AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ વિપક્ષે રાહતનો શ્વાસ લીધો છે. શાહબાઝ શરીફે કહ્યું, અલ્લાહે સમગ્ર પાકિસ્તાનની પ્રાર્થના સ્વીકારી છે. પાકિસ્તાનનું બંધારણ જ નહીં પરંતુ આ નિર્ણયને કારણે સમગ્ર દેશ બચી ગયો છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 11:57 PM
Share
પાકિસ્તાનમાં (Pakistan) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર ગુરુવારે રાત્રે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સંસદ ભંગ કરવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે સંસદને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય આપ્યો અને કહ્યું કે નેશનલ એસેમ્બલી (સંસદનું નીચલું ગૃહ) 9 માર્ચે સવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ વિપક્ષે રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયથી વિપક્ષોએ ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">