AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: રશિયન સેનાની નિર્દયતા, યુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને કરી હત્યા

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવ પ્રદેશના નગરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ પ્રદેશમાંથી પાછા ફરતા પહેલા રશિયાના લશ્કર પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો છે.

Russia Ukraine War: રશિયન સેનાની નિર્દયતા, યુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને કરી હત્યા
Russia Ukraine War (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 11:57 AM
Share

Russia Ukraine War:  યુક્રેનમાં (Ukraine) રશિયાના હુમલાની બર્બર તસ્વીરો ચોંકાવનારી છે. ચારે બાજુ નીરવ શાંતિ છે અને વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લાખો લોકો સ્થળાંતર કરીને અન્ય દેશોમાં આશ્રય લઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે, જેમાં યુક્રેનના એક મેયર અને તેના પરિવારની કથિત રીતે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહને રશિયન સૈનિકોએ(Russian Army)  જંગલ વિસ્તારમાં એક ખાડામાં ફેંકી દીધો હતો. એક સ્થાનિક રહેવાસીએ એસોસિએટેડ પ્રેસને આ માહિતી આપી છે.

યુવકે એપીને જણાવ્યું હતું કે કિવ (Kyiv)  નજીક યુક્રેનિયન શહેર મોટિઝિનના મેયર ઓલ્ગા સુખેન્કોને તેના પતિ અને પુત્ર સાથે કથિત રીતે ગોળી મારી દેવામાં આવી હતી કારણ કે તેઓએ રશિયન માગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. મેયર અને તેમના પરિવારને ગોળી માર્યા બાદ તેમના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યા હતા. મેયર સુખેન્કો અને તેના પરિવારનું રશિયન સેના દ્વારા 23 માર્ચે અપહરણ કરવામાં આવ્યું હતું. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે રવિવારે મેયરની હત્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે 11 વધુ મેયર અને સમુદાયના નેતાઓ હાલમાં રશિયાની કેદમાં છે.

કિવ નજીક 410 નાગરિકોના મૃતદેહ મળ્યા

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવ પ્રદેશના નગરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ પ્રદેશમાંથી પાછા ફરતા પહેલા લશ્કર પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો છે.નેતાઓએ અત્યાચારની નિંદા કરી અને રશિયા સામે કડક પ્રતિબંધોની હાકલ કરી છે. જર્મનીના સંરક્ષણ પ્રધાન ક્રિસ્ટીન લેમ્બ્રેચટે યુરોપિયન યુનિયનને (European Union)વિનંતી કરી છે કે તેઓ રશિયન ગેસ પર પ્રતિબંધો લાદવાનું વિચારે.

યુક્રેન હત્યા માટે રશિયન સૈનિકોને જવાબદાર ઠેરવ્યા

યુક્રેનિયન અધિકારીઓએ હત્યા માટે સંપૂર્ણપણે રશિયન સૈનિકોને જવાબદાર ઠેરવ્યા હતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેને નરસંહારનો પુરાવો ગણાવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ આરોપોને ફગાવી દીધા છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર, ઓલેકસી એરેસ્ટોવિચે ઉપનગરીય શેરીઓમાં પડેલા મૃતદેહોને “ભયાનક દૃશ્ય” તરીકે વર્ણવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : China: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પરીક્ષણ માટે ડોક્ટરો અને સેનાના જવાનો મેદાનમાં ઉતર્યા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">