પાકિસ્તાન: વર્ષો સુધી મહેનત કરીને કમાયા લાખો રૂપિયા, હવે અફઘાની લોકો સાથે લઈ જઈ શકે છે માત્ર આટલા રૂપિયા

પાકિસ્તાનમાં ડોક્યુમેન્ટસ વગર રહેતા અફઘાનિસ્તાનના લોકોને દેશ છોડવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી હતી. આ મુદત પૂરી થયાના બે અઠવાડિયા બાદ હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ સમય પૂર્ણ થયા બાદથી 1,65,000 થી વધારે અફઘાની લોકોએ પાકિસ્તાન છોડ્યું છે.

પાકિસ્તાન: વર્ષો સુધી મહેનત કરીને કમાયા લાખો રૂપિયા, હવે અફઘાની લોકો સાથે લઈ જઈ શકે છે માત્ર આટલા રૂપિયા
Afghan Refugees
Follow Us:
| Updated on: Nov 20, 2023 | 1:28 PM

પાકિસ્તાનમાં રહેતા અફઘાનિસ્તાનના શરણાર્થીઓ માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. અફઘાની લોકોને સરકાર દ્વારા દેશ છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદથી લોકોની સમસ્યામાં વધારો થયો છે. હાજી મુબારક શિનવારી તેમના 5 દિકરા અને 2 ભાઈ સાથે 1982 માં પાકિસ્તાન આવ્યા હતા. તેણે તનતોડ મહેનત કરી કપડાં અને પરિવહન બિઝનેસનું નેટવર્ક ઉભું કર્યું હતું. તે કરાચીની બહારના વિસ્તારમાં અલ-આસિફ સ્ક્વેરમાં ઘણી મિલકતો ધરાવે છે. પરંતુ હવે તેમને આ બધુ છોડીને પાકિસ્તાનથી જવું પડી શકે છે.

શરણાર્થીઓને માત્ર 50,000 રૂપિયા લઈ જવાની મંજૂરી

પાકિસ્તાન સરકારે પોતાના દેશમાંથી રોકડ અને સંપત્તિના અફઘાનિસ્તાનમાં ટ્રાન્સફર કરવા પ્રતિબંધ લગાવ્યો છે. તેથી લોકો વિચારી રહ્યા છે કે તેઓએ મહેનત કરીને કમાયેલી સંપત્તિને છોડીને કેવી રીતે અહીંથી જવું. પાકિસ્તાન સરકારે શરણાર્થીઓને વ્યક્તિ દીઠ માત્ર 50,000 રૂપિયા રોકડમાં લઈ જવાની મંજૂરી આપી છે. લોકો કહે છે કે આ સ્થિતિ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા જેવી છે.

17 લાખથી વધારે શરણાર્થીઓને આશ્રય આપવામાં આવ્યો

પાકિસ્તાનમાં ડોક્યુમેન્ટસ વગર રહેતા અફઘાનિસ્તાનના લોકોને દેશ છોડવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી હતી. આ મુદત પૂરી થયાના બે અઠવાડિયા બાદ હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ સમય પૂર્ણ થયા બાદથી 1,65,000 થી વધારે અફઘાની લોકોએ પાકિસ્તાન છોડ્યું છે. સરકારનું કહેવું છે કે, ઘણા સમયથી 17 લાખથી વધારે શરણાર્થીઓને પાકિસ્તાનમાં આશ્રય આપવામાં આવ્યો, પરંતુ હવે તેમને તેમના પોતાના દેશ પાછા જવું પડશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? બે વર્ષમાં ચાર ગુમ

અફઘાની ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે

અફઘાન શરણાર્થીઓને લઈ પાકિસ્તાન સરકારનું કહેવું છે કે, સુરક્ષાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આરોપ લગાવ્યો કે, ઘણા અફઘાની ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જોકે, તાલિબાન સરકારે આ આરોપને સંપૂર્ણપણે ફગાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">