AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પાયમાલ પાકિસ્તાન ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની આગમાં ખુદને હોમવાની ભૂલ કરશે? 

પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દીધુ છે. સમગ્ર વિશ્વની જિયોપોલિટીકલ ગતિવિધિ તેનાથી પ્રભાવિત થઈ રહી છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન સામે મોરચો માંડી રહ્યા છે, પ્રાદેશિક અસ્થિરતામાં આપણો પડોશી દેશ પાકિસ્તાન અત્યારે ‘સૂડી અને સોપારી’ વચ્ચે ફસાયેલું છે. એક તરફ આર્થિક પાયમાલી અને […]

શું પાયમાલ પાકિસ્તાન ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની આગમાં ખુદને હોમવાની ભૂલ કરશે? 
| Updated on: Mar 06, 2026 | 8:15 PM
Share

પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દીધુ છે. સમગ્ર વિશ્વની જિયોપોલિટીકલ ગતિવિધિ તેનાથી પ્રભાવિત થઈ રહી છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન સામે મોરચો માંડી રહ્યા છે, પ્રાદેશિક અસ્થિરતામાં આપણો પડોશી દેશ પાકિસ્તાન અત્યારે ‘સૂડી અને સોપારી’ વચ્ચે ફસાયેલું છે. એક તરફ આર્થિક પાયમાલી અને બીજી તરફ સામરિક (Strategic) મજબૂરીઓ વચ્ચે પાકિસ્તાન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાં તેનો એક ખોટો નિર્ણય તેને સંપૂર્ણ વિનાશ તરફ ધકેલી શકે છે.

સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર

પાકિસ્તાનની વર્તમાન દુવિધાનું સૌથી મોટું કારણ સાઉદી અરેબિયા સાથેનો તેનો દ્વિપક્ષીય સંરક્ષણ કરાર છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા આ ‘મ્યુચ્યુઅલ ડિફેન્સ પેક્ટ’ (Mutual Defense Pact) મુજબ, જો સાઉદી અરેબિયા પર કોઈ હુમલો થાય, તો પાકિસ્તાન તેને પોતાના સાર્વભૌમત્વ પર થયેલો હુમલો ગણશે અને સાઉદીના રક્ષણ માટે યુદ્ધમાં ઉતરશે. સાઉદી અરેબિયા પાકિસ્તાનનું મુખ્ય ફાઇનાન્સર છે, તેથી પાકિસ્તાન માટે આ વચન તોડવું આર્થિક રીતે આત્મઘાતી છે. જમીની હકીકત એ છે કે પાકિસ્તાન ઈરાન સાથે લગભગ 900 કિમી લાંબી સરહદ ધરાવે છે. જો પાકિસ્તાન સાઉદીના રક્ષણ માટે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરે, તો તેણે પોતાના જ પડોશમાં એક નવો અને અત્યંત શક્તિશાળી દુશ્મન ઊભો કરવો પડશે. તાજેતરમાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ નિવેદન આપ્યુ કે “સાઉદી અરબ સાથે અમારો વ્યૂહાત્મક સંરક્ષણ કરાર છે… અમે તેનાથી બંધાયેલા છીએ.”

પાકિસ્તાનનો મધ્યસ્થીનો દાવો પોકળ

પાકિસ્તાના વિદેશ મંત્રી ઈશાક ડારે હાલમાં જ દાવો કર્યો હતો કે તેમના હસ્તક્ષેપ અને સમજાવટને કારણે ઈરાને સાઉદી અરેબિયા પરના હુમલા ઘટાડ્યા છે. પાકિસ્તાન વિશ્વ સમક્ષ પોતે ‘શાંતિદૂત’ હોવાનો દેખાવ કરી રહ્યું છે, પરંતુ સાઉદી ડિફેન્સ મિનિસ્ટ્રીના સત્તાવાર ડેટા આ દાવાની પોલ ખોલે છે.

  • 4 માર્ચ: સૌદીની ‘રાસ તનૂરા’ રિફાઇનરી પર હુમલાનો પ્રયાસ
  • 5 માર્ચ: અલ જફ ક્ષેત્રમાં ઈરાન તરફથી આવેલા આક્રમક ડ્રોનને તોડી પાડવામાં આવ્યા
  • 6 માર્ચ: પ્રિન્સ સુલ્તાન એરબેઝ તરફ ત્રણ બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી

આ તથ્યો સ્પષ્ટ કરે છે કે ઈરાને હુમલા રોક્યા નથી. પાકિસ્તાન માત્ર પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવા અને સૌદીને ખુશ રાખવા માટે જૂઠાણાંનો આશરો લઈ રહ્યું છે.

28 દિવસનું તેલ અને 1000 ગણું વીમા પ્રીમિયમ

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે વેન્ટિલેટર પર છે. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાન પાસે હવે માત્ર 20 થી 28 દિવસનો તેલ ભંડાર બચ્યો છે. ઈરાન જ્યારે ‘સ્ટેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) જેવા મહત્વના ‘ચોક પોઈન્ટ’ (Choke Point) પર પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન માટે ઊર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી પસાર થતા ઓઈલ ટેન્કરો માટેનું વીમા પ્રીમિયમ (Insurance Cost) $100 થી વધીને સીધું $1,00,000 થઈ ગયું છે. આ 1000 ગણો વધારો પાકિસ્તાન જેવી કંગાળ અર્થવ્યવસ્થા માટે અસહ્ય છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પાકિસ્તાન સરકાર હવે તેલ બચાવવા માટે આઈટી કંપનીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ અને શાળાઓને ઓનલાઈન શિક્ષણ આપવા જેવી કટોકટીની વિચારણા કરી રહી છે. તેની સામે ભારત 75 દિવસનો તેલ ભંડાર અને 40 થી વધુ દેશો સાથેના વેપારી સંબંધોને કારણે અત્યંત સુરક્ષિત સ્થિતિમાં છે.

