ભૂતપૂર્વ નાટોના ડેપ્યુટી સુપ્રીમ એલાઈડ કમાન્ડર જનરલ સર એડ્રિયન બ્રેડશોએ જણાવ્યું હતું કે જો રશિયન સૈનિકો નાટોના વિસ્તારોમાં પગ મૂકશે તો તેના સભ્યો રશિયા સામે યુદ્ધ શરૂ કરશે. વાસ્તવમાં, નાટોના સભ્ય દેશો યુક્રેનના પૂર્વમાં હાજર છે. આવી સ્થિતિમાં જો આ દેશો પર ભૂલથી હુમલો થાય તો સ્થિતિ ભયાનક બની શકે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન પર ઓલઆઉટ યુદ્ધની ઘોષણા બાદ આજે ગુડ મોર્નિંગ બ્રિટન પર બોલતા, જનરલ સર એડ્રિને ચેતવણી આપી હતી કે જો રશિયન સૈનિકો નાટોના વિસ્તારોમાં પ્રવેશ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે.

વાસ્તવમાં, યુક્રેનની આસપાસ એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, હંગેરી, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા દેશો છે, જે નાટોના સભ્ય છે. જનરલ બ્રેડશોએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર છે. આનાથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. આપણે આવું ન થવા દેવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો હંમેશા ખતરો છે.

નાટો દેશો સાથે ટક્કર થશે તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે

જો કે, સર જનરલ બ્રેડશોએ કહ્યું કે પરંતુ મને નથી લાગતું કે યુક્રેન પરના હુમલાના સંદર્ભમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. જો રશિયા નાટોના સદસ્ય દેશો સાથે ટકરાશે અને પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જશે તો પરમાણુ હથિયારોનો ખતરો ઉભો થયો હશે. રશિયાનો સિદ્ધાંત પરિસ્થિતિને ચરમસીમાએ લઈ જવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું. તે પરિસ્થિતિને એટલી હદે લઈ જાય છે કે આપણે જવાની કલ્પના પણ કરી શકતા નથી. આ સ્થિતિમાં મોટો ખતરો ઉભો થાય છે.

યુક્રેનમાં લોકો આઘાતમાં છે

રશિયાએ આજે ​​સવારે યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી હતી. આ પછી યુક્રેન તરફ એક લાખ ટેન્ક મોકલવામાં આવી હતી. તે જ સમયે, રશિયાના હુમલા પછી, યુક્રેનમાં લોકો સુરક્ષિત સ્થળો તરફ જવા લાગ્યા છે. દેશભરમાં ATMની બહાર લોકોની લાંબી કતારો છે. નાગરિકો તેમના પાળતુ પ્રાણી અને સામાન કારમાં લઈને દેશની બહાર જઈ રહ્યા છે. કિવમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સિવાય ખાર્કિવ પ્રદેશના એક એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. રાજધાની કિવમાં પણ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા.

આ પણ વાંચો : Russia-Ukraine War Photos: લોકોમાં ગભરાટ, ચારેતરફ આગની જ્વાળાઓ, રશિયન હુમલાએ યુક્રેનમાં મચાવી તબાહી

આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનની સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 10 નાગરિકો અને 40થી વઘુ સૈનિકોના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">