‘દગાબાજો’ને નહીં છોડે ઈમરાન : પાર્ટીના સાંસદોને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવા ઈમરાન સુપ્રીમ કોર્ટના શરણે

ઈમરાન ખાનને (Imran Khan) અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા હતા. 174 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કરતા નછૂટકે ઈમરાનને વડાપ્રધાનની ખુરશી છોડવી પડી.

'દગાબાજો'ને નહીં છોડે ઈમરાન : પાર્ટીના સાંસદોને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવા ઈમરાન સુપ્રીમ કોર્ટના શરણે
Imran Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:52 AM

પાકિસ્તાનના (Pakistan) વડા પ્રધાન પદેથી ઈમરાન ખાનને  (Imran Khan) હટાવ્યાના પછી ઈમરાને બળવાખોર સાંસદો પ્રત્યે તેમનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. બળવાખોર સાંસદોના કારણે ઈમરાનને સતા છોડવી પડી. ઉલ્લેખનીય છે કે, ઈમરાને તેની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના અસંતુષ્ટ સાંસદોને નેશનલ એસેમ્બલીમાંથી (Pakistan National Assembly) અયોગ્ય ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

ઈમરાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અસંતુષ્ટ સાંસદોને આજીવન સંસદીય કાર્યમાંથી અયોગ્ય ઠેરવવામાં આવે. આ ઉપરાંત જો કોઈ પક્ષ છોડે છે તો તેણે પક્ષપલટો કરવાને બદલે પહેલા સંસદમાંથી રાજીનામું આપવું પડશે.

સુપ્રીમ કોર્ટને આ મામલાની સુનાવણી કરવાનો અધિકાર : ઈમરાન

એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર મુજબ જે દિવસે શાહબાઝ શરીફ (Shehbaz Sharif) પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તે દિવસે PTIએ સત્રનો બહિષ્કાર કર્યો હતો અને દેશની સંસદના નીચલા ગૃહમાંથી સામૂહિક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અરજીમાં પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP), નેશનલ એસેમ્બલીના સ્પીકર, કાયદા સચિવ અને કેબિનેટ સચિવને પક્ષકારો તરીકે સૂચિબદ્ધ કર્યા છે. તમને જણાવવું રહ્યું કે આ અરજી બંધારણની કલમ 184(3) હેઠળ દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટને આ મામલાની સુનાવણી કરવાનો અધિકાર છે, કારણ કે આ મામલો કાયદા હેઠળ જાહેર હિતનો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ઈમરાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ સાંસદ પક્ષ બદલે છે અને પોતાની પાર્ટી પ્રત્યે વફાદાર રહેતો નથી,તો “ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પક્ષપલટો બંધારણીય રીતે પ્રતિબંધિત છે અને આવું કરવું નૈતિક રીતે નિંદનીય છે.” જો તેઓ આમ કરે છે, તો તેઓ તેમના મત ગણતરીના અધિકારનો દાવો કરી શકશે નહીં. તમને જણાવવું રહ્યું કે, પક્ષપલટો રાજકારણમાં કેન્સરની બિમારીથી ઓછી નથી અને તે લોકશાહી શાસનની ભાવનાને નષ્ટ કરે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : TV9 EXCLUSIVE : ઈન્ટેલિજન્સ રિપોર્ટના ખુલાસાથી ખળભળાટ, ઈમરાન ખાનને દુશ્મનો કરતાં ‘સમર્થકો’થી વધુ ખતરો !

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">