Pakistan : દેશની કથળતી સ્થિતિને પગલે ફરી ઈમરાન ખાન ઉકળ્યા, પોતાના જ દેશની સેના પર લગાવ્યા ગંભીર આરોપ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પોતાના જ દેશની સેનાની ટીકા કરી છે. સાથે જ તેણે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર માટે સેનાને જવાબદાર ગણાવી છે.

Pakistan : દેશની કથળતી સ્થિતિને પગલે ફરી ઈમરાન ખાન ઉકળ્યા, પોતાના જ દેશની સેના પર લગાવ્યા ગંભીર આરોપ
Imran khan,Former PM, Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 8:07 AM

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Former PM Imrankhan) પોતાના જ દેશની સેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર માટે સેનાને જવાબદાર ઠેરવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ખાને કહ્યું કે દેશમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા ઈતિહાસમાં કંઈ ન કરવા બદલ સેનાને (pakistan Army)  જવાબદાર ગણવામાં આવશે. ઈસ્લામાબાદમાં એક સેમિનારને સંબોધતા PTI નેતાએ કહ્યું કે સેનાએ “તટસ્થ” રહેવાની તેની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ અને દેશની બગડતી આર્થિક સ્થિતિને (Pakistan Financial condition)  સુધારવા માટે પગલાં લેવા જોઈએ.

ઈમરાન ખાને કહ્યું, ‘હું આજે તે તટસ્થ લોકોને પૂછવા માંગુ છું. શું તમે જાણો છો કે દેશ ક્યાં જઈ રહ્યો છે ? દેશ અને અર્થવ્યવસ્થા કેવી રીતે આગળ વધશે જ્યારે તમને ખબર પણ નથી કે આગામી બે-ત્રણ મહિનામાં શું થશે…!

બિન-આવશ્યક વસ્તુઓની આયાત પરનો પ્રતિબંધ હટાવ્યો

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત એકદમ કફોડી છે. આ બધાની વચ્ચે પાકિસ્તાને ગુરુવારે IMFની એક શરત પૂરી કરવા માટે બિન-આવશ્યક વસ્તુઓની આયાત પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. રોકડની તંગીવાળા પાકિસ્તાન માટે રાહત પેકેજ અંગે નિર્ણય લેવા માટે વૈશ્વિક ધિરાણકર્તા આ મહિનાના અંતમાં બેછક કરશે.તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે વિદેશી હૂંડિયામણમાં ઘટાડો અને ચૂકવણીનું સંતુલન બગડવાને કારણે આ પ્રતિબંધ લાદ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પાકિસ્તાનના નાણાપ્રધાન(Pakistan Financial minister)  મિફ્તા ઈસ્માઈલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધ હટાવી લેવામાં આવશે પરંતુ આયાત મોંઘી કરવા માટે આયાતકારો પર ભારે ડ્યુટી લાદવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર આયાત પ્રતિબંધ હટાવી રહી છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય જરૂરિયાત છે પરંતુ બિન-આવશ્યક આયાત કરાયેલ વસ્તુઓ વર્તમાન સ્તરો કરતા ત્રણ ગણી વધારે નિયમનકારી ડ્યુટી વસુલાશે.વધુમાં નાણામંત્રીએ ઉમેર્યું કે,”અમે એવી રીતે ભારે ડ્યુટી લાદીશું કે આવી વસ્તુઓ સરળતાથી આયાત કરી શકાશે નહીં..મારી પાસે પૂરતા ડોલર નથી, તેથી હું કપાસ, ખાદ્ય તેલ અને ઘઉંને પ્રાથમિકતા આપીશ,હું iPhones કે કારને પ્રાથમિકતા આપતો નથી.”

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">