AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયાના રાજદૂતનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાન માટે ભારત સાથે સબંધ ખરાબ કરીશું નહિં, ચીન પર પણ કહી મોટી વાત

નવી દિલ્હીમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત અને રશિયાના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. ડેનિસ અલીપોવે કહ્યું છે કે રશિયાએ ભારતની ખાતર પાકિસ્તાન સાથેના પોતાના સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે.

રશિયાના રાજદૂતનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાન માટે ભારત સાથે સબંધ ખરાબ કરીશું નહિં, ચીન પર પણ કહી મોટી વાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 1:41 PM
Share

પાકિસ્તાનના કારણે રશિયા તેના પ્રિય મિત્ર ભારત સાથેના સંબંધો બગાડવા માંગતું નથી. નવી દિલ્હીમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતની ખાતર રશિયાએ પાકિસ્તાન સાથેના પોતાના સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ડેનિસ અલીપોવે વધુમાં કહ્યું છે કે રશિયા ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી ભારતને નુકસાન થાય.

આ પણ વાચો: Russia Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન યુદ્ધ સમાપ્ત કરવા યુક્રેનનું કરવા માંગે છે વિભાજન, રશિયાને 20 ટકા હિસ્સો આપવા તૈયાર

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવનું આ નિવેદન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના પાકિસ્તાન અંગેના નિવેદન બાદ આવ્યું છે. તે નિવેદનમાં સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે, રશિયા નિયમિત સૈન્ય ગતિવિધિઓમાં પાકિસ્તાનને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ રશિયા પહોંચ્યા હતા. આ મુલાકાત પાછળ બિલાવલનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને રશિયા વચ્ચે સંરક્ષણ અને વેપાર સંબંધોને મજબૂત કરવાનો હતો.

ભારત માટે ક્રુડનો પુરવઠો ચાલુ રહેશે

નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અલીપોવે રશિયા અને ભારત વચ્ચેના તેલ વેપાર અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલ પર પશ્ચિમી દેશોની પ્રાઇસ કેપ છતાં રશિયા ભારતને ઓઈલ સપ્લાય કરવાનું ચાલુ રાખશે. આ સાથે તમામ પ્રકારની નિકાસનું સ્તર જળવાઈ રહેશે. રશિયાએ કહ્યું કે તે ભારત સાથેના સંબંધોમાં વિવિધતા લાવવા માંગે છે. રશિયાના રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કોઈની વિરુદ્ધ નથી, પરંતુ બંનેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે છે.

ભારત અને ચીનના સંબંધો પર રશિયાનું નિવેદન

રશિયાના રાજદૂતે ભારત અને ચીનના સંબંધો પર પણ નિવેદન આપ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે રશિયા ઈચ્છે છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય બને. રશિયન રાજદૂતે કહ્યું કે તે માત્ર એશિયાઈ સુરક્ષાના દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં પણ વધુ સારું છે.

રશિયન રાજદૂતે વધુમાં કહ્યું કે તેઓ સમજે છે કે આમાં ઘણા અવરોધો છે. બંને દેશો વચ્ચે સરહદની સમસ્યા છે, જે ઘણી જટિલ છે. તેમણે વધુમાં કહ્યું કે એક સમયે રશિયાનો ચીન સાથે પણ સીમા વિવાદ હતો. બંને દેશોને મંત્રણા શરૂ કરવામાં લગભગ 40 વર્ષ લાગ્યા અને ઉકેલ શોધવાનો આ એકમાત્ર રસ્તો છે. રશિયાના રાજદૂતે વધુમાં કહ્યું હતું કે તેઓ આ બાબતે ભારત અને ચીને શું કરવું જોઈએ તે જણાવતા નથી. આ બંને દેશોનો દ્વિપક્ષીય મામલો છે જેમાં રશિયા હસ્તક્ષેપ કરતું નથી.

જો કે, તેમણે વધુમાં કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો જેટલા જલ્દી સામાન્ય થઈ જશે તેટલું જ આખી દુનિયા માટે સારું રહેશે. તેમણે કહ્યું કે જો ક્યારેય રશિયા તરફથી પ્રયાસોની જરૂર પડશે તો તે તેને સુવિધા આપવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.

આ સાથે જ રશિયાના રાજદૂતે અમેરિકા પર પણ નિશાન સાધ્યું હતું. રશિયન રાજદૂતે કહ્યું કે જો અમેરિકાના ચીન સાથેના સંબંધો સુધરશે અથવા ભારતના ચીન સાથેના સંબંધો સુધરશે તો ભારત પ્રત્યે અમેરિકાનું વલણ બદલાઈ શકે છે. રશિયાના રાજદૂતે કહ્યું કે તેમના મતે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરવાથી સમગ્ર વિશ્વ માટે સાનુકૂળ પરિણામ આવશે, પરંતુ તે અમેરિકા માટે આફત સમાન હશે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">