AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Power Crisis : POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હવે વીજળીનું સંકટ, લોકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ

પાકિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને જ્યાં સુધી વિજળી મળશે નહિ, ત્યાં સુધી સ્થાનિક લોકોએ હાઈવે બ્લોક કરવાની જાહેરાત કરી હતી.

Pakistan Power Crisis : POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હવે વીજળીનું સંકટ, લોકોએ રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ
POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હવે વીજળીનું સંકટ, લોકો રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 2:47 PM
Share

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પણ અનાજની અછત વચ્ચે વીજળીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર ગિલગિટ શહેરના ઘણા વિસ્તારોમાં વીજળીના અભાવને કારણે છેલ્લા એક અઠવાડિયાથી લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે અને સરકાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

શહેરમાં વાહનવ્યવહાર થંભી ગયો હતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર વિરોધ કરનારાઓને કડક ચેતવણી આપી હતી અને જ્યાં સુધી વિજળી પાછી ન આવે ત્યાં સુધી પ્રદર્શન દરમિયાન હાઇવેને સંપૂર્ણ રીતે બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત લોકો ઝડપથી વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી સામે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

સેના પર પણ લગાવ્યા ગંભીર આરોપો

વિરોધ કરી રહેલા લોકો છેલ્લા ઘણા મહિનાઓથી સેનાની મનમાનીનો પણ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારાઓએ સૈન્ય પર મોટા પાયે જમીન કબજે કરવાનો અને ખનિજ ખાણોને લઈ લેવાનો આરોપ લગાવ્યો છે. ઇકોનોમિક કોરિડોરના નામે ચીન અને પાકિસ્તાનના બિઝનેસ હાઉસ આ વિસ્તારના સ્થાનિક સંસાધનોને લૂંટી રહ્યા છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો સેના દ્વારા જમીન હડપ કરવાને લઈને વહીવટીતંત્ર અને સંઘીય સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે લોકો

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જે લોટની કિંમતોમાં વધારાને કારણે ઉભું થયું છે. નાગરિકોને સબસિડીવાળા ઘઉં પૂરા પાડતા સરકારી ડેપોને તાળા મારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓ સરકારની નીતિની નિષ્ફળતાને કારણે પૂરા કરવામાં અસમર્થ હતા, જેના પરિણામે ઘઉંના ભાવમાં મોટો વધારો થયો છે.

આ પણ વાચો: Drone: ભારતને મળશે વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન, ચીન-પાકિસ્તાનની ઉડશે ઉંઘ

પાકિસ્તાની મીડિયા મુજબ લોકો પાસે ભોજન બનાવવા માટે લોટ નથી. ઘઉંના ભાવમાં એક દિવસમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. લોટનો સરકારી ડેપો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારી અનાજની દૂકાનમાં પણ લોટ નથી. પીઓકેના લગભગ દરેક શહેરમાં લોકો વિરોધ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ, વકીલો, સિવિલ સોસાયટી અને મહિલાઓ પણ વિરોધ કરી રહી છે.

ફંડ રીલીઝ કરવા માગ

ગિલગિટ-બાલ્ટિસ્તાન હાલમાં ભારે આર્થિક સંકટમાં છે. ફેડરલ સરકાર પાસેથી ફંડ રીલીઝ કરવા માંગે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગવર્નર સૈયદ મેહદી શાહે આ પ્રદેશની નાણાકીય કટોકટી અંગે સરકાર પાસેથી નાણાકીય સહાયની માંગ કરી હતી. સૂત્રોએ પાકિસ્તાનની ન્યુઝ પોર્ટલ ડૉનને જણાવ્યું કે સંઘીય સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને વાર્ષિક નાણાકીય વિકાસ અનુદાન બહાર પાડ્યું નથી, જ્યારે પ્રદેશ સંઘીય સરકારની નાણાકીય અનુદાન પર નિર્ભર છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">