AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: રશિયન સેનાની નિર્દયતા, યુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને કરી હત્યા

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવ પ્રદેશના નગરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ પ્રદેશમાંથી પાછા ફરતા પહેલા રશિયાના લશ્કર પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો છે.

Russia Ukraine War: રશિયન સેનાની નિર્દયતા, યુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને કરી હત્યા
Russia Ukraine War (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 11:57 AM
Share

Russia Ukraine War:  યુક્રેનમાં (Ukraine) રશિયાના હુમલાની બર્બર તસ્વીરો ચોંકાવનારી છે. ચારે બાજુ નીરવ શાંતિ છે અને વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લાખો લોકો સ્થળાંતર કરીને અન્ય દેશોમાં આશ્રય લઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે, જેમાં યુક્રેનના એક મેયર અને તેના પરિવારની કથિત રીતે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહને રશિયન સૈનિકોએ(Russian Army)  જંગલ વિસ્તારમાં એક ખાડામાં ફેંકી દીધો હતો. એક સ્થાનિક રહેવાસીએ એસોસિએટેડ પ્રેસને આ માહિતી આપી છે.

યુવકે એપીને જણાવ્યું હતું કે કિવ (Kyiv)  નજીક યુક્રેનિયન શહેર મોટિઝિનના મેયર ઓલ્ગા સુખેન્કોને તેના પતિ અને પુત્ર સાથે કથિત રીતે ગોળી મારી દેવામાં આવી હતી કારણ કે તેઓએ રશિયન માગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. મેયર અને તેમના પરિવારને ગોળી માર્યા બાદ તેમના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યા હતા. મેયર સુખેન્કો અને તેના પરિવારનું રશિયન સેના દ્વારા 23 માર્ચે અપહરણ કરવામાં આવ્યું હતું. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે રવિવારે મેયરની હત્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે 11 વધુ મેયર અને સમુદાયના નેતાઓ હાલમાં રશિયાની કેદમાં છે.

કિવ નજીક 410 નાગરિકોના મૃતદેહ મળ્યા

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવ પ્રદેશના નગરોમાંથી 410 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ પ્રદેશમાંથી પાછા ફરતા પહેલા લશ્કર પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો છે.નેતાઓએ અત્યાચારની નિંદા કરી અને રશિયા સામે કડક પ્રતિબંધોની હાકલ કરી છે. જર્મનીના સંરક્ષણ પ્રધાન ક્રિસ્ટીન લેમ્બ્રેચટે યુરોપિયન યુનિયનને (European Union)વિનંતી કરી છે કે તેઓ રશિયન ગેસ પર પ્રતિબંધો લાદવાનું વિચારે.

યુક્રેન હત્યા માટે રશિયન સૈનિકોને જવાબદાર ઠેરવ્યા

યુક્રેનિયન અધિકારીઓએ હત્યા માટે સંપૂર્ણપણે રશિયન સૈનિકોને જવાબદાર ઠેરવ્યા હતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેને નરસંહારનો પુરાવો ગણાવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ આરોપોને ફગાવી દીધા છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર, ઓલેકસી એરેસ્ટોવિચે ઉપનગરીય શેરીઓમાં પડેલા મૃતદેહોને “ભયાનક દૃશ્ય” તરીકે વર્ણવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : China: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો, પરીક્ષણ માટે ડોક્ટરો અને સેનાના જવાનો મેદાનમાં ઉતર્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">