AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં, જાણો ક્યારે થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ?

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષો એક થઈ ગયા છે અને તેમની સરકારને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Pakistan: વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં, જાણો ક્યારે થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ?
PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 12:43 PM
Share

Pakistan: પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ દ્વારા વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જે બાદ તેમની ખુરશી પર તલવાર લટકી રહી છે. આગામી 24 કે 48 કલાક ઈમરાન (Pakistan Government)માટે ખૂબ મહત્વના રહેવાના છે.

આ પ્રસ્તાવ (No Trust Move) પર વોટિંગ પહેલા જ સ્પષ્ટ થઈ જશે કે ઈમરાનનું રાજકીય ભવિષ્ય શું હશે. સરકારના ચાર સાથી પક્ષો, પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q) (PMLQ), મુત્તાહિદા ક્વામી મૂવમેન્ટ પાકિસ્તાન (MQMP), બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) અને ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સ (GDA) ટૂંક સમયમાં પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે.

ઈમરાન પાકિસ્તાનના વડા પ્રધાનની ખુરશી પર રહેશે કે નહીં ?

તમને જણાવી દઈએ કે,આ સાથી પક્ષોનો નિર્ણય નક્કી કરશે કે ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાનની ખુરશી પર રહેશે કે નહીં. જો આ બધા વિપક્ષ સાથે જવાનું નક્કી કરે છે તો ઈમરાન ખાનની વડાપ્રધાન પદની સફર અહીં જ સમાપ્ત થઈ જશે. જો કોઈ સાથી પક્ષ દૂર રહેવાનું નક્કી કરે છે, તો તે સરકારના પક્ષમાં જશે, વિપક્ષના નહીં. પાકિસ્તાનની વિપક્ષ પાર્ટી હાલમાં સરકારના ત્રણ સહયોગી, પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q) (PMLQ), બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQMP) સાથે વાતચીત કરી રહ્યો છે. જેથી કરીને અવિશ્વાસ પ્રસ્તાવને સફળ બનાવી શકાય.

બંને પક્ષો પૂરતા સભ્યો હોવાનો કરી રહ્યા છે દાવો

પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય માહોલ ગરમાયો છે. સરકાર અને વિપક્ષ બંને દાવો કરી રહ્યા છે કે તેમની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગના દિવસ માટે પૂરતા સભ્યો છે.તમને જણાવવુ રહ્યુ કે, 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વડા પ્રધાનને હટાવવા માટે વિપક્ષને 172 મતોની જરૂર છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 2018 માં સત્તા પર આવ્યા હતા, તેમજ આગામી સામાન્ય ચૂંટણી 2023 માં થવાની છે.ત્યારે એ જોવુ રહ્યુ કે ઈમરાન વડાપ્રધાનની ખુરશી બચાવી શકે છે કે કેમ..?

આ પણ વાંચો : Pakistan: સત્તા બચાવવાના ફાંફા છે અને ઈમરાન ખાનની શેખી, કહ્યું કે “બટાકા અને ટામેટાંના ભાવને કાબૂમાં લેવા માટે રાજકારણમાં નથી ઉતર્યો”

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">