AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાને કરી પીછેહઠ ! શાહબાઝ શરીફે કહ્યું- પાકિસ્તાન પહલગામ હુમલાની તપાસ માટે તૈયાર

Pahalgam Terror Attack: કાશ્મીર પહલગામ આતંકવાદી હુમલો: વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે કહ્યું કે પાકિસ્તાન પહલગામ હુમલાની "નિષ્પક્ષ અને પારદર્શક તપાસ" માં ભાગ લેવા તૈયાર છે.

Breaking News: પાકિસ્તાને કરી પીછેહઠ ! શાહબાઝ શરીફે કહ્યું- પાકિસ્તાન પહલગામ હુમલાની તપાસ માટે તૈયાર
Pakistan
| Updated on: Apr 26, 2025 | 4:18 PM
Share

Kashmir Pahalgam Terror Attack: પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે (26 એપ્રિલ) કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરના પહેલગામમાં 26 લોકોની હત્યાની કોઈપણ “નિષ્પક્ષ અને પારદર્શક” તપાસમાં ભાગ લેવા તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે અને પોતે પણ આતંકવાદનો ભોગ બન્યો છે.

22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બૈસરન ખીણમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં મોટાભાગના પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

‘વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર’

ડોન ડોટ કોમના અહેવાલ મુજબ, કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પાસિંગ-આઉટ પરેડને સંબોધતા, શાહબાઝ શરીફે કહ્યું કે ભારત કોઈપણ વિશ્વસનીય તપાસ અથવા ચકાસાયેલ પુરાવા વિના પાકિસ્તાન સામે પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવી રહ્યું છે. પાકિસ્તાની પીએમએ કહ્યું કે, એક જવાબદાર દેશ તરીકેની ભૂમિકા ચાલુ રાખીને, પાકિસ્તાન કોઈપણ નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર છે.

આ દરમિયાન શાહબાઝ શરીફે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું, “મારે કાશ્મીરના મહત્વ પર ભાર મૂકવો જોઈએ, કારણ કે રાષ્ટ્રના સ્થાપક કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાએ સાચું કહ્યું હતું કે, કાશ્મીર પાકિસ્તાનની ગળાની નસ છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાને હંમેશા આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરી છે. આતંકવાદ સામે પાકિસ્તાનને વિશ્વનો અગ્રણી દેશ ગણાવતા તેમણે કહ્યું, “આપણે ભારે નુકસાન સહન કર્યું છે, જેમાં 90,000 જાનહાનિ અને $600 બિલિયનથી વધુનું આર્થિક નુકસાનનો સમાવેશ થાય છે.”

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. નવી દિલ્હીએ ઇસ્લામાબાદ સામે અનેક કડક રાજદ્વારી અને વ્યૂહાત્મક પગલાં લીધાં છે. આમાં 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક સ્થગિત કરવી, અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવી, વગેરે પગલાંનો સમાવેશ થાય છે. ભારતના આ નિર્ણયો પછી, પાકિસ્તાને શિમલા કરારને સ્થગિત કરવા અને ભારતીય ફ્લાઇટ્સ માટે તેના હવાઈ ક્ષેત્રને બંધ કરવા જેવા કેટલાક પગલાં લીધાં છે.

1 ખુરશીના ચક્કરમાં થયો પહેલગામ હુમલો,પાકિસ્તાની પત્રકારે માસ્ટરમાઇન્ડનું નામ કર્યું જાહેર

Follow Us
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">