રશિયા યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના પગલે અનેક ભારતીયો ત્યાં ફસાઈ ચૂક્યા છે. જેમને વતન ફરીથી લઈ આવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) હાથ ધરવામાં આવ્યું છે. ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત આજરોજ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી 240 ભારતીય નાગરિકોને લઈને આ મિશનની ત્રીજી ફ્લાઈટ દિલ્હી જવા રવાના થઈ ચૂકી છે. આ પહેલા પણ રશિયાના હુમલાના કારણે યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને રોમાનિયાના બુકારેસ્ટથી બીજી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.
Indian students stuck in Ukraine being taken to Budomierz (Poland), away from Shehyni (Ukraine), on buses.#RussiaUkraineCrisis pic.twitter.com/xZSFtd2Lzb
— ANI (@ANI) February 28, 2022
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને આ નાગરિકોનું સ્વાગત કર્યું. સિંધિયાએ પરત ફરેલા ભારતીયોને કહ્યું કે ‘હું જાણું છું કે તમે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છો, પરંતુ આપણા વડાપ્રધાન દરેક તબક્કા પર તમારી સાથે છે, ભારત સરકાર દરેક પગલા પર તમારી સાથે છે અને 130 કરોડ ભારતીયો દરેક પગલા પર તમારી સાથે છે.’
ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ બનાવ્યા છે, જેથી ભારતીયોને આ દેશો સાથે જોડાયેલી યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે વતન પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.
Weekend curfew lifted in Kyiv. All students are advised to make their way to the railway station for onward journey to the western parts. Ukraine Railways is putting special trains for evacuations: Embassy of India in Kyiv, Ukraine#RussiaUkraineCrisis
— ANI (@ANI) February 28, 2022
યુક્રેનની રાજધાની કિવથી વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની જાહેરાત કરાઇ છે. તમામ ભારતીય વિદ્યાર્થીઓને ટ્રેનમાં બેસાડી દીધા બાદ તેમને પશ્ચિમ તરફ જવા માટે જણાવવામાં આવ્યું છે. યુક્રેનિયન રેલ્વે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. આ સિવાય યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બસોમાં શેહિની (યુક્રેન)થી બુડોમિર્ઝ (પોલેન્ડ) લઈ જવામાં આવી રહ્યા છે.
SpiceJet will operate a special evacuation flight to Budapest, Hungary to evacuate Indian nationals stranded in Ukraine and bring them home.#RussiaUkraineConflict pic.twitter.com/AhbmZQJvEt
— ANI (@ANI) February 28, 2022
એર ઈન્ડિયા બાદ હવે સ્પાઈસ જેટ પણ યુક્રેનમાંથી ભારતીયોને વતન પરસ્તીમાં મદદ કરશે. સ્પાઇસેટ હંગેરી (બુડાપેસ્ટ) માટે વિશેષ ફ્લાઇટ ચલાવશે. આ વિશેષ ફ્લાઇટ માટે બોઇંગ 737નો ઉપયોગ કરવામાં આવશે, જે પણ ભારતીયોને લઈને દિલ્હી પરત ફરશે.
યુક્રેન દ્વારા ગત તા. 24 ફેબ્રુઆરીની સવારે પેસેન્જર પ્લેનના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઈટ્સ બુકારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ભારતીય નાગરિકો યુક્રેન-રોમાનિયા અને યુક્રેન-હંગેરી સરહદે રોડ માર્ગે પહોંચ્યા હતા, તેમને ભારત સરકારના અધિકારીઓની મદદથી અનુક્રમે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ લઈ જવામાં આવ્યા હતા, જેથી તેઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા વતન ફરીથી લઇ જઇ શકાય.
આ પણ વાંચો – શું ખત્મ થશે રશિયા અને યુક્રેન વચ્ચનું યુદ્ધ? બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે થશે વાતચીત