પાકિસ્તાન: વર્ષો સુધી મહેનત કરીને કમાયા લાખો રૂપિયા, હવે અફઘાની લોકો સાથે લઈ જઈ શકે છે માત્ર આટલા રૂપિયા

પાકિસ્તાનમાં ડોક્યુમેન્ટસ વગર રહેતા અફઘાનિસ્તાનના લોકોને દેશ છોડવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી હતી. આ મુદત પૂરી થયાના બે અઠવાડિયા બાદ હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ સમય પૂર્ણ થયા બાદથી 1,65,000 થી વધારે અફઘાની લોકોએ પાકિસ્તાન છોડ્યું છે.

પાકિસ્તાન: વર્ષો સુધી મહેનત કરીને કમાયા લાખો રૂપિયા, હવે અફઘાની લોકો સાથે લઈ જઈ શકે છે માત્ર આટલા રૂપિયા
Afghan Refugees
Follow Us:
| Updated on: Nov 20, 2023 | 1:28 PM

પાકિસ્તાનમાં રહેતા અફઘાનિસ્તાનના શરણાર્થીઓ માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. અફઘાની લોકોને સરકાર દ્વારા દેશ છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદથી લોકોની સમસ્યામાં વધારો થયો છે. હાજી મુબારક શિનવારી તેમના 5 દિકરા અને 2 ભાઈ સાથે 1982 માં પાકિસ્તાન આવ્યા હતા. તેણે તનતોડ મહેનત કરી કપડાં અને પરિવહન બિઝનેસનું નેટવર્ક ઉભું કર્યું હતું. તે કરાચીની બહારના વિસ્તારમાં અલ-આસિફ સ્ક્વેરમાં ઘણી મિલકતો ધરાવે છે. પરંતુ હવે તેમને આ બધુ છોડીને પાકિસ્તાનથી જવું પડી શકે છે.

શરણાર્થીઓને માત્ર 50,000 રૂપિયા લઈ જવાની મંજૂરી

પાકિસ્તાન સરકારે પોતાના દેશમાંથી રોકડ અને સંપત્તિના અફઘાનિસ્તાનમાં ટ્રાન્સફર કરવા પ્રતિબંધ લગાવ્યો છે. તેથી લોકો વિચારી રહ્યા છે કે તેઓએ મહેનત કરીને કમાયેલી સંપત્તિને છોડીને કેવી રીતે અહીંથી જવું. પાકિસ્તાન સરકારે શરણાર્થીઓને વ્યક્તિ દીઠ માત્ર 50,000 રૂપિયા રોકડમાં લઈ જવાની મંજૂરી આપી છે. લોકો કહે છે કે આ સ્થિતિ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા જેવી છે.

17 લાખથી વધારે શરણાર્થીઓને આશ્રય આપવામાં આવ્યો

પાકિસ્તાનમાં ડોક્યુમેન્ટસ વગર રહેતા અફઘાનિસ્તાનના લોકોને દેશ છોડવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર આપવામાં આવી હતી. આ મુદત પૂરી થયાના બે અઠવાડિયા બાદ હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ સમય પૂર્ણ થયા બાદથી 1,65,000 થી વધારે અફઘાની લોકોએ પાકિસ્તાન છોડ્યું છે. સરકારનું કહેવું છે કે, ઘણા સમયથી 17 લાખથી વધારે શરણાર્થીઓને પાકિસ્તાનમાં આશ્રય આપવામાં આવ્યો, પરંતુ હવે તેમને તેમના પોતાના દેશ પાછા જવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ પણ વાંચો : કેનેડામાં કેમ ગાયબ થઈ રહ્યા છે પાકિસ્તાની એરલાઈન્સના ક્રૂ મેમ્બર? બે વર્ષમાં ચાર ગુમ

અફઘાની ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે

અફઘાન શરણાર્થીઓને લઈ પાકિસ્તાન સરકારનું કહેવું છે કે, સુરક્ષાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આરોપ લગાવ્યો કે, ઘણા અફઘાની ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જોકે, તાલિબાન સરકારે આ આરોપને સંપૂર્ણપણે ફગાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">