AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Political Crisis: પૂર્વ સેના અધિકારીએ ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ કરવાનો કર્યો ઈનકાર, ઈમરાન સરકારે કરી હતી સમિતિની રચના

પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના કથિત "વિદેશી કાવતરા"ની તપાસ માટે એક કમિશનની રચના કરવાનો નિર્ણય લીધો છે.

Pakistan Political Crisis: પૂર્વ સેના અધિકારીએ 'વિદેશી ષડયંત્ર'ની તપાસ કરવાનો કર્યો ઈનકાર, ઈમરાન સરકારે કરી હતી સમિતિની રચના
Prime Minister of Pakistan Imran Khan Image Credit source: ANI (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 11:43 PM
Share

પાકિસ્તાનમાં રાજકીય સંકટ (pakistan political crisis) સતત ઘેરું બની રહ્યું છે અને હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે નેશનલ એસેમ્બલીનું (national assembly) વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે, જ્યાં ઈમરાન ખાન (PM imran khan) સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. પરંતુ આજે અગાઉ, ફેડરલ કેબિનેટની બેઠક પછી, માહિતી પ્રધાને જાહેરાત કરી હતી કે સરકારે ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ માટે એક કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે, પાક મીડિયામાંથી એવા સમાચાર છે કે આ પૂર્વ સેના અધિકારીએ તપાસ કરવાનો ઇનકાર કર્યો છે.

પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના કથિત “વિદેશી કાવતરા”ની તપાસ માટે એક કમિશનની રચના કરવાનો નિર્ણય લીધો છે. કમિશનનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) તારિક ખાન કરશે.

જોકે, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) તારિક ખાને વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પાછળ કથિત ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિનું નેતૃત્વ કરવાનો ઇનકાર કર્યો છે. પાક અખબાર એક્સપ્રેસ ન્યૂઝે આજે આ સંદર્ભમાં માહિતી આપી હતી.

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેમની સામેના અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપતા કહ્યું કે સંસદ ભંગ કરીને ચૂંટણી કરાવવાનું ઇમરાન ખાનનું પગલું ‘ગેરબંધારણીય’ છે.

આ પણ વાંચો : Pakistan: ઈમરાન ખાનના ભાવિનો કાલે નિર્ણય, નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન, 6 મુદ્દાનો એજન્ડા જાહેર

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">