Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: યુક્રેનની સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 10 નાગરિકો અને 40થી વઘુ સૈનિકોના મોત

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ અંગે યુક્રેનના સીમા રક્ષકોએ કહ્યુ કે, સરહદમાં ઘૂસણખોરી દરમિયાન 10 લોકોના મોત થયા છે. જ્યારે આ યુઘ્ધ દરમિયાન 40થી વધુ સૈનિકો શહીદ થયા છે.

Russia Ukraine Crisis: યુક્રેનની સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 10 નાગરિકો અને 40થી વઘુ સૈનિકોના મોત
Russia Ukraine Crisis (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:58 PM

Russia Ukraine Crisis:  રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ઘ શરુ થતા બંન્ને પક્ષોએ એકબીજાને ભારે નુકસાન પહોંચાડયાનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin)યુદ્ઘનું એલાન કર્યા બાદ રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ઘની શરુઆત થઇ છે. પુતિનની જાહેરાત બાદ રશિયન સૈનિકોએ યુક્રેન તરફ આગેકૂચ કરી હતી.

યુક્રેનના બોર્ડર ગાર્ડે કહ્યુ કે, રશિયન સૈન્યએ (Russian Army) યુક્રેનમાં અનેક દિશાઓથી હુમલો કર્યો છે.તમને જણાવી દઈએ કે, રશિયન સૈન્યએ ટેન્ક દ્નારા યુક્રેનના ઉત્તરીય પ્રદેશો તેમજ દક્ષિણમાં ક્રિમીઆ દ્વીપકલ્પમાંથી યુક્રેનમાં(Ukraine)  ઘુસણખોરી કર્યા બાદ બંને પક્ષના જવાનો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી.

લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ

યુક્રેને હાલ પરિસ્થિતિ જોતા દેશમાં માર્શલ લો લાગુ કરી દીઘો છે. લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે અને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની પણ અપીલ કરી છે. યુદ્ઘને પગલે અમેરિકાએ જણાવ્યુ છે કે, તે યુક્રેનને બઘી જ રીતે મદદ કરવા તૈયાર છે. આ સાથે EASAએ પણ તમામ એર ઓપરેટર્સને યુક્રેનિયન એરસ્પેસમાં નાગરિક યુદ્ઘના જોખમ અંગે ચેતવણી આપવામાં આવી છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

યુક્રેનને અત્યાર સુઘીમાં કેટલું નુકસાન થયુ ?

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ અંગે યુક્રેનના સીમા રક્ષકોએ કહ્યુ કે, સરહદમાં ઘૂસણખોરી દરમિયાન 10 લોકોના મોત થયા છે. જ્યારે આ યુઘ્ધ દરમિયાન 40થી વધુ સૈનિકો શહીદ થયા છે અને અસંખ્ય સૈનિકો ઘાયલ થયા છે.

તેમણે આગળ જણાવ્યું કે, યુક્રેનની સેના રશિયા વિરૂદ્ધ ભીષણ યુદ્ધ લડી રહી છે. અમે આ યુદ્ધમાં ઘણા લોકોને ગુમાવ્યા છે પરંતુ અમે રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયા મુખ્યત્વે યુક્રેનના લશ્કરી માળખા અને સિલોઝને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલામાં યુક્રેનની અનેક ચેકપોસ્ટ અને સૈન્ય મથકો નષ્ટ થઈ ગયા છે. રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને (Air Defense System) નષ્ટ કરવાનો દાવો કર્યો છે.

શું રશિયાને થયુ કોઈ નુકશાન ?

યુક્રેનિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેમણે 6 રશિયન ફાઇટર જેટ અને 2 હેલિકોપ્ટરનો નાશ કર્યો છે. યુક્રેનિયન સૈનિકોએ લુહાન્સ્ક ક્ષેત્રના શચાસ્ટિયા શહેર પર રશિયાના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. કિવ પોસ્ટ અનુસાર, યુક્રેન તરફથી વળતા વારમાં દુશ્મનના હથિયારોનો નાશ કરવામાં આવ્યો છે અને લગભગ 50 રશિયન સૈનિકો શહીદ થયા છે.

આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">