AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Political Crisis: પૂર્વ સેના અધિકારીએ ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ કરવાનો કર્યો ઈનકાર, ઈમરાન સરકારે કરી હતી સમિતિની રચના

પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના કથિત "વિદેશી કાવતરા"ની તપાસ માટે એક કમિશનની રચના કરવાનો નિર્ણય લીધો છે.

Pakistan Political Crisis: પૂર્વ સેના અધિકારીએ 'વિદેશી ષડયંત્ર'ની તપાસ કરવાનો કર્યો ઈનકાર, ઈમરાન સરકારે કરી હતી સમિતિની રચના
Prime Minister of Pakistan Imran Khan Image Credit source: ANI (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 11:43 PM
Share

પાકિસ્તાનમાં રાજકીય સંકટ (pakistan political crisis) સતત ઘેરું બની રહ્યું છે અને હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે નેશનલ એસેમ્બલીનું (national assembly) વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે, જ્યાં ઈમરાન ખાન (PM imran khan) સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. પરંતુ આજે અગાઉ, ફેડરલ કેબિનેટની બેઠક પછી, માહિતી પ્રધાને જાહેરાત કરી હતી કે સરકારે ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ માટે એક કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે, પાક મીડિયામાંથી એવા સમાચાર છે કે આ પૂર્વ સેના અધિકારીએ તપાસ કરવાનો ઇનકાર કર્યો છે.

પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના કથિત “વિદેશી કાવતરા”ની તપાસ માટે એક કમિશનની રચના કરવાનો નિર્ણય લીધો છે. કમિશનનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) તારિક ખાન કરશે.

જોકે, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) તારિક ખાને વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પાછળ કથિત ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિનું નેતૃત્વ કરવાનો ઇનકાર કર્યો છે. પાક અખબાર એક્સપ્રેસ ન્યૂઝે આજે આ સંદર્ભમાં માહિતી આપી હતી.

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેમની સામેના અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપતા કહ્યું કે સંસદ ભંગ કરીને ચૂંટણી કરાવવાનું ઇમરાન ખાનનું પગલું ‘ગેરબંધારણીય’ છે.

આ પણ વાંચો : Pakistan: ઈમરાન ખાનના ભાવિનો કાલે નિર્ણય, નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન, 6 મુદ્દાનો એજન્ડા જાહેર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">