ત્રણ મોરચે યુદ્ધનો ભય- ઈરાન, અફઘાનિસ્તાન અને બલોચિસ્તાન

જો પાકિસ્તાન સાઉદીના પક્ષમાં રહીને ઈરાન સામે યુદ્ધમાં ઉતરે છે, તો તેણે ઈરાન સાથેની પોતાની 900 કિમી લાંબી સરહદ પર નવો મોરચો ખોલવો પડશે. પાકિસ્તાન માટે આ આત્મઘાતી સાબિત થઈ શકે છે કારણ કે બલોચિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મી (BLA) ના લડવૈયાઓ પહેલેથી જ પાકિસ્તાની સેના પર ભારે પડી રહ્યા છે. જો ઈરાન BLA ને ટેકો આપે, તો પાકિસ્તાન અંદરથી જ તૂટી શકે છે.  ઈરાન આ બળવાખોરોને સક્રિય કરીને પાકિસ્તાનને અંદરથી તોડવા માટે ‘પિન્સર મુવ’ (Pincer Move) અજમાવી શકે છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાન સરહદે તાલિબાન સાથેના સંબંધો પણ વણસેલા છે. આમ, પાકિસ્તાન ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલું છે. અફઘાનિસ્તાન સાથેના બગડેલા સંબંધો વચ્ચે ઈરાન સાથે નવો મોરચો ખોલવો એ પાકિસ્તાન માટે ભૌગોલિક-રાજકીય આત્મહત્યા સાબિત થશે.

અમેરિકાનો ‘યુઝ એન્ડ થ્રો’ અભિગમ અને ન્યુક્લિયર બ્લફ

પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે અમેરિકાએ હંમેશા પાકિસ્તાનનો ઉપયોગ જ કર્યો છે. વાસ્તવમાં, અમેરિકાએ પાકિસ્તાનને વર્ષો સુધી એટલા માટે પ્રોત્સાહન આપ્યું હતું કે જ્યારે ઈરાન પર હુમલો કરવાનો સમય આવે ત્યારે પાકિસ્તાન એક મજબૂર પ્રેક્ષક અથવા સાધન તરીકે કામ આવે. પાકિસ્તાન જે પરમાણુ શક્તિ હોવાનો દાવો કરે છે, તેનું વજૂદ પણ હવે ઓગળી રહ્યું છે. ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશો પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી ડરતા નથી. જેમ કે એક જાણીતું વિશ્લેષણ કહે છે: “તમારી પાસે પરમાણુ બોમ્બ હશે, પણ અમારી પાસે આત્મઘાતી હુમલાખોરો (Suicide Bombers) છે.” આ અસમપ્રમાણ યુદ્ધમાં પાકિસ્તાનનું પરમાણુ હથિયાર નકામું સાબિત થઈ રહ્યું છે.

જ્યારે ભારત ‘મિડ-વે’ (Midway) ડિપ્લોમસી દ્વારા ઈરાનને સાંત્વના પણ આપે છે અને પોતાની તટસ્થતા પણ જાળવી રાખે છે, ત્યારે પાકિસ્તાન પોતાની સ્પષ્ટતાના અભાવે અલગ પડી રહ્યું છે. પાકિસ્તાન માટે અત્યારે યુદ્ધમાં પડવું એ આર્થિક અને સામરિક રીતે માત્ર પાયમાલી જ લાવશે. તેના શાસકો કદાચ નોબેલ શાંતિ પુરસ્કારના સપના જોતા હશે, પણ વાસ્તવિકતા એ છે કે તેઓ પોતાના જ દેશને અંધકાર તરફ ધકેલી રહ્યા છે.

શું પાકિસ્તાન યુદ્ધમાં જોડાશે?

સોર્સિસના વિશ્લેષણ મુજબ, આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટપણે ‘ના’ છે. પાકિસ્તાન પાસે યુદ્ધ લડવા માટે જરૂરી નાણાકીય ભંડોળ નથી. તે માત્ર નિવેદનોબાજી અને સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાઉદી અરેબિયા પણ હવે સમજી ચૂક્યું છે કે પાકિસ્તાન ભરોસાપાત્ર મિત્ર નથી કારણ કે તે જરૂરિયાતના સમયે મેદાનમાં ઉતરવાની સ્થિતિમાં જ નથી. પાકિસ્તાન અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે અને કોઈપણ નવા યુદ્ધમાં ઝંપલાવવું તેના માટે વિનાશક સાબિત થઈ શકે છે

અમેરિકા અને ઈઝરાયેલ પ્રત્યે પાકિસ્તાનનું બેવડું વલણ

પાકિસ્તાન માટે બીજી મોટી મુશ્કેલી અમેરિકા છે. અમેરિકાએ ભૂતકાળમાં પાકિસ્તાનનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ કરવા માટે જ કર્યો હોવાનું ખુદ પાકિસ્તાની નેતાઓ સ્વીકારે છે. પાકિસ્તાન ઈરાન પરના હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવે છે, પરંતુ તે અમેરિકા વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની હિંમત કરી શકતું નથી.  પાકિસ્તાનને ડર છે કે જો તે અમેરિકા કે ઈઝરાયેલ સામે મોરચો ખોલશે, તો તેની આર્થિક મદદ સંપૂર્ણપણે બંધ થઈ જશે. 

અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
g clip-path="url(#clip0_868_265)">