Russia-Ukraine War: રશિયાનો દાવો, યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને ઢાલ તરીકે કરી રહ્યા છે ઉપયોગ, ભારતે કહ્યુ તમામ સુરક્ષિત

ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખાએ રશિયાના આરોપોને ફગાવતા કહ્યું કે, યુક્રેન જે પોતાનું લોહી વહાવી રહ્યું છે, ત્યાં ફસાયેલા વિદેશી વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યું છે.

Russia-Ukraine War: રશિયાનો દાવો, યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને ઢાલ તરીકે કરી રહ્યા છે ઉપયોગ, ભારતે કહ્યુ તમામ સુરક્ષિત
student will exit Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 9:45 AM

Russia-Ukraine War: બુધવારે, રશિયન સંરક્ષણ મંત્રાલયે(Russian Ministry of Defense)દાવો કર્યો હતો કે તેની સેના યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ અને ખાર્કિવમાંથી ભારતીય વિદ્યાર્થી(Indian Student)ઓને બહાર કાઢવામાં મદદ કરી રહી છે, પરંતુ યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા છે. રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન હવે ભારતીય વિદ્યાર્થીઓને ઢાલ બનાવી રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં રોકવામાં આવ્યા છે. રશિયાએ કહ્યું કે ખાર્કિવમાંથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારતમાં (Igor Polikha, Ambassador of Ukraine)એ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે યુક્રેન જે પોતાનું લોહી વહાવી રહ્યું છે, ત્યાં ફસાયેલા વિદેશી વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યું છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે કહ્યું કે તેની સશસ્ત્ર દળો યુક્રેનના ખાર્કિવ શહેરથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છે. ભારતમાં રશિયન દૂતાવાસના એક અધિકારીએ રશિયન સંરક્ષણ મંત્રાલયની બ્રીફિંગની વિગતો શેર કરી. મોસ્કોમાં એક મીડિયા બ્રીફિંગમાં, સંરક્ષણ મંત્રાલયે એવો પણ આક્ષેપ કર્યો હતો કે યુક્રેનના સત્તાવાળાઓ બેલ્ગોરોડ જવાની તેમની ઇચ્છા વિરુદ્ધ ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીઓના જૂથને બળજબરીથી અટકાયતમાં લઈ રહ્યા છે.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીયોને બહાર કાઢવા માટે રશિયાના ચાલી રહેલા અભિયાન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને યુક્રેનમાંથી ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર અંગે ચર્ચા કરી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી.પીએમઓએ કહ્યું કે બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી, ખાસ કરીને ખાર્કિવમાં, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી.

પુતિન સાથે વડા પ્રધાનની વાતચીત ત્યારે થઈ જ્યારે મોદી એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા વડાપ્રધાન મોદી રવિવારથી અવારનવાર બેઠકો કરી રહ્યા છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોઈને ત્યાંના ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ સહિત તેના તમામ નાગરિકોને તાત્કાલિક ખાર્કિવ છોડી દેવાની અપીલ કરી છે. સંરક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને તાત્કાલિક પેસોચિન, બાબયે અને બેઝલ્યુડોવકા પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">