AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ પૂરથી થયેલી તબાહી પર ચિંતા વ્યક્ત કરી, તો પાકિસ્તાની PMએ કહ્યું- ઇન્શાઅલ્લાહ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ પાકિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ હવે પાકિસ્તાન(pakistan)ના પીએમ શાહબાઝ શરીફે બુધવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

PM મોદીએ પૂરથી થયેલી તબાહી પર ચિંતા વ્યક્ત કરી, તો પાકિસ્તાની PMએ કહ્યું- ઇન્શાઅલ્લાહ...
PM Modi expressed concern over the devastation caused by the floods
| Updated on: Sep 01, 2022 | 6:56 AM
Share

આ સમયે પૂરના કારણે પાકિસ્તાન(Pakistanમાં હોબાળો મચી ગયો છે. સ્થિતિ એટલી બગડી છે કે સરકારે રાહત કાર્ય(Relief Work) માટે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ પાકિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી, જે પછી હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે બુધવારે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. 1,100 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 33 મિલિયન લોકો વિસ્થાપિત થયા છે.

શાહબાઝ શરીફે ટ્વીટ કરીને કહ્યું કે, પૂરને કારણે માનવ અને ભૌતિક નુકસાન પ્રત્યે શોક વ્યક્ત કરવા બદલ હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. પાકિસ્તાનના લોકો તેના અનન્ય ગુણો સાથે, ઇન્શાઅલ્લાહ, આ કુદરતી આફતની પ્રતિકૂળ અસરોને દૂર કરશે અને તેમના જીવન અને સમુદાયોને ફરીથી બનાવશે.

વડા પ્રધાન મોદીએ સોમવારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને તેઓ દુખી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાડોશી દેશમાં વહેલી તકે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે.

મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “પાકિસ્તાનમાં પૂરથી થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારજનો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થવાની આશા રાખીએ છીએ.”

અમેરિકાએ માનવતાવાદી સહાયમાં $30 મિલિયનની જાહેરાત કરી

બીજી તરફ, અમેરિકાએ મંગળવારે પૂરગ્રસ્ત પાકિસ્તાનને 30 મિલિયન ડોલરની માનવીય સહાયની જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકને કહ્યું કે અમે આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનની સાથે છીએ.

તેમણે કહ્યું કે, પાકિસ્તાન ગંભીર પૂરથી પ્રભાવિત હોવાથી, ખોરાક, પીવાનું સલામત પાણી અને આશ્રય જેવી ગંભીર માનવતાવાદી સહાય માટે US USAID દ્વારા $30 મિલિયન પ્રદાન કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે અંદાજિત 33 મિલિયન લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને 1,100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1,600 થી વધુ લોકો ઘાયલ થયા છે.

પટેલે જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઈડી)ના ભાગીદારો આ ભંડોળનો ઉપયોગ ખોરાક, પોષણ, પીવાનું સલામત પાણી, સારી સ્વચ્છતા, આશ્રય સહાય વગેરે જેવી જરૂરી મદદ પૂરી પાડવા માટે કરશે. પાકિસ્તાન તાજેતરના ઇતિહાસમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">