AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan news : પેશાવર બ્લાસ્ટનો આત્મઘાતી બોમ્બર પોલીસ યુનિફોર્મમાં હતો, માનવામાં આવે છે કે સુરક્ષામાં મોટી ભૂલ

Pakistan ના પેશાવરમાં 30 જાન્યુઆરીએ આત્મઘાતી હુમલો કરનાર હુમલાખોરની તસવીર સામે આવી છે. આ હુમલામાં પોલીસ કર્મચારીઓ સહિત 100થી વધુ લોકો માર્યા ગયા હતા.

Pakistan news : પેશાવર બ્લાસ્ટનો આત્મઘાતી બોમ્બર પોલીસ યુનિફોર્મમાં હતો, માનવામાં આવે છે કે સુરક્ષામાં મોટી ભૂલ
પેશાવર મસ્જિદ બ્લાસ્ટ (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 4:36 PM
Share

પાકિસ્તાનના પેશાવરમાં 30 જાન્યુઆરીએ એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો કરનાર હુમલાખોરની સીસીટીવી તસવીરો સામે આવી છે. તસવીરોમાં આત્મઘાતી હુમલાખોર પોલીસના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે અને તેણે હેલ્મેટ પણ પહેરી છે. આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. હુમલાખોરે જે સમયે હુમલો કર્યો તે સમયે મસ્જિદ પરિસરમાં 400થી વધુ લોકો હાજર હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ખૈબર પખ્તુનખ્વા પોલીસ ચીફ મોજમ જહાં અંસારીએ ગુરુવારે આ ઘટના અંગે માહિતી આપતા ઘણા મોટા ખુલાસા કર્યા છે. અંસારીએ કહ્યું કે હુમલા સમયે આત્મઘાતી હુમલાખોરે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ તપાસ હુમલા પાછળના આતંકી નેટવર્કને બહાર કાઢવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.

સુરક્ષામાં ક્ષતિ હોવાનું સ્વીકાર્યું

ખૈબર પખ્તુનખ્વાના પોલીસ વડાએ જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરે મસ્જિદની દિવાલને ઉડાવી દીધી હતી. અન્સારીએ મસ્જિદમાં થયેલા વિસ્ફોટ પાછળ પોલીસ સુરક્ષામાં ક્ષતિ હોવાનું પણ સ્વીકાર્યું છે. તેણે કહ્યું કે હુમલાખોર પોલીસ યુનિફોર્મમાં હોવાથી મસ્જિદ પરિસરમાં તૈનાત પોલીસકર્મીઓ તેની તપાસ કરી શક્યા નહીં.

આ સિવાય પોલીસે એવું પણ કહ્યું છે કે ઘટનાસ્થળેથી જે કપાયેલું માથું મળી આવ્યું હતું તે હુમલાખોરનું હતું. તેણે હેલ્મેટ અને માસ્ક પહેર્યું હતું. પોલીસે જણાવ્યું કે હુમલાખોરને ઓળખવા માટે સીસીટીવીની તસવીરો સ્કેન કરવામાં આવી હતી અને પછી ઘટનાસ્થળે મળેલા કપાયેલા માથા સાથે મેચ કરવામાં આવી હતી.

પોલીસ કોન્સ્ટેબલ પાસેથી જ મસ્જિદનો રસ્તો પૂછવામાં આવ્યો હતો.

પાકિસ્તાની મીડિયા ‘ધ ડોન’એ પોલીસ વડાને ટાંકીને જણાવ્યું છે કે આત્મઘાતી હુમલાખોર બાઈક પર મુખ્ય ગેટથી ઘૂસ્યો હતો. આ પછી તેણે ત્યાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલને પૂછ્યું કે મસ્જિદ ક્યાં છે. મતલબ કે આત્મઘાતી બોમ્બર મસ્જિદ વિસ્તારથી પરિચિત ન હતો. તેને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેની પાછળ એક આખું નેટવર્ક છે.

(ઇનપુટ-ભાષાંતર)

હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં હવાની ગુણવત્તા ફરી પ્રદૂષિત
Breaking News : અમદાવાદમાં હવાની ગુણવત્તા ફરી પ્રદૂષિત
તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, બિઝનેસનું કામ તમને વ્યસ્ત રાખશે
તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, બિઝનેસનું કામ તમને વ્યસ્ત રાખશે
ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ?
ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ?
MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?
MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?
g clip-path="url(#clip0_868_265)">