ભારત માટે નફરત બતાવવાની એક તક નથી છોડતુ પાકિસ્તાન, ઘોરી, ગઝની, બાબરના નામ પરથી રાખ્યા છે પોતાની મિસાઈલોના નામ
પાકિસ્તાન એક એવો દેશ છે જે હંમેશા ભારત માટે ઝેર ઓકે છે અને ભારત માટેની તેની નફરત કોઈને કોઈ બહાને પ્રદર્શિત કરતુ રહ્યુ છે. આ જ કારણ છે કે ભારતને વર્ષો સુધી લૂંટનારા વિદેશી આક્રાંતાઓના નામ પરથી પાકિસ્તાને તેની મિસાઈલોના નામ રાખ્યા છે. જે મુઘલ આક્રમણકારોએ ભારતના પ્રાચીન વારસાને તહસ નહસ કરી નાખ્યો, ભારતના મંદિરોના ખજાના લૂંટ્યા એ લૂંટારાઓ માટે પાકિસ્તાન ગર્વ લે છે અને તેમને ઈસ્લામના વિજેતાઓ ગણાવે છે.

પાકિસ્તાનને એ ગર્વ છે કે તેણે તેની મિસાઈલો ગઝની, ઘોરી, અબ્દાલી અને બાબર જેવા મુઘલ વિજેતાઓના નામ પર છે. જો કે આ કોઈ મુસ્લિમ વિજેતાઓ ન હતા પરંતુ ભારતીય ઉપમહાદ્વીપના પ્રાચીન વારસા, સંસ્કૃતિને નષ્ટ કરી દેનાર વિદેશી આક્રાંતાઓ હતા. જેમણે અહીં લખલૂટ લૂંટ તો ચલાવી જ પરંતુ નરસંહાર પણ કર્યો. અને લાખો હિંદુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારતના પ્રાચીન મંદિરોને પહેલા જેટલા લૂંટાય એટલા લૂંટ્યા અને ત્યારબાદ પણ ધરાયા તો ભારતીય વારસાના પ્રતિક એવા એ મંદિરોને તોડી નાખ્યા. ગઝની અને બાબર જેવા આક્રાંતાએ ન અનેક મંદિરોને તોડી ત્યા મસ્જિદો બાંધી દીધી. અફઘાનિસ્તાન કે તુર્કીથી આવેલા જે આક્રમણકર્તાઓએ ભારતની ધરતી પર લોહીની નદીઓ વહાવી, મંદિરોને તોડ્યા, પાકિસ્તાન આજની તારીખમાં આ લૂંટારાઓના નામ પરથી તેની મિસાઈલોના નામ રાખી તેની ‘ઈસ્લામી તાકાત’ ને સાબિત કરવાની કોશિશ કરી રહ્યુ છે....