AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં, જાણો ક્યારે થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ?

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષો એક થઈ ગયા છે અને તેમની સરકારને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Pakistan: વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં, જાણો ક્યારે થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ?
PM Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 12:43 PM
Share

Pakistan: પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ દ્વારા વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જે બાદ તેમની ખુરશી પર તલવાર લટકી રહી છે. આગામી 24 કે 48 કલાક ઈમરાન (Pakistan Government)માટે ખૂબ મહત્વના રહેવાના છે.

આ પ્રસ્તાવ (No Trust Move) પર વોટિંગ પહેલા જ સ્પષ્ટ થઈ જશે કે ઈમરાનનું રાજકીય ભવિષ્ય શું હશે. સરકારના ચાર સાથી પક્ષો, પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q) (PMLQ), મુત્તાહિદા ક્વામી મૂવમેન્ટ પાકિસ્તાન (MQMP), બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) અને ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સ (GDA) ટૂંક સમયમાં પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે.

ઈમરાન પાકિસ્તાનના વડા પ્રધાનની ખુરશી પર રહેશે કે નહીં ?

તમને જણાવી દઈએ કે,આ સાથી પક્ષોનો નિર્ણય નક્કી કરશે કે ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાનની ખુરશી પર રહેશે કે નહીં. જો આ બધા વિપક્ષ સાથે જવાનું નક્કી કરે છે તો ઈમરાન ખાનની વડાપ્રધાન પદની સફર અહીં જ સમાપ્ત થઈ જશે. જો કોઈ સાથી પક્ષ દૂર રહેવાનું નક્કી કરે છે, તો તે સરકારના પક્ષમાં જશે, વિપક્ષના નહીં. પાકિસ્તાનની વિપક્ષ પાર્ટી હાલમાં સરકારના ત્રણ સહયોગી, પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q) (PMLQ), બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQMP) સાથે વાતચીત કરી રહ્યો છે. જેથી કરીને અવિશ્વાસ પ્રસ્તાવને સફળ બનાવી શકાય.

બંને પક્ષો પૂરતા સભ્યો હોવાનો કરી રહ્યા છે દાવો

પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય માહોલ ગરમાયો છે. સરકાર અને વિપક્ષ બંને દાવો કરી રહ્યા છે કે તેમની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગના દિવસ માટે પૂરતા સભ્યો છે.તમને જણાવવુ રહ્યુ કે, 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વડા પ્રધાનને હટાવવા માટે વિપક્ષને 172 મતોની જરૂર છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 2018 માં સત્તા પર આવ્યા હતા, તેમજ આગામી સામાન્ય ચૂંટણી 2023 માં થવાની છે.ત્યારે એ જોવુ રહ્યુ કે ઈમરાન વડાપ્રધાનની ખુરશી બચાવી શકે છે કે કેમ..?

આ પણ વાંચો : Pakistan: સત્તા બચાવવાના ફાંફા છે અને ઈમરાન ખાનની શેખી, કહ્યું કે “બટાકા અને ટામેટાંના ભાવને કાબૂમાં લેવા માટે રાજકારણમાં નથી ઉતર્યો”

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">