Solar Storm : પૃથ્વી પર તોળાઈ રહ્યો છે ખતરો, ગમે ત્યારે ત્રાટકી શકે છે સૌર તોફાન ! નહીં ચાલે મોબાઈલ ફોન, વીજળી ગુલ થવાની પણ શક્યતા

Geomagnetic Storm : ખતરનાક સૌર તોફાન ગમે ત્યારે પૃથ્વી પર આવી શકે છે. તેનાથી રેડિયો સિગ્નલ પર અસર પડી શકે છે અને વીજ પ્રવાહ ખોરવાઈ શકે છે. જે સૌર તોફાન આવવાનુ છે તેને વૈજ્ઞાનિકો G2 સ્તરનુ કહી રહ્યાં છે.

Solar Storm : પૃથ્વી પર તોળાઈ રહ્યો છે ખતરો, ગમે ત્યારે ત્રાટકી શકે છે સૌર તોફાન ! નહીં ચાલે મોબાઈલ ફોન, વીજળી ગુલ થવાની પણ શક્યતા
solar storm (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:58 AM

અમેરિકાની સ્પેસ એજન્સી NASA (National Aeronautics and Space Administration) અને નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)નું કહેવું છે કે આગામી 24 કલાકમાં કોરોનલ મટિરિયલ એજેકશન (CME) તીવ્ર ઉર્જા સાથે પૃથ્વી પર ટકરાઈ શકે છે. જેના કારણે સૌર તોફાન (Solar Storm) ઊભું થશે, જે વીજળીની ગ્રીડ ( Power Grid) અને અન્ય સંબંધિત વસ્તુઓને બગાડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ તોફાન G2 લેવલનું હોઈ શકે છે. NASA અને NOAAનું કહેવું છે કે આ ખતરનાક તોફાન વધુ ઝડપે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાવાની શક્યતા છે.

સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન સ્પેસ સાયન્સ ઈન્ડિયા (CESSI)નું કહેવુ છે કે, ‘અમારું મોડેલ સૂચવે છે કે તે પૃથ્વી પર મોટી અસર કરી શકે છે, આ ઝડપ 429-575 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. હાલમાં, સૌર પવન અને પૃથ્વીની નજીકના અવકાશ વાતાવરણની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. તેમણે કહ્યું કે આની અસર જીપીએસ સિસ્ટમ ઉપર પણ પડી શકે છે.

કેવુ થઈ શકે છે નુકસાન ?

સૌર તોફાનને કારણે પૃથ્વી પર ઊંચાઈવાળા વિસ્તારોમાં વીજળી જઈ શકે છે. રેડિયો સિગ્નલમાં વિક્ષેપ સર્જાઈ શકે છે. રેડિયો ઓપરેટરોને વિક્ષેપનો સામનો કરવો પડી શકે છે. GPS વપરાશકર્તાઓ પણ તેમના ઉપકરણોમાં સમસ્યાઓ અનુભવી શકે છે. સોલાર સ્ટોર્મની અસર મોબાઈલ ફોનના સિગ્નલ ઉપર પણ પડી શકે છે. તેના કારણે અંધારપટનો ખતરો પણ છે. આ જ કારણ છે કે આ સૌર તોફાનને લઈને દરેક જગ્યાએ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની શ્રેણી G2 રાખવામાં આવી છે. અલબત્ત તે G5 જેટલું ખતરનાક નથી, પરંતુ તેમ છતાં તે ઘણુંબધુ નુકસાન કરી શકે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

શું છે સૌર તોફાન ?

NOAA નુ કહેવુ છે કે 15 એપ્રિલે, એક નાનું સૌર તોફાન પૃથ્વીને અસર કરશે. સૌર તોફાનને જીઓમેગ્નેટિક તોફાન અને સૌર વાવાઝોડુ પણ કહેવામાં આવે છે. સૂર્યમાંથી નીકળતા કિરણોત્સર્ગ, જે સમગ્ર સૌરમંડળને અસર કરી શકે છે. તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરતી આપત્તિ પણ કહેવામાં આવે છે. જેની અસર પૃથ્વીની આસપાસના વાતાવરણની ઊર્જા પર પણ પડે છે. સૌર તોફાન પહેલીવાર નથી આવી રહ્યું પરંતુ આ પહેલા પણ આ ઘટના વર્ષ 1989માં બની ચૂકી છે. તે સમયે કેનેડાના ક્યુબેક શહેરને તેની અસર થઈ હતી, જેના કારણે ત્યાંની વીજળી 12 કલાક સુધી ખોરવાઈ ગઈ હતી. વીજ પ્રવાહ ખોરવાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તે અગાઉ આવુ સૌર તોફાન 1859માં આવ્યું હતું. જેના કારણે ટેલિગ્રાફ નેટવર્ક યુરોપ અને અમેરિકામાં નાશ પામ્યું હતુ.

આ પણ વાંચોઃ

યુક્રેન સાથે યુદ્ધનુ આહ્વાન કરનાર હવે ક્રેમલિન છોડીને પરમાણુ બંકરમાં છુપાયો, જાણો શું છે પુતિનનો સિક્રેટ પ્લાન ?

આ પણ વાંચોઃ

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં પૂરે તબાહી મચાવી, 340થી વધુના મોત, અબજો ડોલરનું નુકસાન

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">