AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આર્મી ચીફ બાજવા સાથે મુલાકાત બાદ નિર્ણય મોકૂફ રાખ્યો, આજે નહીં કરે રાષ્ટ્રને સંબોધન

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથી અને મુખ્ય ગઠબંધન ભાગીદાર મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM) વિપક્ષી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે કરાર કર્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન રાજીનામું આપે તેવી શક્યતા છે.

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આર્મી ચીફ બાજવા સાથે મુલાકાત બાદ નિર્ણય મોકૂફ રાખ્યો, આજે નહીં કરે રાષ્ટ્રને સંબોધન
Pakistan PM Imran KhanImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:52 PM
Share

પાડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan) રાજકીય ઉથલપાથલ વધી રહી છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની (Pakistan PM Imran Khan) મુશ્કેલીઓ દરેક ક્ષણે વધી રહી છે. ઈમરાનના સાથીઓ તેનો પક્ષ છોડી રહ્યા છે. પાકિસ્તાનમાં ઉથલપાથલ વચ્ચે આજે ઈમરાન ખાન દેશને સંબોધન કરવાના હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમનું સંબોધન રદ કરવામાં આવ્યું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. પીટીઆઈ સેનેટર ફૈઝલ જાવેદ ખાને માહિતી આપી છે કે ઈમરાન ખાન આજે દેશને સંબોધિત કરશે નહીં.

ઈમરાન ખાનને આજે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવમાંથી પસાર થવું પડશે. આ પહેલા ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહેલા ઈમરાન ખાનને સાથી પક્ષ એમક્યુએમ પી (MQM P) દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે. પાર્ટીએ ઈમરાન ખાનનો સાથ છોડી દીધો છે. જેના કારણે ઈમરાન તરફી સાંસદોની સંખ્યા ઘટીને 164 થઈ ગઈ છે.

ઈમરાન ખાન પદ છોડે તેવી શક્યતા છે

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથી અને મુખ્ય ગઠબંધન ભાગીદાર મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM) વિપક્ષી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે કરાર કર્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન રાજીનામું આપે તેવી શક્યતા છે.

‘સિક્રેટ લેટર’ પર ઈમરાન ખાનનો યુ-ટર્ન

મોટા સમાચાર આવ્યા છે કે, ઈમરાન ખાને પત્રકારોને પોતાના સિક્રેટ લેટર બતાવવાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. અગાઉ તેણે દાવો કર્યો હતો કે આ પત્ર સરકારને પડાવવાના વિદેશી ષડયંત્રનો પર્દાફાશ કરશે. પત્રકારો સાથે વાત કરતા પહેલા તેમના મંત્રીઓને પત્ર ન દર્શાવવા બદલ તેમની પાર્ટીમાં પણ નારાજગી છે.

ઈસ્લામાબાદમાં 27 માર્ચે એક વિશાળ રેલીને સંબોધતા ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશી શક્તિઓ તેમની ગઠબંધન સરકારને તોડવાના ષડયંત્રમાં સામેલ છે. ઈસ્લામાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની રેલીને સંબોધિત કરતી વખતે ખાને કહ્યું હતું કે, વિદેશી તત્વો દેશની વિદેશ નીતિ નક્કી કરવા માટે સ્થાનિક રાજકારણીઓનો ઉપયોગ કરી રહ્યા છે.

દબાણ ઉભું કરવાના પ્રયાસનો આરોપ

તેણે કહ્યું હતું કે, અમને ખબર છે કે અમારા પર દબાણ લાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે. અમને લેખિતમાં ધમકી આપવામાં આવી છે પરંતુ અમે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કરીશું નહીં. મારી પાસે જે પત્ર છે તે સાબિતી છે અને જે કોઈને પણ આ પત્ર પર શંકા છે તે ખોટા સાબિત કરવા હું પડકાર આપું છું. આપણે નક્કી કરવાનું છે કે આપણે આ રીતે ક્યાં સુધી જીવીશું. અમને ધમકીઓ મળી રહી છે. વિદેશી ષડયંત્ર વિશે ઘણી બાબતો છે, જે ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

આ પણ વાંચો : પાકિસ્તાન : રાજકીય સંકટ વચ્ચે PM ઈમરાનને આવ્યુ ડહાપણ, યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે યુદ્ધ ખતમ કરવા કરી વાતચીત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">