AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કતારમાં નેવી જવાનોની ફાંસી પર PM મોદીનો હસ્તક્ષેપ, મૃત્યુદંડની સજા સંભળાવેલા 8 પૂર્વ નેવી જવાનોને મળ્યા એમ્બેસેડર

ભારતીય રાજદ્વારી કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ નૌસેના જવાનોને મળ્યા છે. ભારતીય રાજદ્વારી આ લોકોને મળ્યા અને તેમના કેસ વિશે માહિતી આપી છે. PMએ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. અંતે જવાનોને એમ્બેસેડર મળવ પહોંચ્યા હતા. 

કતારમાં નેવી જવાનોની ફાંસી પર PM મોદીનો હસ્તક્ષેપ, મૃત્યુદંડની સજા સંભળાવેલા 8 પૂર્વ નેવી જવાનોને મળ્યા એમ્બેસેડર
| Updated on: Dec 07, 2023 | 8:09 PM
Share

ભારતીય રાજદ્વારી કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ નૌસેના અધિકારીઓને મળ્યા છે. ભારતીય રાજદ્વારી આ લોકોને મળ્યા છે અને તેમના કેસ વિશે માહિતી આપી છે. એવા અહેવાલ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ દુબઈમાં યુએન ક્લાઈમેટ સમિટ દરમિયાન કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ કતારના શાસક પાસે માગ કરી હતી કે રાજદ્વારીઓને ભારતીય કેદીઓને મળવાની પરવાનગી આપવામાં આવે. આ માગણી બાદ જ આ મંજૂરી આપવામાં આવી હતી અને હવે રાજદ્વારીએ કતારની જેલમાં બંધ પૂર્વ મરીન જવાનો સાથે મુલાકાત કરી છે.

આ બેઠક અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને કતારના શેખ તમીમ બિન હમાદ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ભારતીય સમુદાયના હિત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારા રાજદ્વારીને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો છે અને 3 ડિસેમ્બરના રોજ જેલમાં બંધ તમામ આઠ ભૂતપૂર્વ રાજદ્વારીઓને મળ્યા છે.”

ભારત તરફથી અપીલના પ્રશ્ન પર બાગચીએ કહ્યું, ‘અત્યાર સુધી આ મામલે બે સુનાવણી થઈ છે. આગામી પણ ટૂંક સમયમાં થશે. અમે સંપૂર્ણ કાયદાકીય મદદ આપી રહ્યા છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે, અમે જે પણ કરી શકીએ તે કરીશું.

આ પણ વાંચો : શું ચીનથી આવ્યો ન્યુમોનિયા? AIIMSમાં દાખલ થયા દર્દીઓ? જાણો સરકારે શું કર્યો મોટો ખુલાસો

એવું માનવામાં આવે છે કે PM નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ જ ભારતીય રાજદ્વારીને કતારની જેલમાં બંધ પૂર્વ મરીનને મળવાની પરવાનગી મળી હતી. PM નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં કતાર, UAE, સાઉદી અરેબિયા સહિત ઘણા મુસ્લિમ દેશો સાથે સંબંધો સુધર્યા છે.

આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તેમના હસ્તક્ષેપને કારણે રાજદ્વારીને ભૂતપૂર્વ મરીનને મળવાની તક મળી. કતારનો આરોપ છે કે આ લોકોની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આક્ષેપ છે કે તે એક ખાનગી સંરક્ષણ કંપનીમાં કામ કરતાં હતા.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">